સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થમાં બે દિવસ પેહલા જેતપુરનો એક પરિવાર પિતૃ કાર્ય માટે આવેલ હતો. જેમાંએ પરિવારના વૃદ્ધ નીલાભાઈ મામપરા માનસિક અસ્થિર હોય તેથી અચાનક પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલ. ત્યારે તેમના પરિવાર દ્વારા કલાકોની શોધખોળ બાદ પણ નીલાભાઈની ભાળ ના મળતા તેમના પરિવારે સુત્રાપાડા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી.
જેતપુરના ગુમ થયેલ વૃદ્ધ ને શોધવા સુત્રાપાડા પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગળચરની સૂચના અનુસાર પોલીસ સ્ટાફ કામે લાગેલા ત્યારે ટીંબડી ગામ પાસે ચેકપોસ્ટ સ્ટાફ તેમની કામગીરીમાં હોય ત્યારે તેમને પ્રાચી 108 એમ્બ્યુલન્સનાં કર્મચારી નરેશભાઈ દ્વારા માહિતી મળેલ કે કૃપાલુ સ્કૂલ નજીક એક અજાણ્યા વૃદ્ધ રસ્તા પર જોવા મળેલ છે. માહિતી મળતાં જ ત્યાં જઈને તપાસ કરી જોતા નીલાભાઈ મળી આવેલ અને તુરંત સુત્રાપાડા પોલીસનાં સ્ટાફે તેમનો પરિવાર સાથે ભેટો કરાવી સહારનીય કામગીરી કરી હતી.