ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 1 થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી અથવા તો અધવચ્ચે શાળા છોડનારા અને દિવ્યાંગ સહિતના બાળકોનો તા. 01 જાન્યુઆરીથી તા. 10 જાન્યુઆરી સુધી સર્વે કરવામાં આવશે. સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં સમગ્ર શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે જેમાં સૌ ભણે, સૌ આગળ વધે તેવા ધ્યેય અને સૂત્ર સાથે શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. હજુ પણ કેટલાક સ્લમ વિસ્તારના, કારખાના વિસ્તારના, ધંધા અર્થે સ્થળાંતર થતા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે, કેટલાક બાળકો પોતાની કૌટુંબિક, સામાજિક પરિસ્થિતિના કારણે શાળા અધવચ્ચેથી છોડી દેતા હોય છે ત્યારે આવા શાળા બહારના બાળકો જે પૈકી કેટલાક બાળકો કદી શાળાએ ગયા નથી, કેટલાક બાળકો ધો. 1 થી 12 માં અધવચ્ચેથી શાળા છોડીને ડ્રોપ આઉટ થયા છે અને દિવ્યાંગ બાળકો વગેરે 6 થી 19 વર્ષની વયજૂથ ધરાવતા બાળકોનો તા. 01 જાન્યુઆરીથી તા. 10 જાન્યુઆરી સુધી સર્વે હાથ ધરી એસ.ટી.પી વર્ગોમાં છૂટેલું શિક્ષણ આપી સામાન્ય શાળામાં મેઈન સ્ટ્રીમ કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાન મોરબી, એન.જી.ઓ.સી.આર. સી. બીઆરસી. શાળાના આચાર્ય, શાળાના સ્ટાફના માધ્યમથી સર્વે કરવામાં આવશે અને કોઈપણ વિસ્તારમાં આવા શાળા બહારના બાળકો મળે તો નજીકની શાળા સીઆરસી, બીઆરસી કે સમગ્ર શિક્ષા અભિયાન કચેરી, શક્તિ ચોક, મોરબીમાં લેખિત, મૌખિક કે ટોલ ફ્રી નંબર : 1800-233-3967 પર જાણ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડીનેટર પ્રવિણભાઈ અંબારિયા તેમજ જિલ્લા એસટીપી કો. ઓર્ડીનેટર મુકેશભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં 1 જાન્યુઆરીથી શિક્ષણથી વંચિત બાળકોનો સરવે
