મુઘલ બાદશાહ શાહજહાંએ પત્ની મુમતાઝની યાદમાં બનાવવામાં આવ્યો હતો, તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલો છે
ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ- કાશી વિશ્વનાથ મંદિર વિવાદની વચ્ચે હવે આગરાના તાજમહેલ પણ ચર્ચામાં આવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેચમાં તાજમહેલને લઇને એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલના 22 રૂમ ખોલવામાં આવે જેથી ખબર પડે કે તેમની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં? તાજમહેલ ફારસી, ભારતીય અને ઇસ્લામીક વાસ્તુકળાની અનોખી શૈલીથી બનેલો તાજમહેલને પ્રેમની નિશાની ગણવામાં આવેછે. એવો દાવો કરવામાં આવે છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્નિ મુમતાઝની યાદમાં યમુના કિનારે સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યો હતો. તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલ છે. 1666માં શાહજહાંનું મૃત્યુ થઇ ગયુ, પરંતુ વિવાદ તો ચાલુ જ રહ્યો.
- Advertisement -
ક્યાંથી થઇ તાજમહેલ વિવાદની શરૂઆત?
તાજમહેલને લઇને વિવાદની શરૂઆત ઇતિહાસકાર પીએન ઓકની બૂક ટ્રૂ સ્ટોરી ઓફ તાજથી શરૂ થયો હતો. આ બૂકમાં તાજમહેલને શિવ મંદિર હોય તેવા કેટલાય દાવા કરવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારોનો દાવો છો કો તાજમહેલમાં મુખ્ય મકબરા તેમજ ચમેલી ફર્શની નીચે 22 રૂમ બનેલા છે, જેને બંધ કરવામાં આવ્યા છે. ઇતિહાસકારોનું માનવું છે કે, ચમેલી ફર્શ પર યમુના કિનારા પાસેના બેઝમેન્ટની નીચે જઇને બે જગ્યા પર સીડીઓ બનેલી છે, જેના પર લોખંડની જારી લગાવીને બંધ કરવામાં આવ્યુ છે. લગભગ 45 વર્ષ પહેલા સુધી સીડીની નીચેના રસ્તા ખુલેલા હતા. જેના 22 રૂમ ખોલવાની અરજી દાખલ કરવામાં આવી છે. વચ્ચે તો એવી અફવા ફેલાઇ હતી કે, તાજમહેલ એક તેજોમહાલય છે અને હિંદુઓની આસ્થઆનું કેન્દ્ર છે. આ વાતને પુરવાર કરતો એક ઠસ પુરાવો હમણાથી સોશ્યલ મીડીયા પર ફરી રહ્યો છે. એ સમયના એક ઇતિહાસકાર પુરૂષોતમ નાગેશ ઓકનું એક પુસ્તકની ફાઇલ સામે આવી છે, જેમાં એવી વાતો અને ચિત્રો રજુ કરવામાં આવ્યા છે. જેનાથી તાજમહેલ માનસિંહનો મહેલ અને તેજોમય શિવાલય હોવાની વાત સાબિત થઇ શકે. આ પુસ્તકનું નામ “તાજમહેલ હિન્દુ રાજભવન હતો”. આ પુસ્તકમાં તાજમહેલના બાંધકામની શૈલી, તેમાં વપરાયેલા પથ્થરો, રેતી અને વિવિધ પદાર્થો, તેમજ તેમાં સીડી નીચે આવેલા 22 રૂમના રહસ્યને સચોટ પુરાવા સાથે દેખાડીને તાજમહેલ કોઇ મુસ્લિમન રાજાના પ્રેમનું પ્રતિક નહીં, પરંતુ તેજોમય શિવાલય હોવાનું લેખકે સાબિત કર્યુ છે.
- Advertisement -
માનસિંહના મહેલનાં તર્ક-વિતર્ક
અરજીકર્તાએ માગણી કરી છે કે ભારતીય પુરાતત્વ સર્વક્ષણને મંજુરી આપવામાં આવે કે તાજમહેલની અંદરના 22 રૂમ ખોલે, જેમાંથી ખબર પડે કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખો છુપાયેલા છે કે નહીં? રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનું માનવું છે કે, ઇ.સ.1600ની સદીમાં આવેલા તમામ પ્રવાસીઓ પોતાની યાત્રાના વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે. તાજમહેલ ઇ.સ. 1653માં બનાવવામાં આવ્યો હતો, વર્ષ 1651માં ઓરંગઝેબનો એક પત્ર સામે આવ્યો જેમાં એ લખવામાં આવ્યુ છે કે અમ્મીના મકબરાનું સમારકામ કરાવવાની જરૂર છે, આવી તમામ બાબતોના આધારે એવું જાણવા મળ્યું કે, તાજમહેલના આ 22 બંધ રૂમમાં શું છે?
