ખેડૂતોને પાક રક્ષણ માટે જરૂરી પગલાં ભરવા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં આગની 29 મે સુધી છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોને પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે. જે અનુસાર, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે આ સાથે પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી પાકને યોગ્ય રક્ષણ યોગ્ય કરી જણસી ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી અટકાવવા પણ જણાવ્યું છે. વધુમાં ખેતી વાડી અધિકારી દ્વારા ખેડૂતોને જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા માટેની સલાહ આપી છે જેમાં ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સીમાં વેપારી અને ખેડૂત દ્વારા કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સીમા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તથા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા માટે પણ જણાવ્યું છે.