આજે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી-અમિત શાહથી લઇને 7 રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ વડાપ્રધાન અમદાવાદ ખાતે આવી ગયા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જણાવી દઇએ કે, આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આથી આજે અમદાવાદ એરપોર્ટ ખાતે અનેક VVIP મહેમાનો આવશે.
- Advertisement -
શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. રવિવારના રોજ ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી પણ આવી ગયા હતા. શપથવિધિમાં 7 રાજ્યોના મુખ્યમંત્રી ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં હાજર રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહેશે.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલ સગીરાવસ્થાથી જ RSS સાથે જોડાણયા હતાં. તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ અને AMC સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન પણ રહ્યા હતાં. 2015 થી 2017 સુધી AUDAના ચેરમેન તરીકે સેવા આપી છે. AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને 2017માં ઘાટલોડિયા બેઠક પર જીત્યા તેઓ 2017માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટાયા હતાં. 2017માં તેઓ 1.17 લાખ મતથી જીત્યા હતા અને સપ્ટેમ્બર 2021માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા તેમજ 2022ની ચૂંટણીમાં પણ રેકોર્ડબ્રેક માર્જિનથી જીત મેળવી છે.
મંત્રીમંડળના શપથ માટે આ ધારાસભ્યોને ફોન આવ્યા હતા
તમને જણાવી દઇએ કે, મંત્રીમંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં ઋષિકેશ પટેલ,કનુભાઈ દેસાઈ,રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા,પુરુષોત્તમ સોલંકી,કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા,કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત,બચુ ખાબડ, જગદીશ પંચાલ,ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ,હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરાશે. શપથવિધિ બાદ કેબીનેટની બેઠકમાં ખાતાની પણ ફાળવણી કરાશે.
- Advertisement -