સ્વ. વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં લેઉવા પટેલ સમાજની દીકરીઓનો તા. 26ના નવમો શાહી સમૂહ લગ્નોત્સવ: તા. 24ના ભવ્ય રાસોત્સવનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
ગુજરાતભરમાં પ્રચલિત કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા તા. 26 જાન્યુઆરીના રોજ 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. જામકંડોરણા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવનમાં 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ માટે ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં બપોરે 2-30 કલાકે જાન આગમન, 3 વાગ્યે ભવ્ય વરઘોડામાં વર-ક્ધયાના પરિવારજનો શરણાઈ- બેન્ડના તાલે ઝૂમશે, સાંજે 4 વાગ્યે દાતાઓનો સત્કાર સમારંભ અને પાંચ વાગ્યે હસ્તમેળાપ, 6 વાગ્યે ભોજન સમારંભ અને 8 વાગ્યે ક્ધયાઓનું ભાવભેર વિદાયમાન અપાશે તેમજ તા. 24ના રોજ શુક્રવારે સાંજે 8-00 વાગ્યે ગીતાબેન રબારી અને ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્ય સ્મૃતિમાં યોજાનાર આ 9માં શાહી સમૂહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. 511 લગ્નમંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વિઘા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.
જામકંડોરણાના આંગણે યોજાનાર આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ અંગે માહિતી આપતાં ભાજપના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના 511 દીકરા-દીકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મારા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની 42 સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે અને દર વર્ષે આ સેવાકાર્ય વધુ ને વધુ વિસ્તરી રહ્યું છે. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. જામકંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે. વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડીને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે.
આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે 80000 કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10000 સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે.આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દીકરીને અંદાજે રૂા. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે.
સાથોસાથ દરેક દીકરીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ ભેટ ધરવામાં આવશે. શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય સહિતની સંસ્થાઓ દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તા. 26 જાન્યુઆરીના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન નવમા શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શાહી સમૂહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે પ્રેમનું પાનેતર લગ્નોત્સવ સમારોહના મુખ્ય દાતા મૂળ જામકંડોરણાના અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા પરસોતમભાઈ (દાસભાઈ) વલ્લભભાઈ ગજેરા છે.
જ્યારે અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે ઉદ્ઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતા હંસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જેતપુરના ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા તેમજ સુરતના ભક્તિગ્રુપના રમેશભાઈ ગજેરા અને સોમનાથ ઈન્ફ્રા.ના પરસોતમભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે. આ સિવાય લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દીકરીઓને આશીર્વાદ આપવા જામકંડોરણાના આંગણે ઉપસ્થિત રહેનાર છે.
આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠ્ઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેશભાઈ બાલધા, બાંધકામ સમિતિના ચેરમેન- ક્ધયા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયંતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ તાળા, મનસુખભાઈ સાવલીયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જસમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, ધીરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જીવરાજભાઈ સતાસીયા, વલ્લભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસીયા, છગનભાઈ સાવલીયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ તાળા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસીયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળીયા, વલ્લભભાઈ રૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલીયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ તકે ખાસ આરોગ્યલક્ષી સેવાઓ ઉભી કરાઈ છે. લગ્ન સમારોહ દરમિયાન ઈમરજન્સી સારવાર માટે રાજકોટની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાત તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલના સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ લોકોના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર તપાસી દેવાશે.