TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ દિવસે અને દિવસે રાજકારણ ગરમાયું રહ્યું છે. ત્યારે આજે 7 દિવસ બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા મીડિયા સમક્ષ આવ્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે, જે દીવસે TRP ગેમ ઝોનમાં આગ લાગી તે દીવસે હું બહાર હતી પરંતુ એમના બીજા દિવસે જ હું રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને મેં સ્થળ અને સિવિલ હોસ્પિટલ તેમજ પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી.”
મહત્વનું છે કે, છેલ્લા કેટલાય દિવસથી કેટલાક નેતાઓ અગ્નિકાંડની ઘટના બાદ ગુમ હોવાના સમાચાર વહેતા થયા હતા. ત્યારબાદ આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેઓ ભાવુક પણ થયા હતા.
- Advertisement -
વધુમાં તેઓ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “SITની તપાસ કરી રહી છે. કડક કાર્યવાહી થાય તે રીતે સરકાર જીણવટભરી તપાસ કરી રહી છે. મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે રીતે સરકાર ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરશે.”