રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં
બૃજભૂષણ શરણ સિંહ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે મોડી રાત સુધી બેઠક ચાલ્યા બાયડ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોના આરોપોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે.
- Advertisement -
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ખુદ કુસ્તીબાજોના મુદ્દે આગેવાની લીધી હતી. હિમાચલ પ્રદેશથી પરત ફરતી વખતે તેમણે તેમના નિવાસસ્થાને ખેલાડીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આજે બૃજભૂષણ શરણ સિંહને ફોન કરી શકે છે. રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચેની બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી. આ સાથે જ આજે ફરીથી કુસ્તીબાજો સાથે બેઠક બોલાવીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. એક દિવસ પહેલા જ રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માંગ્યો હતો.
મોડી રાત સુધી ચાલી બેઠક
મહત્વનું છે કે, ગઇકાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં બજરંગ પુનિયા, રવિ દહિયા, બબીતા ફોગટ, વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને અંશુ મલિક હાજર હતા. ખેલાડીઓના કડક વલણને કારણે બૃજભૂષણ શરણ સિંહ પર રાજીનામાનું દબાણ વધી ગયું છે. અગાઉ, ઓલિમ્પિક અને અન્ય આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા કુસ્તીબાજો ગુરુવારે બીજા દિવસે જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. આ તરફ પૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગાટ કેન્દ્ર સરકાર વતી જંતર-મંતર પહોંચી અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી. તેમની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા. મંત્રણામાંથી કોઈ નક્કર પરિણામ ન આવતાં કુસ્તીબાજોએ પત્રકાર પરિષદમાં નારાજગી વ્યક્ત કરી હતી.
#WATCH | Union Sports Minister Anurag Thakur arrives at his residence in Delhi, from Chandigarh. He will meet the wrestlers who are protesting against WFI. pic.twitter.com/WIX44Nmm49
- Advertisement -
— ANI (@ANI) January 19, 2023
કુસ્તીબાજો ન્યાયની માંગ પર અડગ
આ તરફ સૌથી વધુ ગુસ્સામાં દેખાતી વિનેશ ફોગાટે કહ્યું કે, અમે બૃજભૂષણ શરણ સિંહ પર જે આરોપો લગાવ્યા છે તે સંપૂર્ણ રીતે સાચા છે. ગઈકાલ સુધી અમારી સાથે માત્ર એક મહિલા રેસલર હતી, પરંતુ હવે એવા ચાર-પાંચ કુસ્તીબાજો છે જેમની સાથે ખોટું થયું છે. અમને આગળ આવવા માટે દબાણ ન કરવું જોઈએ. અમે સન્માન બચાવવા માટે લડી રહ્યા છીએ. અમારી સાથે શું થયું છે તે બધાની સામે કહેવા માંગતા નથી.
दिल्ली: केंद्रीय खेल मंत्री अनुराग ठाकुर के आवास से साक्षी मलिक, बजरंग पुनिया, विनेश फोगाट, रवि दहिया सहित अन्य पहलवान रवाना हुए।
उन्होंने भारतीय कुश्ती महासंघ के खिलाफ अपने आरोपों के संबंध में केंद्रीय मंत्री से मुलाकात की है। pic.twitter.com/1J0SZOI5d2
— ANI_HindiNews (@AHindinews) January 19, 2023
તો FIR પણ દાખલ કારવીશું…..
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, અમે અધ્યક્ષનું રાજીનામું જ નહીં લઈશું પણ તેમને જેલ પણ મોકલીશું. અમે કાયદાકીય રીતે આગળ વધવા માંગતા નથી, પરંતુ જો કોઈ ઉકેલ નહીં મળે તો અમે એફઆઈઆર પણ દાખલ કરીશું. વિનેશે કહ્યું કે, જો અમારા જેવા રેસલરો સાથે આવું થઈ રહ્યું છે તો બીજી છોકરીઓ કેટલી સુરક્ષિત છે. જો આપણે પણ સુરક્ષિત ન હોઈએ તો ભારતમાં એક પણ છોકરીનો જન્મ ન થવો જોઈએ. આપણે જીવ ગુમાવીએ તો સ્વીકાર્ય છે, પણ આપણે કુસ્તીનું ભવિષ્ય સુધારીને જ મરીશું.
રેસલિંગ ફેડરેશનને વિખેરી નાખવું જોઈએ: બજરંગ
આ તરફ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રેસલિંગ એસોસિએશનનું વિસર્જન કરવામાં આવે. જો તેઓ રાજીનામું આપશે તો પણ તેઓ તેમના લોકોને ફરીથી ત્યાં બેસાડશે. રાજ્ય કુસ્તી સંઘમાં તેમના જ લોકો પણ બેઠા છે, તેથી અમે સંઘને જ વિસર્જન કરવા માંગીએ છીએ.
"We request athletes to come forward & voice their concerns with us. We'll ensure a complete investigation to ensure justice. We also have decided to form a special committee to deal with such situations that may arise in future, for swifter action," tweets IOA President PT Usha. pic.twitter.com/iZ8v5aarZX
— ANI (@ANI) January 19, 2023
સાક્ષી મલિકે કહ્યું કે, અમને કેરળ અને મહારાષ્ટ્રની મહિલા રેસલર્સના ફોન આવી રહ્યા છે જેમની સાથે અન્યાય થયો છે. તેણીએ કહ્યું, ‘હું પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે ન્યાય મળવો જોઈએ.’ અંશુ મલિકે કહ્યું કે, પાપનો ઘડો ભરાઈ ગયો છે. રેસલિંગ એસોસિએશનમાં દરેક જણ ભ્રષ્ટ છે. જ્યારે જુનિયર મહિલા કુસ્તીબાજો સ્પર્ધામાં ભાગ લેવા માટે બલ્ગેરિયા જતી ત્યારે બૃજભૂષણ શરણ સિંહ હોટલનો રૂમ ખુલ્લો રાખીને સૂતો હતો.
IOA પ્રમુખ પીટી ઉષાએ શું કહ્યું ?
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ ટ્વીટ કર્યું કે, ‘પ્રમુખ તરીકે હું કુસ્તીબાજોના આ મુદ્દા પર વધુ સભ્યો સાથે ચર્ચા કરી રહી છું. જો કોઈપણ રમતવીરને કોઈ સમસ્યા હોય તો તેણે તેની સમસ્યાઓ અમારી સાથે ચર્ચા કરવી જોઈએ.