પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં સોમવારે બપોરે એક આત્મઘાતી હુમલો થતાં 20થી વધુ નમાઝીઓના મોત થયા હતા અને 90થી વધુ ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદ આતંકીઓના નિશાન પર આવી છે. સોમવારે મસ્જિદમાં એક આતંકીએ તેની જાતને વિસ્ફોટકથી ઉડાવી મૂકી હતી, જેમાં જોરદાર બ્લાસ્ટ થતા નમાઝ પઢી રહેલા 20 લોકોના ફૂરચેફુરચા ઉડી ગયા તથા ઘણા ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
- Advertisement -
Blast reported in Peshawar's police lines area. More details to follow: Pakistan's Geo English
— ANI (@ANI) January 30, 2023
- Advertisement -
મસ્જિદની છત ધરાશાયી થતા ઘણા દટાયાં
રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટના કારણે મસ્જિદની છત ધરાશાયી થઇ ગઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે નમાઝ દરમિયાન હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો. મૃ઼તકોમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. 90થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. બ્લાસ્ટ બાદ આ વિસ્તારમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યાં બ્લાસ્ટ થયો હતો તેની નજીક આર્મી યુનિટની ઓફિસ પણ છે.
#UPDATE | At least 28 people were killed and 150 were injured at a blast inside a mosque that shook Peshawar’s Police Lines area, reports Pakistan's Dawn News citing Officials
— ANI (@ANI) January 30, 2023
આગળની હરોળમાં નમાઝ પઢી રહેલા શખ્સે પોતાની જાતને ઉડાવી મૂકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેશાવરની મસ્જિદમાં વિસ્ફોટનો અવાજ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઇન્સમાં હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળ અને ધુમાડાના વાદળ છવાયા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદમાં નમાજ દરમિયાન આ આત્મઘાતી હુમલાખોર આગળની હરોળમાં હાજર હતો અને પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી.