દેશમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ઝડપથી મોતની સંખ્યા પણ વધી રહી છે. ગયા શનિવારે કોરોના વાયરસના 1890 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 210 દિવસમાં સૌથી વધારે છે.
દેશમાં કોરોના વાયરસના કેસ અને તેનાથી થતા મોતની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. ગયા શનિવારે કોરોના વાયરસના 1980 નવા કેસ સામે આવ્યા છે. જે ગયા 210 દિવસમાં સૌથી વધારે છે. છેલ્લા સાત દિવસમાં કેસોની તુલના જો તેના પહેલાના 7 દિવસ સાથે કરવામાં આવે તો કોરોના વાયરસના કેસમાં 78 ટકાની વૃદ્ધિ થઈ છે.
- Advertisement -
જ્યારે આ સમયે 19થી વધીને 29 મોત થયા છે. શનિવારે સામે આવેલા કોરોના વાયરસના કેસ ગયા વર્ષે 22 ઓક્ટોબર બાદથી દેશમાં સૌથી વધારે હતા. ત્યારે 1988 નવા કેસ નોંધાયા હતા.
છેલ્લા 7 દિવસોમાં કોરોનાના કેસમાં 78 ટકાનો વધારો
એક રિપોર્ટ અનુસાર છેલ્લા સાત દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના 8,781 નવા કેસ નોંધાયા હતા. જે તેના પછીના સાત દિવસોમાં 4,929થી 78 ટકા વધારે છે. આ ગયા અઠવાડિયામાં નોંધાયેલી 85% વૃદ્ધિના બરાબર છે.
જણાવી દઈએ કે દેશમાં છેલ્લા છ અઠવાડિયામાં કોવિડ સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં દૈનિક કેસ લગભગ આઠ દિવસોમાં બે ગણા થઈ રહ્યા છે. દૈનિક કેસોમાં સાત-દિવસીય સરેરાશ શનિવાર સુધી વધીને 1,254 થઈ ગયા. જ્યારે આઠ દિવસ પહેલા આ સંખ્યા 626 હતી.
- Advertisement -