By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    3 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    3 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    4 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    4 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    2 days ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    2 days ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    2 days ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    2 days ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    2 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    3 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    3 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    3 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    7 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક્સિઓમ-4નું સફળ પ્રક્ષેપણ: શુભાંશુ શુક્લા 40 વર્ષમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > એક્સિઓમ-4નું સફળ પ્રક્ષેપણ: શુભાંશુ શુક્લા 40 વર્ષમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા
SCIENCE-TECHNOLOGY

એક્સિઓમ-4નું સફળ પ્રક્ષેપણ: શુભાંશુ શુક્લા 40 વર્ષમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા

Khaskhabar Editor
Last updated: 2025/06/25 at 1:08 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય 3 લોકો સાથે એક્સિઓમ-4 મિશન ISS ની 28 કલાકની યાત્રા પર નીકળ્યું

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રૂમેટ્સ સાથે એક્સિઓમ-4 મિશન, વિલંબ પછી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. શુક્લા, પાયલોટ તરીકે, અવકાશ સંશોધનમાં ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ક્રૂ તેમના બે અઠવાડિયાના રોકાણ દરમિયાન 60થી વધુ વિજ્ઞાન પ્રયોગો કરશે,

- Advertisement -

ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પહેલા ભારતીય બની જશે. આ પહેલા 3 એપ્રિલ, 1984ના રોજ વિંગ કમાન્ડર રાકેશ વર્મા Soyuz T-11 મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા હતા. આમ, શુભાંશુ શુક્લા અંતરિક્ષની મુલાકાત લેનારા રાકેશ વર્મા પછી બીજા ભારતીય હશે.

શુભાંશુ શુક્લા નાસા અને ઈસરોના સંયુક્ત મિશન Axiom-4માં એક પાયલટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સમગ્ર મિશનનું નેતૃત્વ કમાન્ડર પૈગી વ્હિટસન કરી રહ્યા છે. આ ઉપરાંત હંગેરીના અંતરિક્ષ યાત્રી ટિબોર કપુ અને પોલેન્ડના સ્લાવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નિવસ્કી પણ આ મિશનમાં સામેલ છે. Axiom-4 બુધવારે ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39Aથી રવાના થયું હતું. 28 કલાકની મુસાફરી બાદ આ અંતરિક્ષયાન ગુરુવારે સાંજે 04:30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચવાની આશા છે.

નોંધનીય છે કે, જો આ મિશન સફળતાપૂર્વક પાર પડશે તો ઈતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકશે.

- Advertisement -

શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી મોકલ્યો પહેલો મેસેજ

Axiom-4 મિશનના લોન્ચ પછી, શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી પહેલો મેસેજ મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે, ’41 વર્ષ પછી આપણે અંતરિક્ષમાં પાછા પહોંચ્યા છીએ અને તે એક અદ્ભુત સવારી છે. અત્યારે અમે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરી ર્યા છીએ અને મારા ખભા પર મારો ત્રિરંગો છે.’

Axiom મિશનમાં શુભાંશુ શુક્લાની ભૂમિકા શું રહેશે?

શુભાંશુ શુક્લાને આ મિશનમાં પાયલટ તરીકે ISS મોકલવામાં આવી રહ્યા છે એટલે કે શુભાંશુ ડ્રેગન કેપ્સ્યુલનું માર્ગદર્શન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેના દ્વારા Axiom-4 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવશે. અહીં, અંતરિક્ષયાનને ISS પર ડોક કરીને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે પહોંચાડવાની જવાબદારી શુભાંશુના ખભા પર રહેશે.

આ ઉપરાંત, જો આ કેપ્સ્યુલને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો શુભાંશુ પાસે અંતરિક્ષયાનને નિયંત્રિત કરવાની અને કટોકટીના નિર્ણયો લેવાની જવાબદારી રહેશે. એવું કહી શકાય કે શુભાંશુ આ મિશનમાં સેકન્ડ-ઇન-કમાન્ડની ભૂમિકામાં રહેશે. પેગી વ્હિટસન પછી, તેઓ Axiom-4 ના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ હશે.

આ મિશનનો હેતુ શું છે?

