By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    3 hours ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    2 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    4 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    5 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    3 hours ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    4 hours ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    1 day ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    1 day ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 day ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    5 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
Dr. Sharad Thakar

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

Khaskhabar Editor
Last updated: 2026/01/17 at 5:03 PM
Khaskhabar Editor 11 minutes ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ સોમનાથથી સ્વાભિમાન પર્વનો શુભારંભ કર્યો તે જોઈને મારાં મનમાં મિશ્ર ભાવો જન્મ્યાં. આજથી 1000 વર્ષ પહેલાં લગભગ 2500 કિલોમીટરનું અંતર કાપીને ધર્મ ઝનૂની, શૈતાની દિમાગ ધરાવતો, જાહિલ, ગમાર, અસંસ્કારી, મહેમુદ ગઝનવી વિશાળ સૈન્ય લઈને સોમનાથ ભગવાનના મંદિર પર ચડી આવ્યો. ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું. સોમનાથનું જ્યોતિર્લિંગ તોડીને, એના ચાર કકડા કરીને, અબજો રૂપિયાનું ધન લૂંટીને રવાના થઈ ગયો. તેની સાથે આવેલા ઇતિહાસકારો અલ બૈરુની અને કુતબી દ્વારા લખાયેલા ગ્રંથોમાંથી તે સમયની ઘટનાઓનું વિવરણ વાંચવા મળે છે. આપણે જેને સોમ અર્થાત્ ચંદ્રમા દ્વારા સ્થાપિત જ્યોતિર્લિંગ માનીને પૂજતા રહ્યા તે શિવલિંગનું આપણે રક્ષણ કરી શક્યા નહીં. મસ્જિદના દાદર પર જડાયેલા શિવલિંગના એક ભાગ પર પગ મૂકીને વીતેલા એક હજાર વર્ષોમાં કરોડો વિધર્મીઓ પસાર થઈ ગયા. આપણી લાગણીને દુ:ખ અને આઘાત પહોંચતા રહ્યા. દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી મેં માત્ર એક જ જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે અને તે છે ભગવાન સોમનાથ. ત્રણ મહિના માટે મેં વેરાવળની હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી હતી ત્યારે અનેક વાર સોમનાથના દર્શન કરવા ગયો હોઈશ. એક વાતની નિખાલસ કબૂલાત કરું છું કે જ્યારે-જ્યારે ભગવાન સોમનાથના દર્શન કરવા માટે બે હાથ જોડીને ઊભો રહ્યો છું ત્યારે-ત્યારે મારા મનમાં મૂળ જ્યોતિર્લિંગ ઉપર ઓજાર વીંધતો મહેમુદ ગઝનવી તાદૃશ્ય થયો છે. મારા મનમાં દરેક પ્રસંગે એ વિચાર ઉઠ્યો છે કે હું જેના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યો છું તે શિવલિંગ તો માનવ રચિત છે. આ ઑરિજનલ જ્યોતિર્લિંગ નથી. એક મ્લેચ્છ યવન આવીને આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન શિવલિંગના કકડા કરી ગયો ત્યારે ભગવાન શંકર એને બચાવવા માટે કેમ ન આવ્યા? આ સવાલનો જવાબ સમજણ વિકસિત થયા પછી મળ્યો કે ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. આપણા ધર્મસ્થાનોનું રક્ષણ માત્ર શ્રદ્ધાથી નહીં થાય, આપણે એના માટે સામર્થ્ય પણ કેળવવું પડશે. તો પછી આ સ્વાભિમાન પર્વ શા માટે? આખું વર્ષ એ ઘટનાને યાદ કરાવવા માટે કે એક લુટારો આવીને સોમનાથનું લિંગ તોડી ગયો હતો? આવી ઝાકઝમાળ, એનું જીવંત પ્રસારણ, કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતા પૂર, આ બધું સાવ વ્યર્થ નથી જવાનું. ગઈ કાલે પાકિસ્તાન ટીવી ચેનલ પરની એક ડિબેટ જોતો હતો. એક મુસ્લિમ ચિંતકને મેં નિખાલસતાપૂર્વક કબૂલાત કરતાં જોયો અને સાંભળ્યો. ભગવાન શિવજીનો મહિમા અને એનું દર્શન નિહાળીને એણે કહ્યું, “હિન્દુ મહાન ધર્મ છે. આપણે પણ હિન્દુ હતા પણ આપણે આપણો બાપ બદલ્યો”. એક સમાન ઉગઅ ધરાવતાં આપણા જ ભાઈઓએ સદીઓ પહેલાં બીજો ધર્મ અપનાવ્યો એ માટેના સાચા કારણો આપણે જાણતા નથી. મૃત્યુના ભયથી ડરી જઈને, ધનની લાલચથી કે ખરી આસ્થાથી મૂળ હિન્દુઓએ ધર્મ પરિવર્તન કર્યું હોઈ શકે. આજે એમાના કેટલાંક લોકો હિન્દુ ધર્મની મહાનતાને પ્રમાણે, સ્વીકારે અને જાહેરમાં કબૂલ કરે કે, “હમને અપના બાપ બદલા હૈ.” ત્યારે આ શબ્દોના પડછાયામાંથી મને ભગવાન સોમનાથનું સ્વાભિમાન જાગ્રત થતું દેખાય છે. આપણે હિન્દુઓ ક્યારેય બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતા કે નથી વિચારતા, આપણે માત્ર બીજા ધર્મો દ્વારા આપણા ધર્મની સ્વીકૃતિ જ ઈચ્છીએ છીએ.

You Might Also Like

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે તે ક્ષણથી મનુષ્ય કર્મ ફળથી મુક્ત થઈ જાય

જ્યારે સમય નહોતો ત્યારે શિવ હતા: બ્રહ્માંડના સર્જનની આધ્યાત્મિક પરિભાષા

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
Next Article એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Dr. Sharad Thakar

કર્તાભાવ વિસરીને સાક્ષીભાવ ધારણ કરે તે ક્ષણથી મનુષ્ય કર્મ ફળથી મુક્ત થઈ જાય

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Dr. Sharad Thakar

જ્યારે સમય નહોતો ત્યારે શિવ હતા: બ્રહ્માંડના સર્જનની આધ્યાત્મિક પરિભાષા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?