By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    8 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    1 day ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    1 day ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    2 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    5 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    6 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    8 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    1 day ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    7 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    8 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    1 day ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    3 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 week ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈશાન ખૂણામાં સીડી કે સ્ટેરકેસ ગોઠવવી જોઈએ નહીં, આ ખૂણાની અંદર કોઈ મોટી સાઈઝનો જાડો કોલમ પણ રાખવો નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઈશાન ખૂણામાં સીડી કે સ્ટેરકેસ ગોઠવવી જોઈએ નહીં, આ ખૂણાની અંદર કોઈ મોટી સાઈઝનો જાડો કોલમ પણ રાખવો નહીં
ASTROLOGERAuthorRajesh Bhatt

ઈશાન ખૂણામાં સીડી કે સ્ટેરકેસ ગોઠવવી જોઈએ નહીં, આ ખૂણાની અંદર કોઈ મોટી સાઈઝનો જાડો કોલમ પણ રાખવો નહીં

Khaskhabar Editor
Last updated: 2022/07/09 at 6:02 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

ઈશાન ખૂણામાં રહેલ રસોડું કારણ વગરનાં નાના-મોટાં આર્થિક ખર્ચ આપતું રહે છે

બાંધકામ દરમિયાન શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન ન કરી વાસ્તુસંગત બાંધકામ કરીએ તો સારી ઊર્જાનો સરળતાથી લાભ મેળવી શકીએ

- Advertisement -

વાસ્તુ લેખમાળાના ગયા અંકમાં આપણે ઈશાન ખૂણા વિશે વાત કરી હતી અને ક્યા પ્રકારનું બાંધકામ કે ગોઠવણી ઈશાન ખૂણા માટે સાનુકૂળ છે તે વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આજના આ અંકમાં આપણે સમજીએ કે ઈશાન ખૂણામાં ક્યા પ્રકારનું બાંધકામ નથી કરવાનું, અને જો કરવામાં આવે છે તો તે ક્યા પ્રકારની સમસ્યાઓ આપી શકે છે?
 

માળિયું અથવા મેઝેનાઈન ફ્લોર

આપણે સૌ જાણીએ છીએ તેમ આજકાલ જમીનની કિંમત ખાસ્સી વધી ગઈ છે અને ઓછી જમીનની અંદર લોકો વધારે ને વધારે સગવડતાઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરતાં હોય છે.ખાસ કરીને કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ મિલ્કતોમાં જ્યાં વધારે ઊંચાઈ મળતી હોય ત્યારે ઊંચાઈને બે ભાગમાં વહેંચીને માળિયું કે મેઝેનાઈન ફ્લોર બનાવવામાં આવતો હોય છે જે જગ્યાનો ઉપયોગ બમણો કરી દે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ઈશાન ખૂણામાં આપણે વધારે વજન રાખવાનું નથી, કેમકે અહીં રહેલું ભારે વજન તમોને આર્થિક પ્રગતિમાં અવરોધ આપી શકે છે તથા વ્યવસાયની તકોમાં સમસ્યાઓ આપી શકે છે.
અને માટે જો જગ્યાના અભાવે આપને માળિયું કે મેઝેનાઈન ફ્લોર બનાવવો જ પડે તેમ હોય તો તે મિલ્કતના દક્ષિણ પશ્ર્ચિમ અને નૈઋત્ય ભાગમાં બનાવવો જોઈએ તથા માળિયું ઈશાન ખૂણામાં બનાવવાનું ટાળવું જોઈએ.

- Advertisement -


 મિલ્કતમાં ઈશાન ખૂણો કટ થવો
ઘણાં ઘરો અથવા ફ્લેટની અંદર ઈશાન ખૂણો કપાયેલો એટલે કે મિસિંગ હોય છે. આવા ઘરોની અંદર સંતાનોને લગતા પ્રશ્ર્નો કે ચિંતાઓ આવ્યા કરે છે તેમજ બાળકોની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં પણ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે તેમજ બાળકોના વર્તનને લઈને ઘરમાં હમેશાં ચિંતાઓ જોવા મળતી હોય છે. એ સિવાય ઘણાં કેસમાં જોવામાં આવ્યું છે કે ઘરની અંદર લોકો એકબીજા પ્રત્યે ઓછી લાગણી અનુભવશે તથા ફક્ત પોતાનું ભલું થાય એવી માનસિકતા ધરાવશે.
જો કે ઈશાન ખૂણો કેવી રીતે કટ થયેલો છે? તેના પર તેની અસરોનો ઘણો બધો દારોમદાર રહેશે. ઘણાં લોકો પોતાની સમજ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશામાં રોડ ધરાવતો પ્લોટ તો લઈ લે છે પરંતુ ઉત્તર પૂર્વમાં બંને બાજુ રોડ હોવાને પરિણામે જે ગોળાઈ આવશે તેના પરિણામો વિશે વિચાર કરતાં નથી. કપાયેલા ઈશાન ખૂણાની અસર ઓછી કરવા કટ થયેલી દીવાલોમાં જો શક્ય હોય તો વેન્ટિલેશન મૂકવાની સલાહ વાસ્તુમાં આપવામાં આવતી હોય છે. આ સિવાય ઘણાં લોકો મિરર એટલે કે અરિસાનો ઉપયોગ કરીને કટ થયેલા ભાગની નકારાત્મક અસર ઓછી કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. અન્ય ઉપાયોમાં તે દિશાના રંગ કે અમુક ચોક્કસ ચિત્રોના ઉપયોગથી ઈશાન ખૂણાની ઊર્જા સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. જળતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો હોવાથી ઘણા નિષ્ણાતો પાણી સાથે સંકળાયેલા ઉપાયો જેમ કે વોટર ફાઉન્ટન, પાણી ભરેલા ત્રાંબાના મંગલ કળશ કે પછી વહેતા પાણી દર્શાવતા ચિત્રોનો ઉપયોગ પણ રેમેડીઝમાં આપતાં હોય છે.