કોઇ પણ મુસ્લિમ ઇમારતને મહેલ કહેવાય નહીં, મહેલ હિંદુ શબ્દ છે!
દુનિયાના કોઇ પણ મુસ્લિમ ઇમારતને મહેલ કહેવામાં આવતો નથી. આમ પણ મહેલ હિંદુ શબ્દ છે. જે દેશમાંથી મુઘલ ભારત આવ્યા ત્યાં કોઇ પણ મહેલ જોવા મળતા નથી, તો તેમને મહેલ બનાવવાની ટેકનિક કેવી રીતે ખબર પડે?
પુરૂષોતમ નગેશની આ સંશોધનથી ડરીને ઇન્દિરા ગાંધી દ્વારા કેટલાય રહસ્યોને છુપાવવા માટે તેમણે તે સમયે ગુપ્ત ઇંટોથી દરવાજાને બંધ કરી દીધો હતો. આ જોઇને કોઇને પણ પ્રશ્ન થાય કે, મકબરામાં ગુપ્ત રૂમ બનાવવાનો ઇરાદો શું હોય શકે?
આખું વિશ્ર્વ આ દગામાં જીવી રહ્યું છે.આ સુંદર તાજમહેલને મુઘલ બાદશાહ શાહજહાએ બનાવ્યો છે. તાજમહેલ પ્રારંભથી જ બેગમ મુમતાઝનો મકબરો નહોતો, પરંતુ એક હિંદુ પ્રાચીન શિવ મંદિર છે, જેને ત્યારે તેજો મહાલય કહેવામાં આવતું હતું.
પોતાના સંશોધન દરમ્યાન સંશોધક ઓકએ શોધ્યું કે, આ શિવ મંદિર શાહજહાએ જયપુરના મહારાજા જયસિંહએ ગેરરીતિથી લઇ લીધું હતુ અને તેના પર કબ્જો કરી લીધો હતો. કોઇ પણ આ જ સુધી પી.એન.ઓકને ચેલેન્જ આપવા આવ્યું નથી, કારણકે તેમણે આપેલા તથ્યો અને પ્રમાણોને નજરઅંદાજ કરી શકાય નહીં.
તાજમહેલ પ્રારંભથી જ બેગમ મુમતાઝનો મકબરો નહોતો, પરંતુ એક હિંદુ પ્રાચીન શિવ મંદિર છે, જેને ત્યારે તેજો મહાલય કહેવામાં આવતું હતું
તાજમહેલમાં મળ્યાં હિંદુ ધર્મનાં પ્રતિકો અને નિર્માણ શૈલીની ઝલક
તાજમહેલના શિખર પર કળશ અનેત્રિશુલ છે, હિંદુ ધર્મ અનુસાર જેને શિવજીનું પ્રતિક માનવામાં આવે છે.
તેમની દિવાલ પરના ચિત્રમાં ફૂલની ડિઝાઇનમાં ૐ કોતરવામાં આવ્યું છે. જેને સનાતન ધર્મનું પ્રતિક માનવામાં આવે છે.
તાજમહેલના પ્રવેશદ્વાર પર લાલ કમળના ફુલો બનાવવામાં આવ્યા છે. કોઇ પણ મુસ્લિમ સનાતન ધર્મના પ્રતીક કમળને પ્રવેશદ્વાર પર દોરે નહીં.
સૌપ્રથમ તાજમહેલના નિર્માણની શૈલી પ્રમાણે છતને વૈદિક જ્યોમિતી વિધીથી બનાવવામાં આવી છે. આ વૈદિક જ્યામિતી રૂપરેખાનું ચિત્ર આપણા અનેક હિંદુ વારસામાં ફણ જોવા મળે છે.
તાજમહેલની અંદર પાણીનો કુવો છે. આ કુવાનો અર્થ એ છે કે, મહેલમાં રહેનારા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવી.
તાજમહેલની નીચેના ભાગે સંગેમરમરના 22 રૂમ બનાવવામાં આવ્યા છે. જે કોઇ વિશાળ રાજમહેલ હોવાની સાક્ષી આપે છે. કારણકે એક કબરની નીચે આટલા મોટા રૂમની શું જરૂર હોય? જયારે મુસ્લિમ મકબરામાં કોઇ રહેતું જ નથી, તો રૂમનું શું કરે?
તાજમહેલની પાછળ જોવામાં આવે તો, વિશાળ દરવાજા અને બારીઓ નજરે પડે છે, કોઇ કબ્રમાં આટલા વિશાળ દરવાજા અને બારીનું શું કામ હોય?
તાજમહેલમાં વૈદિક શૈલીથી નિર્માણ કરેલ એક ગલિયારી છે, જેનો અર્થ કે મહેલમાં રહેનારા લોકો માટેનો આ ફરવા માટેનો રસ્તો છે.
