યુનિવર્સિટીનાં પ્રારંભ બાદ પ્રથમ વખત છ વિદ્યાર્થીઓને ડોકટરેટની ડીગ્રી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જુન-2017 માં અનુસ્નાતક ભવનોનો શુભારંભ થયો હતો અને ધીમે-ધીમે યુનિવર્સિટી શિક્ષણ, સેવા અને સંસ્કારનું વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. તાજેતરમાં જ યુનિવર્સિટીમાંથી સૌપ્રથમ વખત વિવિધ વિષયોમાં કુલ છ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.(ડોકટરેટ)ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
- Advertisement -
જેમાં વિશ્ર્વજીત અરુણભાઈ કવાએ ઈતિહાસ વિષયમાં ડો.વિશાલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના પ્રખ્યાત યાત્રાધામો : એક ઐતિહાસિક અધ્યયન (ઈ.સ.1850 થી ઈ.સ.2000) ટાઈટલ સાથે ડોકટરેટની ડીગ્રી હાંસલ કરી છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના હાલના કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીની ગાઈડશીપ હેઠળ અંગ્રેજી વિષયમાં રોહલ શોધનભાઈ રાવલ તથા પૂર્ણાન્સુ શામજીભાઈ દુધાત્રાએ અનુક્રમે સિનેમેટિક પોટરવર્સ : અ ક્રિટીકલ સ્ટડી ઓફ ફીલ્મ એડોટટેશન્સ ઓફ સિલેક્ટ હેરી પોટર નોવેલ્સ એન એન્વાર્યમેન્ટલ ક્ધસર્ન ઇન સિલેક્ટ ઇન્ડિયન ઇંગ્લિશ નોવેલ્સ એક્રોસ ઇન્ડિયા : એન ઇકોક્રીટીકલ સ્ટડી ટાઈટલ ઉપર ડોકટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. સાથે સાથે ગૌરાંગ બાવચંદભાઈ પટેલે પણ અંગ્રેજી વિષયમાં ડો.રાજેશભાઈ લાડવાના માર્ગદર્શનમાં રીવીઝીટીંગ માયથોલોજી ઇન સિલેક્ટ નોવેલ્સ ઓફ દેવદત પટ્ટનાયક એન્ડ અમિષ ત્રિપાઠી ટાઈટલ સાથે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.
ઉપરાંત દિનેશકુમાર અજમલભાઈ તનવરે મનોવિજ્ઞાન વિષયમાં ડો.રાજેશભાઈ ડોડીયાના માર્ગદર્શનમાં પોલીસ કોન્સ્ટેબલમાં વ્યવસાયિક મનોભાર, આક્રમકતા અને આવેગિક પરિપક્વતાનો વિસ્તાર, જાતિ તથા વ્યવસાયિક અનુભવના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ ટાઈટલ સાથે ડોકટરેટની ડીગ્રી મેળવી છે. આજરોજ લાઈફ સાયન્સીસના બોટની વિષયમાં ડો.બી. એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઢાંકી અભિષેકે બાયોલોજીકલ એફીસીયન્સી ઓફ સમ અલ્ગલ એક્ષટ્રેકટ ફ્રોમ પોરબંદર કોસ્ટ ટાઈટલ સાથે પીએચ.ડી.નો ફાઈનલ વાયવા આપ્યો હતો.