સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તિસ્તા સેતલવાડ પર જોરદાર પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. નોંધનીય છે કે, તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITના એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. આરોપ છે કે, ગોધરાકાંડ બાદ તિસ્તાને 30 લાખ રૂપિયા અહેમદ પટેલના કહેવા પર મળ્યા હતા. આ મામલે સંબિત પાત્રાએ આજે પત્રકાર પરિષદ યોજીને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.
- Advertisement -
Affidavit has brought the truth out that who were the ones who were driving these conspiracies – Ahmed Patel: BJP leader Sambit Patra on 2002 Gujarat riots' SIT's affidavit stating that at Ahmed Patel’s behest, Teesta Setalvad and others plotted to destabilise Gujarat govt (1/2) pic.twitter.com/J1WIGuNCRo
— ANI (@ANI) July 16, 2022
- Advertisement -
અહેમદ પટેલ દ્વારા સોનિયા ગાંધીએ ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યુ-પાત્રા
SITના એફિડેવિટને આધાર બનાવીને સંબિત પાત્રાએ કહ્યું કે, એફિડેવિટથી સત્ય બહાર આવ્યું છે કે, આ ષડયંત્ર પાછળ કોણ હતા. સંબિત પાત્રાએ કહ્યું કે, અહેમદ પટેલના કહેવાથી તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે, અહેમદ પટેલ માત્ર એક નામ છે, જેનું પ્રેરક બળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ દ્વારા ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
30 લાખનો પહેલો હપ્તો સોનિયા ગાંધીએ તિસ્તાને આપ્યો-પાત્રા
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, મીડિયામાં એફિડેવિટ મુજબ આ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. પહેલા હપ્તા તરીકે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. આ 30 લાખ તે વખતે પ્રથમ હપ્તા તરીકે જ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ પછી સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને અપમાનિત કરવા અને બદનામ કરવા માટે કેટલા કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો અને માત્ર રાહુલ ગાંધીને પ્રોત્સાહન આપવા માટે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડનો ઉપયોગ કર્યો. સંબિત પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આના પર કહ્યું હતું કે, કેટલાક લોકો એક ષડયંત્ર હેઠળ આ વિષયને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખોટા તથ્યો રજૂ કરી રહ્યા છે અને હવે આ લોકો પર પણ કાયદો કડક થવો જોઈએ. 2002ના ગુજરાત રમખાણોમાં કોંગ્રેસે જે રીતે નરેન્દ્ર મોદીને ષડયંત્ર હેઠળ અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
Affidavit has brought the truth out that who were the ones who were driving these conspiracies – Ahmed Patel: BJP leader Sambit Patra on 2002 Gujarat riots' SIT's affidavit stating that at Ahmed Patel’s behest, Teesta Setalvad and others plotted to destabilise Gujarat govt (1/2) pic.twitter.com/J1WIGuNCRo
— ANI (@ANI) July 16, 2022
અહેમદ પટેલ માત્ર એક નામ-તેમની પાછળ સોનિયા ગાંધી હતા
પાત્રાએ કહ્યું કે, આજે એફિડેવિટમાં એ વાત સામે આવી છે કે, ષડયંત્રના માસ્ટરમાઈન્ડ સોનિયા ગાંધીના ભૂતપૂર્વ મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ હતો. અહેમદ પટેલ માત્ર એક નામ છે, આ બધા પાછળ સોનિયા ગાંધીનું નામ મુખ્યત્વે છે. સોનિયા ગાંધીએ ગુજરાત અને નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનું કાવતરું ઘડ્યું હતું.