તાજમહેલના મકબરા પાસે સંગીતાલય છે, જે એક વિરોધાભાસ છે. દુનિયામાં કોઇ પણ મકબરા પાસે સંગીત વગાડવા માટે સંગીતાલય જોવા મળતુ નથી.
તાજમહેલના રહસ્યોને છૂપાવવાનો ઇન્દિરા ગાંધીએ પ્રયાસ કર્યાના આક્ષેપ
પુરૂષોતમ નગેશની આ સંશોધનથી ડરીને ઇન્દિરા ગાંધી દ્વારા કેટલાય રહસ્યોને છુપાવવા માટે તેમણે તે સમયે ગુપ્ત ઇંટોથી દરવાજાને બંધ કરી દીધો હતો. આ જોઇને કોઇને પણ પ્રશ્ન થાય કે, મકબરામાં ગુપ્ત રૂમ બનાવવાનો ઇરાદો શું હોય શકે?
વિદેશી ઇતિહાસકારોના મંતવ્યો
ન્યૂયોર્કના પુરાતત્વવિદ પ્રો. મર્વિન મિલરએ તાજની યમુના તરફની દરવાજાની બારીની લાકડાની કારબન ડેટિંગના આધાર પર વર્ષ 1985માં આ વાત સિદ્ધ કરી કે, આ દરવાજો ઇ.સ. 1359ની આસપાસ એટલે કે શાહજહાના કાળથી લગભગ 300 વર્ષ જુનો છે.
મુમતાઝનું મૃત્યુ ઇ.સ. 1631માં થયું હતુ. એ જ વર્ષના અંગ્રેજી પ્રવાસી પીટર મુંડીનો લેખ પણ આ વાતનું સમર્થન કરે છે કે, તાજમહેલ મુઘલ બાદશાહના પહેલા એક અતિમહત્વપૂર્ણ મહેલ હતો.
યૂરોપીયન પ્રવાસી જોન એલ્બર્ટ મૈનડેલસ્લોએ વર્ષ 1638મા(મુમતાઝના મૃત્યુના 7 વર્ષ પછી) આગ્રા પ્રવાસ કર્યો અને આ શહેરનો સંપૂર્ણ વૃત્તાંત કર્યો છે, પરંતુ તેમણે કયાંક પણ તાજમહેલનો ઉલ્લેખ કર્યો નથી. એવી અફવા છે કે તાજનું નિર્માણ કાર્ય ઇ.સ. 1631થી 1651 સુધી ઝડપથી ચાલી રહ્યું હતુ.
શાહજહાના ‘બાદશાહનામા’ પુસ્તકમાં સંપૂર્ણ વૃત્તાંત
શાહજહાના દરબારી લેખક “મુલ્લા અબ્દુલ હમીદ લાહૌરી” એ પોતાના “બાદશાહનામા”માં મુઘલ શાસક બાદશાહના સંપૂર્ણ વૃતાંત 1000થી વધારો ભાગોમાં લખવામાં આવ્યો છે, જેમાં ભંગ એકના પેઇઝ 402 અને 403 પર આ વાતનો ઉલ્લેખ છે કે, શાહજહાની બેગમ મુમતાઝ-ઉલ-જમાની જેમને મૃત્યુ પછી, બુરહાનપુર મધ્યપ્રદેશમાં અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યા હતા અને તેમને 6 મહિના પછી, તારીખ 15 જમદી-ઉળ-અઉવલ શુક્રવારના દિવસે અકબરાબાદ આગરા લાવવામાં આવ્યા. પછી તેમને મહારાજા જયસિંહ પાસે લઇ જવામાં આવ્યા, આગરામાં આવેલા એક અસાધારણ રૂપથી સુંદર અને શાનદાર ભવનમાં ફરીથી દફનાવવામાં આવ્યા. લાહોરીના અનુસાર રાજા જયસિંહ પોતાના પુરખોની આ ભવ્ય મહેલથી ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ બાદશાહના દબાવમાં આવીને તેઓ આ માટે તૈયાર થયા.
જ્ઞાનવાપી બાદ ટીપુ સુલતાને બનાવેલી મસ્જિદ પર વિવાદ
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ કર્ણાટકના રંગપટ્ટનની જામા મસ્જિદને હિંદુ સંગઠનોએ હનુમાન મંદિર ગણાવ્યું છે. જે ટીપુ સુલતાને બનાવી હતી. હિંદુ સંગઠનોએ એવી માંગ કરી છે કે, મસ્જિદ પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. જ્યારે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે પણ વિવાદ ચાલી રહ્યો છે. મથુરાની અદાલતે ઈદગાહ મસ્જિદને સીલ કરવાની અરજીને સ્વીકારી લીધી છે.