શિક્ષણમંત્રીએ ટ્વિટ કરી કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર
ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્ય સરકાર તરફથી શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. વાસ્તવમાં રાજ્ય સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કર્યા છે. રાજ્યના શિક્ષણમંત્રીએ ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.
- Advertisement -
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ટ્વિટ કરીને લખ્યું કે, ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ…..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.
આ સાથે જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજૂર મહેકમ વાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.
- Advertisement -
બઢતી કે સીધી ભરતીથી નિમણૂંક પામેલા કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ-પરસ બદલી કરી શકાશે.
આ સાથે આંતરિક અને જિલ્લાફેર અરસ પરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહતમ ઉમર ક્રમશ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તબીબી, પતિ-પત્ની, બન બદલીપાત્ર અધિકારી-કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલી જેવા કિસ્સામાં પણ બદલી અંગેની જોગાવાઈ કરાઈ.