10 લાખ નોકરીઓ પેદા થવાની સાથે સાથે અનેક ક્ષેત્રોમાં રોકાણને ગતિ મળશે: પીએમ મોદીએ ઐતિહાસિક ડીલ ગણાવી
ભારત અને ચાર દેશોના યુરોપીય સમુહ યુરોપીય મુક્ત વ્યાપાર સંઘ (ઈએફટીએ) વચ્ચે થયેલ મુક્ત વ્યાપાર સમજુતી અને દ્દષ્ટિએ લાભકારી થશે, આથી 10 લાખ નોકરીઓ પેદા થશે સાથે સાથે અનેક ક્ષેત્રોમાં રોકાણને ગતિ મળશે એટલું જ નહી સ્વીસ ઘડિયાળો, ચોકલેટ, બિસ્કીટ, વોલ કલોક જેવા ઉચ્ચ ગુણવતાવાળા સ્વીસ ઉત્પાદનો પર કસ્ટમ ડયુટી સમાપ્ત થતા અથવા તો સાવ ઘટી જતા ભારતમાં સસ્તા થઈ જશે.
- Advertisement -
આ સમજુતી અંતર્ગત બન્ને ભાગીદારો વચ્ચે ટ્રેડમાં સામેલ વસ્તુઓની અધિકતમ સંખ્યા પર કસ્ટમ ડયુટીને ઘણી ઘટાડીને કે ઓછી કરવામાં આવે છે. સમજુતીમાં EFTA બ્લોક આગામી 15 વર્ષમાં ભારતમાં 100 બિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરશે. યુરોપીય મુક્ત વ્યાપારસંઘ (ઈએફટીએ)ના સભ્ય દેશોમાં આઈસલેન્ડ, લીશટેંસ્ટીન, નોર્વે અને સ્વીટઝર્લેન્ડ સામેલ છે.
વડાપ્રધાન મોદીએ આ સમજુતીને ઐતિહાસિક બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ એક મુક્ત, નિષ્પક્ષ અને સમાનતાવાળા વેપાર માટે અમારી સંયુક્ત જવાબદારી છે. જયારે EFTA એના સભ્યોનું કહેવું છે કે આ ડીલથી તેને એક મુખ્ય બજાર સુધી પહોંચવાની તક મળી છે. ભારતને વધુ રોકાણ મળશે, જેથી નોકરીઓમાં વધારો થશે. આ ડીલથી અનેક ક્ષેત્રોમાં રોકાણને ગતિ મળશે. ફાર્મા-મેડીકલ ચીકીત્સાના સાધનો, ફુડ પ્રોસેસીંગ અને સેવા ક્ષેત્રોમાં રોકાણ વધશે.
શું છે મુક્ત વ્યાપાર સમજુતી?: આ બે કે તેથી વધુ દેશો વચ્ચે એક એવી વ્યવસ્થા છે, જયાં તેઓ ભાગીદાર દેશો સાથે વ્યાપાર કરવામાં આવતી વસ્તુઓ પર કસ્ટમ ડયુટી ખતમ કરી દે છે અથવા ઘટાડી નાંખે છે.
- Advertisement -