By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    1 hour ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    2 hours ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    24 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    1 day ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NIAએ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને યુએસથી દેશનિકાલ કર્યા પછી ધરપકડ કરી
    16 minutes ago
    SIR ડ્રાઇવ વચ્ચે ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ક્રોસિંગનો પ્રયાસ કરી રહ્યા છે: BSF અધિકારી
    25 minutes ago
    બિહારમાં ફરી એજ ત્રિપુટીનું સામ્રાજ્ય રહેશે, કાલે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ
    32 minutes ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    1 hour ago
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    23 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    1 hour ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    1 day ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે બચી ગયા છે એ બીજાને બચાવે – Be The SAVIOUR!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > જે બચી ગયા છે એ બીજાને બચાવે – Be The SAVIOUR!
AuthorBhavy Raval

જે બચી ગયા છે એ બીજાને બચાવે – Be The SAVIOUR!

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 11:59 AM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આશારાખીએ કે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં તમે તમારા પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી સમય પસાર કરી રહ્યા હશો. આપ સ્વસ્થ હશો, સલામત હશો.

ભવ્ય રાવલ

છેલ્લા 1 વર્ષમાં ઘણા લોકોએ પોતાના પરિવારના સદસ્યોને ગુમાવ્યા છે. કોઈ ઘરમાં આધારસ્તંભ તુટ્યો છે તો કોઈ ઘરમાં એમના લાડક્વાયા સંતાનો ખોઈ બેઠા છે. ક્યારેય પણ કલ્પના ન કરી હોય એવી કપરી પરિસ્થિતિ માંથી આપણે સહુ પસાર થઈ રહ્યા છીએ. આજે આપણે સૌ સાથે મળીને કોઇપણ પ્રકારના ઊંચ-નીચ ના જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર આ મહામારી માંથી આઝાદ થશું. હાલની સ્થિતિમાં Social Distance રાખવાનું છે પરંતુ Socially Disconnect નથી થવાનું.

Contents
આશારાખીએ કે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં તમે તમારા પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી સમય પસાર કરી રહ્યા હશો. આપ સ્વસ્થ હશો, સલામત હશો.ભવ્ય રાવલ18 થી 60 વર્ષની ઉમરના લોકો પ્લાઝમા આપી શકે

સેવા વિશે કહેવાયું છે કે…સેવા કરો તો તન, મન અથવા ધન થી કરો. વાસ્તવમાં સેવાનો ભાવાર્થ સમર્પણની ભાવના સાથે તમારી પાસે જે કંઈપણ છે; જેટલું પણ છે, તેમાંથી આપો અને આપતા રહો. તમે જે આપી શકો તે આપો. આપવા માટે દરેક સક્ષમ છે. જયારે પણ અર્પણ કરો ત્યારે સમર્પણ ની ભાવના સાથે કરો.

- Advertisement -

ખાસ ખબર તરફથી આપ સર્વેને નમ્ર અપીલ છે, કોરોના વાયરસને જે લોકોએ મ્હાત આપી છે. એ લોકો જાગૃત બને અને અન્ય કોરોનાગ્રસ્ત લોકોને બચાવે. ટૂંકમાં એટલુ જ કે જે બચી ગયા છે એ બીજાને બચાવે. Those who survived, save others

લોકડાઉનની જરૂર નથી, આપણે સહુએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને જાગૃત થવાની જરૂર છે. પૂરેપૂરી સભાનતા અને સંવેદનાઓ સાથે આ સમયમાં ઉમદા કાર્યો કરી, બને એટલી વહેલી તકે આ મહામારી માંથી મુક્ત થવાનું છે.

