અમૃતસરમાં સ્કૂલો ખુલી, ફ્લાઇટ્સ શરૂ, એરપોર્ટ પર પહેલી ફ્લાઇટ લેન્ડ થઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પઠાણકોટ કેન્ટ રેલવે સ્ટેશન પરથી ગઈ રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ પૂજા એક્સપ્રેસમાં જમ્મુથી પઠાણકોટ આવી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસથી મળેલા ઇનપુટ્સના આધારે, પઠાણકોટ રેલવે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ ઝડપી લીધો હતો. પઠાણકોટ રેલ્વે પોલીસ અધિકારી સુખવિંદર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર રેલવે પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ, સ્ટેશન પર સતર્કતા વધારી દેવામાં આવી હતી. ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને કઠુઆ જીઆરપીને સોંપવામાં આવ્યો. તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી, પહેલી પેસેન્જર ફ્લાઈટ ગઈ રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઇટ કતાર એરવેઝની હતી. આ પછી, ઇન્ડિગો એરલાઇન્સે પણ બુધવારથી પંજાબ માટે ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.
અમૃતસર અને પઠાણકોટમાં પણ સ્કૂલો આજે સવારે ખુલી ગઈ છે. જોકે, ગુરદાસપુરના સરહદી ગામડાઓમાં સ્કૂલો 20મે સુધી બંધ રાખવામાં આવી છે. બોલિવૂડ અભિનેતા કરણ કુન્દ્રાએ આદમપુર એરબેઝની મુલાકાત અંગે પીએમ મોદીની પ્રશંસા કરી હતી.
- Advertisement -
PM નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. અહીં તેઓ વાયુસેનાના જવાનોને મળ્યા. આ દરમિયાન, બે જવાનોએ પીએમ સાથે વાત કરતી વખતે શાયરના અંદાજમાં પાકિસ્તાન પર કટાક્ષ કર્યો. યુવાને કહ્યું-હું મારી કલમથી આગ લગાવી દઈશ… દુશ્ર્મનો સાવધાન, ભારતના યુવાનો કોઈ પરમાણુ બોમ્બથી ઓછા નથી. જવાને વધુમાં કહ્યું- અહીં સેનાના જવાનોમાં દિવસ-રાત ભૂખ્યા-તરસ્યા રહીને દુશ્ર્મનો સામે લડવાની સંપૂર્ણ ભાવના છે, આ એરફોર્સ સ્ટેશન આદમપુર છે જે દરેક પગલે તમારી સાથે ઉભું છે. આ દરમિયાન મોદીએ જવાનના ખભા પર ત્રણ વાર થપથપાવ્યું હતું. આ પછી બીજા જવાને શાયરના અંદાજમાં કહ્યું-સેનાને નુકસાન પહોંચાડવાની તૈયારી હતી, અમે તેમની છાતી પર ચઢી ગયા અને તેમને બતાવ્યું કે અમારા વીરોની કેવી તૈયારી છે. જે બાદ મોદીએ 28 મિનિટ સુધી સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું, ‘ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવવાથી ફક્ત એક જ પરિણામ આવશે – વિનાશ અને મહાવિનાશ.’ જે પાકિસ્તાની સેનાના ભરોસે આ આતંકીઓ બેઠા હતા, તે પાક. સેનાને ભારતની સેના, એરફોર્સ અને નેવીએ ધુળ ચટાડી દીધી છે.
તેમણે કહ્યું-પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિના શ્ર્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને તમારા પર હુમલો કરીશું અને તમને ભાગવાનો મોકો પણ નહીં આપીએ. આપણા ડ્રોન અને મિસાઇલો વિશે વિચારીને પાકિસ્તાને ઘણા દિવસો સુધી ઊંઘ નહીં આવે. મોદીએ કહ્યું- ભારત માતા કી જય મેદાનમાં અને મિશનમાં પણ ગુંજે છે પીએમ મોદીએ કહ્યું- જ્યારે ભારતીય જવાનો ભારત માતા કી જયના નારા લગાવે છે, ત્યારે દુશ્ર્મનનું હૃદય કંપી જાય છે. જ્યારે આપણા દળો પરમાણુ બ્લેકમેલની ધમકીને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી પૃથ્વી પર ફક્ત એક જ વાત ગુંજતી રહે છે… ભારત માતા કી જય.