પરવાનગી વગર ધમધમતી સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓ 5 વર્ષથી વધુ હોવાનો ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી ખાતે ચાલતી શિક્ષણ વિભાગની મંજૂરી વગર નકલી સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન દ્વારા પુન: તપાસ માટે આદેશ કર્યો હતો આગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રથમ તપાસ તાલુકા શિક્ષણ અધિકારીને સોંપ્યો હતો પરંતુ તે સમયે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના અંતે કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જેને લઇ ફરી પુન: તપાસ માટે બી.આર.સી જીગ્નેશભાઈ પટેલને તપાસ સોંપતા તેઓ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મજૂરી વગરની નકલી સ્કૂલ ખાતે તપાસ આદરી હતી.
- Advertisement -
જે તપાસ દરમિયાન સ્કૂલમાં અભ્યા કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં કુલ 13 જેટલા વિદ્યાર્થીઓ પાંચ વર્ષથી વધુ ઉંમરના હોવાનું સામે આવ્યું હતું જે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની ગાઈડ લાઈન મુજબ ખરેખર બાલવાટિકામાં પ્રવેશ મળવો જોઈએ જેના બદલે આ પાંચ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને નર્સરી અંગે અભ્યાસ ક્રમમાં હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો સાથે જ સ્કૂલના સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારની ઓનલાઇન કે ઓફ લાઈન સ્કૂલ મંજૂરી માટે પ્રક્રિયા હાથ નહિ ધરી હિવા છતાં પણ સ્કૂલ શરૂ કરી બાળકોના વાલી પાસેથી રૂપિયાનું ઉઘરાણું કરી ચૂક્યા હતા.વળી સ્કૂલને મંજૂરી નહિ હોવાથી કોઈકનું સરકારી રેકર્ડ કે રજીસ્ટર પણ નિભાવતા નથી જેથી આહી અભ્યાસ કરતા તેમ વુભરથીઓનું ભાવિ જોખમમાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.
ત્યારે બી.આર.સી જીગ્નેશભાઈ પટેલ દ્વારા આ તમામ બાબતનો અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવી દીધો હતો ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી મજૂરી વગર માત્ર રૂપિયા ખંખેરવા ચાલતી આ નકલી સ્કૂલ સામે કેવા પ્રકારના પગલાં ભારે છે તેના સામે મીટ મંડાયેલી છે.
ધ્રાંગધ્રામાં મંજૂરી વગર ધમધમતી સ્કૂલમાં BRCની તપાસમાં ખુલાસો
- Advertisement -
સ્કૂલને મજૂરી નહિ હોવાથી કોઈ વિદ્યાર્થીઓની હાજરી સહિત અન્ય રજીસ્ટર નિભાવતા નથી. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓમાંથી કુલ 13 વિદ્યાર્થીઓ જે પાંચ વર્ષથી વધુ ઉંમરના છે તેઓને બાલવાટિકા અભ્યાસક્રમમાં હોવા જરૂરી છે. સ્કૂલના સંચાલક દ્વારા હજુ ઓનલાઇન મંજૂરી માટે પ્રક્રિયા પણ કરાઈ નથી. સ્કૂલમાં જરૂરી ફાયર સેફ્ટી સંસાધનોનો અભાવ છે જેથી બી.યુ પરમિશન પણ મળેલ નથી.
જિલ્લા શિક્ષણ અધિકારીને “ખાસ – ખબર” ટકોર
ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી પાસેની સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહિ હોવા છતાં પણ સ્કૂલને બંધ કરાવી શકાય તેમ નથી ? તો પછી હવે આ પ્રકારે મંજૂરી વગર શેરી ગલીએ રૂપિયા કમાવવાની લાલચ શિક્ષણના હાટડા ખોલીને બેસી જશે અને અંતે આ પ્રકારની સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાશે તે નક્કી છે.
સ્કૂલના સંચાલકોએ સરકારના શિક્ષણ વિભાગની ગાઈડ લાઇનનું અર્થઘટન કર્યું
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે નર્સરી અને બાલવાટિકા સ્કૂલો કાર્યરત છે તેને 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન પરમિશન લઇ લેવા માટે ટકોર કરી છે, પરંતુ આ સ્કૂલ નવનિર્માણ થયેલ છે અને મંજૂરી માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ થયેલ નથી જેથી સરકારની ગાઈડ લાઈનનું ખોટું અર્થઘટન કરી સ્કૂલ શરૂ કરી દીધી છે.