18 થી 60 વર્ષની ઉમરના લોકો પ્લાઝમા આપી શકે

પ્લાઝમા આપવા ઈચ્છુક વ્યક્તિ કોરોના વાયરસ ચેપથી સાજા થયેલા હોવા જોઈએ. કોરોના વાયરસના ચેપ માંથી સાજા થયા પછી ઓછામાં ઓછા 28 દિવસ થયા હોવા જરૂરી છે. ત્યારબાદ દર 15 દિવસે એ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. (વેક્સીન લીધેલ વ્યક્તિઓ પ્લાઝમા ડોનેટ કરી શકે નહી) પુરતી સલામતી સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. એક સમયે એક જ કીટ વપરાય છે એનો ફરી ક્યારેય ઉપયોગ થતો નથી. પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ સર્જાવાની શક્યતાઓ નહીવત છે. પ્લાઝમાને એકત્રિત કરી બારકોડથી યુનિક નંબર આપી -30ઓ સેલ્સિયસ તાપમાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ કરવામાં આવે છે. અને કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિથી પીડાતા હોય એ દર્દીને જરૂરી તપાસ બાદ પ્લાઝ્માની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેથી કરીને એ ગંભીર પરિસ્થિતિવાળા દર્દીનું જીવન બચી શકે.. રાજકોટ માં રહેતા યુવા શિક્ષક દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવેલ છે. કોરોનાની બીજી લહેરનો કહેર દેશભર માં જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસનો આંક વધી રહ્યો છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ સારવાર માટે હેરાન થઈ રહ્યા છે. આ બીજી લહેરમાં કોરોનાથી મૃત્યુનો આંક પણ વધ્યો છે. ત્યારે જો કોરોનાને માત આપનાર લોકો આગળ આવશે તો ઘણા કોરોનાગ્રસ્ત લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય. કોરોનાથી સાજા થનાર લોકો પ્લાઝમા ડોનેટ કરીને અન્યનો જીવ બચાવી શકે છે. આવુજ એક શ્રેષ્ઠ અને ઉમદા કાર્ય કરતા રાજકોટના યુવા શિક્ષક કે જેમણે 8 વખત પ્લાઝમા નું દાન કરેલ છે. વ્રજભૂમિ પબ્લિક સ્કૂલમાં ડેપ્યુટી પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા સાગરભાઈ ચૌહાણ દ્વારા લાઈફ બ્લડ સેન્ટર – રાજકોટ ખાતે તારીખ : 21-04-2021 ના રોજ 8મી વખત પ્લાઝ્માનું દાન કરવામાં આવ્યું છે. શહેર માં દરરોજ 50 જેટલા પ્લાઝમા યુનિટ ની જરૂરિયાત રહે છે. પ્લાઝમા દાન કરી અન્યને મદદરૂપ થવા અનુરોધ. તો આપણાંમાં જાગૃતતા લાવીએ અને આપણે બચી ગયા છીએ તો બીજાનું જીવન પણ બચાવીએ.

- Advertisement -

“કોરોના મુક્ત ભારત” – આ સપનું, ખુબજ જલ્દી સાકાર થશે. સાગર ચૌહાણ, ડેપ્યુટી પ્રિન્સીપાલ, વ્રજભૂમિ પબ્લિક સ્કૂલ – રાજકોટ મો. 7405404011

Facebook: https://www.facebook.com/sagar.farishta
Instagram: http://instagram.com/sagar.farishta
Youtube: https://youtube.com/ezygot – પ્લાઝમા ડોનેશનની સમગ્ર માહિતી આપતો વિડીયો અવશ્ય જોશો. ધન્યવાદ!

શું છે પ્લાઝમા ડોનેશન?
એક ખૂબ જ સરળ પદ્ધતિ નો ઉપયોગ કરીને જે લોકોએ કોરોના ને હરાવ્યો છે તે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરી શકે છે. આ પધ્ધતિ નું નામ કોવિડ-19 કોન્વ્લ્સન્ટ પ્લાઝ્મા COVID-19 Convalescent Plasma (CCP) થેરાપી છે.

