6-7 મહિનામાં મનપાની ચૂંટણી થશે જાહેર
પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે પાટણના એડિશનલ કલેક્ટર એચ.જે. પ્રજાપતિની નિમણૂંક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદર ગુજરાતના દરિયાકાંઠે વસેલું ઐતિહાસિક શહેર છે, જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સુદામા નગરી તરીકે જાણીતું છે. દરિયાકાંઠે વસેલાં આ શહેરે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રગતિના અનેક સ્તંભ ઊભા કર્યા છે. પ્રારંભિક રાજાશાહી સમય: 25 ઓગસ્ટ, 1887ના રોજ પોરબંદર શહેર સુધરી જાહેર કરવામાં આવ્યું. તે સમયના પ્રથમ પ્રમુખ એમ.એચ. વાડીયા હતા. નગરપાલિકાની સ્થાપના વર્ષ 1949માં પોરબંદર નગરપાલિકા બની, જેમાં પ્રથમ પ્રમુખ પીડી કક્કડ બન્યા હતા. પોરબંદરનો વિકાસ સતત ચરમસીમા પર પહોંચતો રહ્યો છે. વર્ષો સુધી નગરપાલિકાના વડાપ્રમુખશાહી શાસનમાં પાલિકાએ આર્થિક અને સામાજિક પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વ્યાપક વિસ્તારોના વિકાસ અને શહેરી સુવિધાઓના વધારા સાથે પોરબંદર હવે 97 ચો.કિ.મી સુધી ફેલાયેલું છે. પોરબંદર-છાયા નગરપાલિકાના ક્ષેત્રમાં દિગ્વિજયગઢ, વનાળા, રતનપર અને જાવર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.નગરપાલિકાના પ્રમુખશાહી વહીવટને બદલે મહાનગરપાલિકાના નિયમિત આયોજન હેઠળનું શાસન. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે પાટણના એડિશનલ કલેક્ટર એચ.જે. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર તરીકે જૂનાગઢ જિલ્લના ડેપ્યુટી ઉઊઘ એચ.વી.પટેલની નિમણુંક કરવામાં આવી છે. મહાનગરપાલિકાની જાહેરાત થતાં પાલિકાની મોટા ભાગની સ્ટાફની ખાલી જગ્યાઓ પર નવી નિમણુંક કરવામાં આવશે. પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ તેમજ કૃષ્ણ સખા સુદામાનગરી હોવાથી ટુરિઝમ ક્ષેત્રે વધુ વિકાસ થશે અને પ્રવાસન ક્ષેત્રે વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. મહાનગરપાલિકાના ઉદ્ભવ સાથે પોરબંદર નવી દિશામાં આગળ વધશે. શહેરમાં હવે મ્યુનિસિપલ મેયરની પસંદગી થશે અને શહેરી જીવન માટે વધુ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
મહાનગરપાલિકા બનવાથી શું મળશે?
ઉદ્યોગોનું આગમન: પોરબંદરને મેક ઇન ઈન્ડિયા અને પ્રોત્સાહન યોજના હેઠળ નવી ઉદ્યોગો અને રોકાણ માટે આકર્ષક બનશે.
ટેક્સમાં વધારો અને ગ્રાન્ટ: પોરબંદરને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ મળશે.
પરિવહન સુવિધાઓનું શહેરીકરણ: સિટી બસ સેવા વિસ્તૃત થશે, તેમજ નવો મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ.
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારો: નગર શિક્ષણ સમિતિ અને આરોગ્ય સમિતિ રચાશે, જે નાગરિક જીવનની ગુણવત્તા વધારશે.
- Advertisement -
શહેરીજનોની અપેક્ષાઓ
હવાઈ સેવા શરૂ કરવી: પોરબંદર માટે ડોમેસ્ટિક હવાઈ સેવાઓ શરૂ કરવા જરૂરી છે.
નવા રોજગારીના અવસરો: પાલિકામાં 507 ખાલી જગ્યા ભરવા સાથે નવી ઉદ્યોગો માટે સ્થાનિક રોજગારી ઊભી કરવાની જરૂર છે.
શહેરી સુવિધાઓનો વિકાસ: નવા ટાઉન પ્લાનિંગ સ્કીમ, ગટર વ્યવસ્થા, અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની માગ.
ઉજવણી અને રાજકીય પ્રતિક્રિયાઓ
ભાજપની ઉજવણી: ભાજપના કાર્યકર્તાઓએ સુધામા ચોક ખાતે ફટાકડા ફોડીને મહાનગરપાલિકા જાહેર થવાની ઉજવણી કરી.
કોંગ્રેસનો વિરોધ: કોંગ્રેસે આ નિર્ણયને જેતપુરના પ્રદૂષિત પાણીને પોરબંદરના દરિયમાં ઠાલવવાના મુદ્દા પરથી લોકોનું ધ્યાન દૂર કરવાનું ગણાવ્યું.
વિસ્તાર
2005માં બોખીરા વિસ્તારનો સમાવેશ.
2015માં ખાપટ વિસ્તારનો સમાવેશ.
2021માં છાયા નગરપાલિકા અને ધરમપુરનો સમાવેશ.
2025: પોરબંદરને મહાનગરપાલિકાના દરજ્જા સાથે નવી ઓળખ મળી.