Axiom સ્પેસની વેબસાઇટ અનુસાર, Axiom-4  મિશન દરમિયાન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવશે. જેમાં 31 દેશોના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. ભારત અને નાસા વચ્ચે સંયુક્ત સહયોગમાં 12 પ્રયોગો કરવામાં આવશે, જેમાં 7 પ્રયોગ ભારત દ્વારા કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ 5 અમેરિકન સંશોધન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રયોગો મુખ્યત્વે જૈવિક વિજ્ઞાન, માનવ સ્વાસ્થ્ય, અંતરિક્ષ જીવન પ્રણાલીઓ અને મોર્ડન ટેકનોલોજી પર આધારિત હશે.

ભારત માટે પણ ખાસ છે આ મિશન 

ભારત 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ મથક બનાવવાનું અને 2047 સુધીમાં ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતે તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શુભાંશુ શુક્લા ગગનયાન મિશનનો ભાગ ન હોવા છતાં, Axiom-4 માંથી મેળવેલ તેમનો અનુભવ ગગનયાન અવકાશયાત્રીઓની તાલીમ અને મિશન ડિઝાઇનમાં ઉપયોગી સાબિત થશે. આ મિશન ભારતને પોતાનું અંતરિક્ષ મથક બનાવવાની પણ મદદ કરશે.

વૈશ્વિક સ્તરે ભારતની શાખમાં વધારો કરશે 

Axiom-4 મિશન ભારતની વૈશ્વિક અંતરિક્ષ ક્ષેત્રની હરળફાળની છબિને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવામાં મદદ કરશે. શુભાંશુ શુક્લા રાકેશ શર્મા પછી ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે, જે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સાતત્ય અને વિકાસને સ્પષ્ટપણે દર્શાવે છે.

એક્સિઓમ-4 મિશન ઘણી વખત ટળ્યું હતું

એક્સિઓમ મિશન હેઠળ લોન્ચિંગ 29 મેના રોજ થવાનું હતું, પરંતુ ફાલ્કન 9 રોકેટના બૂસ્ટરમાં અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના જૂના રશિયન મોડ્યુલમાં લિક્વિડ ઓક્સિજનનું લિકેજ જોવા મળ્યા બાદ, તેને પહેલા 8 જૂન, પછી 10 જૂન અને પછી 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારપછી લોન્ચિંગ યોજના ફરીથી 19 જૂન સુધી મુલતવી રાખવામાં આવી અને પછી લોન્ચિંગ તારીખ 22 જૂન નક્કી કરવામાં આવી. 22 જૂનના લોન્ચિંગને મુલતવી રાખવામાં આવ્યા બાદ, હવે તેને 25 જૂને લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

You Might Also Like

ચાઇનીઝ હોમ એપ્લાયન્સ જાયન્ટ Midea ફેક્ટરી કામ માટે 6-આર્મ રોબોટનું અનાવરણ કરે છે

નવી Android સુવિધાઓ તમને સૌથી વધુ મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે

AI ટૂલ્સનાં ઉપયોગથી પ્રોગ્રામિંગ કરવું થયું સરળ, જાણો કેવી રીતે

NASA રોવર મંગળ પર પહેલીવાર વીજળીનાં પુરાવાઓ મળ્યા

રાજસ્થાન હાઈકોર્ટે બાળકોના ફોનના ઉપયોગને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકાનો આદેશ આપ્યો: સરકારને સમર્પિત સાયબર-ક્રાઈમ કંટ્રોલ ફેસિલિટી, કેપ સિમ કાર્ડ પ્રતિ વ્યક્તિ 3 સેટ કરવા માટે નિર્દેશ કરે છે

TAGGED: Shubhaanshu Shukla, Shubhanshu Shukla Axiom-4 Mission
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NEETના પરિણામમાં મોદી સ્કૂલનો દબદબો
Next Article શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ! અમદાવાદના આ રુટ રહેશે બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ચાઇનીઝ હોમ એપ્લાયન્સ જાયન્ટ Midea ફેક્ટરી કામ માટે 6-આર્મ રોબોટનું અનાવરણ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
SCIENCE-TECHNOLOGY

નવી Android સુવિધાઓ તમને સૌથી વધુ મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
SCIENCE-TECHNOLOGY

AI ટૂલ્સનાં ઉપયોગથી પ્રોગ્રામિંગ કરવું થયું સરળ, જાણો કેવી રીતે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?