મુખ્યત્વે આપણા શરીરમાં પાંચ થી છ લીટર જેટલું રુધિર હોય છે. આ રુધિરમાં 55% પ્લાઝમા ઘટક હોય છે (જે રક્તનો મૂળભૂત ઘટક છે.) અને બાકીના 45% રુધિર કોશો આવેલા હોય છે. જેમાં રેડ બ્લડ સેલ, વ્હાઈટ બ્લડ સેલ અને પ્લેટલેટ્નો સમાવેશ થાય છે. પ્લાઝમા માં 92% પાણી હોય છે અને બાકીના 8% માં સોલીડ ઘટકો હોય છે. જેમાં સૌપ્રથમ પ્રોટીન આલ્બ્યુમીન, ગ્લોબ્યુલીન, ક્લોટીંગ ફેક્ટર, એન્ટીબોડી, ઉત્સેચકો, હોર્મોન્સ, સુગર અને ફેટ પાર્ટીકલ હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ ને કોરોના વાયરસનો ચેપ લાગે ત્યારે એ વ્યક્તિના શરીરમાં એ રોગ સામે રક્ષણ આપવા માટે એન્ટીબોડી બને છે. સારું સ્વાસ્થ્ય હોય એ વ્યકિત માં પૂરતા એન્ટીબોડી બની કોવિડ-19 રોગ સામે શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે, પરંતુ અમુક મોટી ઉંમરના અને નબળું સ્વાસ્થ્ય ધરાવતા વ્યક્તિ માં પૂરતા એન્ટીબોડી બની શકતા નથી.
તો કોરોના વાયરસની સામે બનેલા એન્ટીબોડીને કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે આપવાની પદ્ધતિ એટલે પ્લાઝ્મા થેરાપી કહેવાય છે. કોવિડ-19 ચેપથી સાજા થયેલા વ્યક્તિમાંથી એફેરેસીસ પદ્ધતિ (વૈજ્ઞાનિક રીતે શરીરની બહાર રક્તની પ્રક્રિયા કરીને જરૂરી રક્ત ઘટક મેળવવું) દ્વારા એન્ટીબોડી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા અંદાજીત સરેરાશ 40 થી 60 મિનીટનો સમય જોઈએ. એન્ટીબોડી મેળવતા પહેલા જરૂરી પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ એ એન્ટીબોડી જરૂરિયાતમંદ દર્દીમાં બ્લડ ગ્રુપ સરખાવી દાખલ કરવામાં આવે છે. આ રીતે એન્ટીબોડી વાળા પ્લાઝ્મામાંથી કોવિડ-19 દર્દી ને વાયરસ મુક્ત કરી શકાય છે.

ખાસ નોંધ:
1 પ્રથમ એક – બે કલાક માટે મોઢું સુકાતું હોય એવો અનુભવ થાય છે. તેમજ પ્લાઝમા આપ્યા પછીના 2 દિવસ સામાન્ય રીતે હોઠ સુકાય એવું બની શકે. (દરેક કેસમાં આવું બને એવું જરૂરી નથી તેમજ આ કોઈ ગંભીર વાત નથી)
2 પ્લાઝ્મા આપ્યા પછીના દિવસ તીખું અને તળેલું ખાવાનું ટાળવું.
3 જે દિવસે પલાઝમાં આપો એજ દિવસે શરીરને 3 થી 4 લીટર પાણી પૂરું પાડવું.
4 પ્લાઝ્મા આપવા જાઓ ત્યારે પૂરતો સમતોલ આહાર આરોગીને જવું.
5 જે કોરોનાગ્રસ્ત નથી થયા અને ફક્ત વેકસીન લીધેલ છે એ પલાઝમાં ન આપી શકે.
6 અન્ય કોઈ જૂની બીમારી થી પીડાતા હોય એ લોકો પ્લાઝ્મા ન આપી શકે જેમ કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર…
7 કોરોના વાયરસ માંથી મુક્ત થયા હોય અને જો વેક્સીન લીધેલ હોય તો, વેક્સીન આપ્યા પછીના 28 દિવસે એ પ્લાઝમા નું દાન કરી શકે.
8 પ્લાઝમા આપ્યા પહેલા કે આપ્યા પછીની 24 કલાકમાં નિકોટીન / આલ્કોહોલ યુક્ત પદાર્થોનું સેવન ન કરવું.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 660 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકનાર દેવ!
Next Article દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર રામાયણની મહારામાયણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

NIAએ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને યુએસથી દેશનિકાલ કર્યા પછી ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
SIR ડ્રાઇવ વચ્ચે ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ક્રોસિંગનો પ્રયાસ કરી રહ્યા છે: BSF અધિકારી
બિહારમાં ફરી એજ ત્રિપુટીનું સામ્રાજ્ય રહેશે, કાલે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ
ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?