સોમનાથ દર્શન માટે ગુજરાત એસટી દ્વારા વિશેષ એસી વોલ્વોબસની સુવિધા ઉપલબ્ધ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.12
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂૂપ દર્શાવતો ’વંદે સોમનાથ’ આદ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે.ભગવાન સોમનાથ દેશભરમાં શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. ભગવાન સોમનાથ અને નટરાજ એમ શિવના બંને વિશિષ્ટ સ્વરૂૂપો છે, જે સોમનાથ મંદિરમાં નટરાજના વિવિધ સ્વરૂૂપોમાં જોવા મળે છે. ખાસ કરીને સોમનાથ મહોત્સવમાં, જ્યાં સંગીત અને નૃત્ય દ્વારા શિવની આરાધના થાય છે. સોમનાથ મંદિરનું ભવ્ય પરિસર માત્ર પૂજાના સ્થળ તરીકે જ નહીં, પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિનું સંગમ સ્થાન પણ છે. પવિત્ર પ્રદર્શનનું એક શક્તિશાળી કાર્ય જે કલાત્મકતા સાથે આધ્યાત્મિકતાને પણ રજૂ કરે છે. પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે દર વર્ષે શ્રાવણના પવિત્ર મહિનામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીના દર્શન માટે આવતા હોય છે ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટસના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર ચાલુ વર્ષે શ્રાવણ માસના દર સોમવારના દિવસે ’વંદે સોમનાથ’ કાર્યક્રમ અંતર્ગત પ્રસિદ્ધ કલાકારો-નૃત્યકારોના માધ્યમથી ભગવાન શિવજીના નટરાજ સ્વરૂપના નૃત્ય,આધ્યાત્મ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિને પુનર્સ્થાપિત કરવાનો અનોખો પ્રયત્ન શરૂ કરવામાં આવનાર છે.આ બાબતે ટ્રસ્ટના વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે આ વર્ષે માત્ર કાર્યક્રમો નું શીર્ષક બદલાયું છે.જેમાં પ્રવાસન વિભાગનો સહયોગ મળી રહ્યો છે.
સોમનાથના દર્શને જવા ભક્તો માટે ગુજરાત એસટી દ્વારા રાણીપ, અમદાવાદથી વિશેષ એસી વોલ્વો બસની દૈનિક સુવિધા પણ શરૂૂ કરવામાં આવી છે. આ બસમાં એક યાત્રી માટે જવા- આવવાની ટિકિટ રૂ.4 હજાર તેમજ બે વ્યક્તિ માટે જવા-આવવાની રૂ.7 હજાર 50 નક્કી કરવામાં આવી છે.
- Advertisement -
શ્રાવણ માસના 6 સોમવારે વિશેષ કાર્યક્રમો
આગામી શ્રાવણ માસના દરેક સોમવારે એટલે કે તા.14, 21, 28 જુલાઇ તેમજ 4, 11અને 11ઓગસ્ટ એમ કુલ 6 સોમવારે વંદે સોમનાથ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે સોમનાથ ખાતે સોમનાથ મંદિર ચોપાટી, પ્રોમોનેડ વોક વે પર સોમનાથ મંદિર સામે તેમજ સાગરદર્શન ભવનથી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ-સ્થળની પસંદગી કરવામાં આવી છે. સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને રજૂ કરતા આ ક્લાસિકલ-શાસ્ત્રીય સ્વરૂપે વંદે સોમનાથ કાર્યક્રમને માણવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૌ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.