બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આજે પહેલી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે તેમણે અલવિદા કહ્યું છે. તેમણે પહેલી પુણ્યતિથિ પર બોલિવૂડ અને ટીવી સેલેબ્સ સોશિયલ મીડિયા થકી તેમને યાદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના મોતની તપાસ દેશની ત્રણ મોટી એજન્સીઓ કરી રહી છે.
અભિનેતા ગુરમીત ચૌધરીએ સુશાંતનો ફોટો શેર કરીને આપી શ્રદ્ધાંજલિ
અર્જૂન બિજલાનીએ સુશાંતનો જૂનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું મારા દોસ્ત તું હંમેશા મિલિયન લોકોના દિલમાં જીવતો રહ્યો છે. મને વિશ્વાસ છે કે તું ખુશ છે અને પોતાની ખુશહાલ જગ્યા પર છો.
- Advertisement -
ભુમિ પેડનેકરે સુશાંત ની વાતોને યાદ કરીને લખ્યું હતું કે, તમારી યાદ આવે છે. તમારા સવાલ અને એ બધુ જ જેના વિશે આપણે વાત કરી. સિતારઓથી લઈને અજાણી વસ્તુઓ સુધી, તમે મને એવી દુનિયા દેખાડી, જે મેં ક્યારે નથી જોઈ. મને આશા છે કે તમને શાંતિ મળી ગઈ છે. મેરે જિજ્ઞાસુ પ્રેમ એસએસઆર.. ઓમ શાંતિ..
મુકેશ છાબડાના સુશાંતને યાદ કર્યા
સુશાંતના ફિલ્મ દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડાએ લખ્યું પહેલા જેવું કંઈ જ નથી.. તમે તમારા પાછળ શૂન્ય છોડ્યું છે. જે અભી પણ બન્યા છયા. ઉમ્મીદ છે કે હું તમને એકવાર ફરીથી દેખી શકું, મિસ યુ બ્રધર.
રણવીર શૌરીને શેયરથી થ્રોબેક ફોટ
સોનિચિરૈયા ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રણવીર શૌરીના થ્રોબેક ફોટો શેર કરીને લખ્યું.. અપના કર્જા તો ઉતાર ગયો હમે યહીં છોડ ગયો બીહડન મેં..”
- Advertisement -
સુશાંતની મોતના એક વર્ષ પછી સુન્ન છે અભિષેક કપૂર
કોઈ પો છે અને કેદારનાથમાં સુશાંતની સાથ કામ કરી ચૂક્યા ડાયરેક્ટ અભિષક કપૂરના દિવંગત અભિનેતાની ફોટ શેરની અને કેપ્શનમાં લખ્યું, આજ એક વર્ષ અભી પણ સુન્ન છું.
અંકિતા લોખંડેના કર્યું હવન
અંકિતા લોખંડેના ઘર ઉપર હવન કર્યું. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ ઉપર હવનનો ફોટો રજૂ કર્યો.
સુશાંત રાજપૂત ના મોત નું આજે એક વર્ષ પૂર્ણ: ભણવામાં હોશિયાર, કોલેજમાં ટોપર,અવકાશ વિજ્ઞાન નું જ્ઞાન હતું, જાણો તેના જીવન વિશે
બોલિવૂડના ઉભરતા સ્ટાર્સમાંના એક સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું હતું. તે 34 વર્ષનો હતો અને બોલિવૂડમાં પોતાની પકડ બનાવતો હતો. સુશાંતના મૃત્યુ પછી કહેવામાં આવ્યું કે તે ડિપ્રેશનનો શિકાર છે. સુશાંતના મૃત્યુનું કારણ ગમે તે હોય, તેના ચાહકો અને નજીકના મિત્રો તેમને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખતા હતા.
સુશાંતસિંહ રાજપૂત અભિનયમાં કુશળ કલાકાર હતા, જ્યારે તે અભ્યાસમાં પણ હોશિયાર હતા. મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા સુશાંતે ઓલ ઇન્ડિયા એન્ટ્રેન્સ એક્ઝામમાં ૭મો ક્રમ મેળવ્યો હતો. આજે અમે તમને તેના કોલેજ જીવન વિશે જણાવી રહ્યા છીએ. એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં 7th મો ક્રમ પ્રાપ્ત કર્યા પછી, તેણે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. જે પછી તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. પછી તે ગ્લેમરની દુનિયામાં આગળ વધવા લાગ્યો.
સુશાંતે એક ટીવી શોમાં તેની કોલેજ જીવન વિશે ખુલ્લેઆમ વાત કરતા કહ્યું, જ્યારે હું ડીસીઇમાં ભણતો હતો, ત્યારે હું મારી કોલેજમાં એક સારા વિદ્યાર્થી તરીકે જાણીતો હતો, પરંતુ મને પ્રથમ સેમેસ્ટરમાં હોસ્ટેલમાંથી કાઢી મુકાયો હતો.સુશાંતે જણાવ્યું કે અમારી કોલેજ નો એક નિયમ હતો. જેમાં સાંજે 7 વાગ્યા પછી હોસ્ટેલમાં એન્ટ્રી મળતી ન હતી. તેથી જ્યારે હું સવારે નીકળતો ત્યારે બીજે દિવસે સવારે મારે હોસ્ટેલમાં પાછા આવવું પડતું હતું.
સુશાંતે કહ્યું હતું કે મને શરૂઆતથી જ એન્જિનિયરિંગમાં રસ હતો. પરંતુ જ્યારે ત્રીજા વર્ષે છઠ્ઠા સેમેસ્ટરમાં છ મહિના બાકી હતા, ત્યારે અભ્યાસ છોડી દીધો. પટણામાં ઉછરેલા સુશાંત સિંહ રાજપૂતે શહેરની સેન્ટ કેરોન હાઇ સ્કૂલ અને નવી દિલ્હીની હંસરાજ મોડેલ સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું. 12 પછી તે એન્જિનિયરિંગ લાઈનમાં ગયો. એન્જિનિયરિંગ દરમિયાન તેણે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે શરૂઆતથી જ ડાન્સ કર્યો.
વર્ષ 2008 માં બાલાજી ટેલિફિલ્મ્સની ટીમે તેમને કિસ દેશ મેં હૈ મેરા દિલ માટે પસંદ કર્યા અને ત્યારબાદ સુશાંતની નવી સફર શરૂ થઈ. આ પછી તે પવિત્ર રિશ્તા સીરિયલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલ છોડ્યા બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.
સુશાંતે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ‘કાઈપો છે’ ફિલ્મથી કરી હતી. જો કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં મુખ્ય ભૂમિકા ભજવીને તેને સૌથી વધુ ખ્યાતિ મળી. ગયા વર્ષે ૧૪ જુન ના રોજ તેનો મૃત્દેહ તેના ફલેટમાંથી મળી આવ્યો હતો. જે બાદ હત્યા કે આત્મહત્યા અંગે અનેક સવાલો ઉભા થયા અને પોલીસ તપાસમાં આત્મહત્યા હોવાનું જ સામે આવ્યું હતું.