 ઈશાન ખૂણામાં બનાવાયેલ સીડી કે પીલર
આપણે આગળ વાત કરી તેમ ઈશાન ખૂણામાં આપણે કોઈપણ પ્રકારનું વજન રાખવાનું નથી. હવે જો અહીં સીડી ગોઠવવામાં આવે છે તો આ ખૂણામાં વજન વધી જશે. સાથોસાથ ઈશાન ખૂણામાંથી સારી ઊર્જા મેળવવા માટે જે બારીઓ ઈશાન ખૂણામાં રાખવાની છે તે ત્યાં નહીં રાખી શકાય તેથી ઈશાન ખૂણામાં સીડી કે સ્ટેરકેસ ગોઠવવી જોઈએ નહીં. તેવી જ રીતે આ ખૂણાની અંદર કોઈ મોટી સાઈઝનો જાડો કોલમ પણ રાખવો નહીં.
ઈશાન ખૂણામાં આપની મિલ્કતની બહાર ખૂબ જ ઊંચાઈ ધરાવતાં વૃક્ષો કે મોટા પોલ કે થાંભલો ન હોય તે આવશ્યક છે.
ઈશાન ખૂણો સ્વચ્છતા સાથે સંકળાયેલો કોણ છે, માટે ઈશાન કોણના મંદિરની આસપાસ સાવરણી કે અન્ય રોજબરોજની સાફસફાઈની વસ્તુઓ ન રાખવી, તેમજ સ્ટોર રૂમ કે અન્ય સ્ટોરેજ અહીં (ઈશાન ખૂણામાં) કરવાનું ટાળવું જોઈએ.

 ઈન્ડસ્ટ્રીઝ કે ફેકટરીની અંદર ઈશાન ખૂણો
ઈન્ડસ્ટ્રીઝ કે ફેકટરીની અંદર ઈશાન ખૂણામાં બાંધકામને લગતા દોષો વિશે વિચાર કરીએ તો આ ખૂણાની અંદર આપણે ફરનેશ એટલે કે ભઠ્ઠી રાખવાની નથી. સાથે-સાથે જનરેટર કે બોઈલરને પણ ઈશાન ખૂણામાં રાખવા નહીં.
કારણ કે આ ખૂણામાં જો અગ્નિને લગતી કોઈપણ પ્રક્રિયાઓ થતી હશે તો પ્રોડકશન એટલે કે ઉત્પાદક ક્ષમતા ઉપર તેની ઘણી વિપરીત અસર થશે, જેની અંદર તૈયાર માલમાં રિજેકશનનું પ્રમાણ વધારે હોવું કે પછી સમય મર્યાદાની અંદર માલ તૈયાર ન થવો અથવા તો તેની અંદર ક્વોલિટીને લગતા નાના-મોટા ઈસ્યુ સતત આવવા આ પ્રકારના પ્રશ્ર્નો ઈન્ડસ્ટ્રીઝની અંદર ઘણી વાર જોવામાં આવ્યા છે. માટે ઈન્ડસ્ટ્રીઝની અંદર ભઠ્ઠી બોઈલર કે ઈલેકટ્રીક કનેકશન અને ડિસ્ટ્રીબ્યુશન અગ્નિ ખૂણામાં રહે તેનો ખાસ ખ્યાલ રાખવો.
વાસ્તુ પ્રમાણે ઈન્ડસ્ટ્રીઝ બનાવતી વખતે કામની શરૂઆતમાં તો લોકો ઈશાન ખૂણો ખાલી અને વ્યવસ્થિત રાખતાં હોય છે પરંતુ વિઝિટ દરમિયાન ઘણીવાર અનુભવ્યું છે કે સમય જતાં જગ્યાના અભાવે ત્યાં મોટી વજનવાળી વસ્તુઓ લોકો રાખતા હોય છે અને ઘણીવાર સાફ-સફાઈનો પણ ત્યાં અભાવ જોવા મળતો હોય છે જેના પરિણામે આ ખૂણાની શુભ ઊર્જાનો લાભ સંપૂર્ણ રીતે મેળવી શકાતો નથી.
ઔદ્યોગિક વિકાસની સાથે સાથે હવે ફેકટરીની અંદર જ માણસોના રહેવા માટેના રૂમ એટલે કે લેબર ક્વાર્ટર બનાવવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. હવે જો ઈશાન ખૂણાની અંદર લેબર ક્વાર્ટર બનાવવામાં આવ્યા હશે તો ફેકટરીની અંદર કામ કરતાં માણસો માલિકો પાસેથી વધારે લાભ મેળવશે અને કાર્ય પદ્ધતિને લઈને માલિકો સાથે વિચારભેદ રહ્યા કરશે તેથી લેબર ક્વાર્ટર ઈશાન ખૂણામાં બનાવવા નહીં.


 ઈશાન ખૂણામાં રસોડું
હવે જો આપનુ રસોડું ઈશાન ખૂણામાં જ છે તો શું અસર આવે છે? તે વિશે વિચારીએ તો ઈશાન ખૂણામાં રહેલ રસોડું કારણ વગરના નાના-મોટા આર્થિક ખર્ચ સતત આપતું જોવા મળે છે. ઘરના સભ્યો એકમાંથી બીજી શારીરિક બીમારીઓ ભોગવ્યા કરે છે તથા તેના કોઈ ચોક્કસ નિદાન થઈ શકતાં નથી.
ઈશાન ખૂણાના રસોડાની વધારે અસર સ્ત્રીઓ પર થતી જોવા મળે છે તથા તેઓની અંદર માનસિક પરિતાપ અને વિચારોની અસ્થિરતા સતત જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં અહીં રહેલા રસોડાને કારણે સ્ત્રીઓ જીવનને પ્રત્યે ઉદાસીન પણ જોવા મળતી હોય છે. ઈશાન ખૂણામાં રહેલ રસોડાને લઈને લાંબો સમય સુધી દવાઓ લેવી પડે તે પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. ઘણાં કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના નાના-મોટા ઓપરેશન સકસેસફૂલ ન રહેતાં બીજી વાર કરાવવા પડતાં હોય છે.
જેમના ઘરમાં રસોડું ઈશાન ખૂણામાં છે અને તેને તેઓ ચેન્જ કરી શકતાં નથી, તે લોકોએ ગેસ એટલે કે ચૂલાની પોઝિશન ઈશાન ખૂણાથી દૂર પૂર્વ બાજુ કરવી જોઈએ.


 ઈશાન ખૂણામાં ટોઈલેટ
ઈશાન ખૂણામાં રહેલું ટોઈલેટ એક બહુ મોટો વાસ્તુદોષ આપે છે અને પરિવારના સભ્યોને ગંભીર પ્રકારની શારીરિક પીડા આપી શકે છે. સૌથી વધારે કેસ એ પ્રકારના ધ્યાનમાં આવ્યા છે કે લાંબા ગાળા સુધી દવા લેવી પડે તે પ્રકારની બીમારી અહીં રહેલું ટોઈલેટ આપે છે.
ઘણાં મોટા ફ્લેટની અંદર એકાદ ટોઈલેટ તો ઈશાન ખૂણામાં આવતું જ હોય છે. આવા સંજોગોની અંદર જો ટોઈલેટ ત્યાંથી હટાવી શકાય તેમ ન હોય તો કમસેકમ ત્યાંના કમોડનો ઉપયોગ તો ક્યારેય કરવો નહીં જ.
ખોટી દિશા કે ખૂણામાં રહેલા ટોઈલેટ માટે વાસ્તુમાં કાચા મીઠાના બાઉલ ટોઈલેટમાં રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે, જેને નિયમિત સમયના અંતરે બદલતા રહેવા જોઈએ. અન્ય ઉપાયોની વાત કરીએ તો અમુક ઈન્ડોર પ્લાન્ટ્સ ટોઈલેટમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં સહાયક થતાં હોય છે જેને ટોઈલેટમાં રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. કોઈ કોઈ કિસ્સામાં એ પણ જોવામાં આવ્યું છે કે ઈશાન ખૂણાનું રહેલું ટોઈલેટ નબળી યાદશક્તિ આપે છે. સાથોસાથ આ ટોઈલેટનો ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાના વિચારો કે નિર્ણયોમાં સ્પષ્ટ હોતા નથી. ઈશાન ખૂણો જ્યાં ડિસ્ટર્બ કે દૂષિત હોય ત્યાં માથાનો દુ:ખાવો કે માઈગ્રેન કે પછી ગળાને લગતી સમસ્યાઓ કોઈ કિસ્સાઓમાં જોવા મળતી હોય છે.

 ઈશાન ખૂણામાં સેપ્ટિક ટેન્ક
આ સિવાય જો આપના ઘરની કે આપની કોમર્શિયલ પ્રોપર્ટીની સેપ્ટિક ટેન્ક ઈશાન ખૂણામાં રહેલી હશે તો પણ એક વાસ્તુદોષ ઉદ્ભવે છે. આગળ કહ્યા મુજબ ઈશાન ખૂણામાંથી પૂરા ઘરની સારી ઊર્જા પ્રસરે છે અને આ શુભકિરણો જો ઈશાન ખૂણામાં સેપ્ટિક ટેન્ક રહેલી હશે તો દૂષિત થશે અને ઊર્જાચક્રને અસંતુલિત કરશે માટે જો આપની મિલ્કતમાં સેપ્ટિક ટેન્ક ઈશાન ખૂણામાં રહેલી છે તો તેને સાફ કરાવી સારી માટી કે નવી મોરમ ભરી બંધ કરવી તથા નવી સેપ્ટિક ટેન્ક વાયવ્ય ખૂણામાં કે અગ્નિ ખૂણામાં બનાવવી.

 ઈશાન ખૂણામાં ઓવરહેડ વોટર ટેન્ક
વોટર ટેન્ક વિશે આપણે આગલા અંકોમાં ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ. વાસ્તુ પ્રમાણે ગ્રાઉન્ડ લેવલ પર કે ટેરેસ લેવલ પર ઈશાન ખૂણો હમેશાં નીચો હોવો જોઈએ અને ઈશાનમાંથી આવતી શુભ ઊર્જા માટે કોઈપણ પ્રકારનું બાંધકામ કે અવરોધ ત્યાં ન હોવા જોઈએ.
ઉપરાંત વજનની વાત કરીએ તો આ ખૂણો આપણે પ્રમાણમાં સૌથી લાઈટવેઈટ કે હલકો રાખવાનો છે તેથી ઈશાન ખૂણામાં ઊંચું બાંધકામ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી અને ઓવરહેડ વોટર ટેન્ક ક્યારેય પણ ત્યાં ગોઠવવી નહીં.
બીજી એક વાત પ્રત્યે ખાસ ધ્યાન દોરીશ કે ઈશાન ખૂણો દૂષિત છે તો તેને લઈને ભયભીત થવું વિકલ્પ નથી, કેમકે જેમ બીમારી છે અને તેની દવા પણ છે. આગળ વાત કરી તેમ રત્ન, કલર થેરાપી, સાઉન્ડ થેરાપી, મીઠા કે કપૂરના ઉપયોગથી, વૃક્ષો અને અન્ય ઈન્ડોર પ્લાન્ટ્સ, યંત્રો કે મિરર (અરિસા)નો ઉપયોગ કરીને લોકો સારૂં પરિણામ મેળવતાં હોય છે.
હા, પણ એક વસ્તુ ખરી કે બાંધકામ દરમિયાન શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન ન કરીએ અને વાસ્તુસંગત બાંધકામ કરીએ તો આ બધી સારી ઊર્જાનો સરળતાથી લાભ મેળવી શકીએ.

જેવી રીતે કોઈ એક જ બીમારીની અસર અલગ-અલગ પેશન્ટ પર અલગ-અલગ રીતે થતી હોય છે. દવા અને સારવાર પણ બધાને એકસરખી રીતે અસર કરતી હોતી નથી, અને જેના માટે વ્યક્તિની તાસિર, જીવનશૈલી અને બીજી ઘણી બધી બાબતોનો આધાર છે તેમ કોઈપણ વાસ્તુદોષની અસરો માટે આપના ભાગ્યબળ સહિત બીજી ઘણીબધી બાબતો જવાબદાર રહેતી હોય છે અને તેથી જ એકસરખા દોષ ધરાવતી મિલ્કતોની અંદર અલગ-અલગ પરિણામો જોવા મળતાં હોય છે અને આ પરિણામની તીવ્રતા અને તેના સમયગાળામાં પણ ફેરફાર જોવા મળતો હોય છે.
ફરી મળીશું નવા કોઈ વિષય સાથે આવતાં શનિવારે…

 

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

TAGGED: home, Northeast corner, vastu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનમાં જ્યાં સુધી માયારૂપી અજ્ઞાન વ્યાપ્ત છે ત્યાં સુધી આપણને ઈશ્વર દેખાતો નથી
Next Article સ્માર્ટ વિયરેબલ માર્કેટમાં ભારતીય બ્રાન્ડનો દબદબો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?