દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. નવા શોનું નામ ‘ધરતીપુત્ર નંદિની’ છે જેમાં દીપિકા દમદાર રોલમાં જોવા મળશે.
દીપિકા ચીખલિયાને દરેક વ્યક્તિ રામાનંદ સાગરના ટીવી શો ‘રામાયણ’માં ભજવેલ પાત્રથી ઓળખે છે. દીપિકા ચીખલિયાએ ‘રામાયણ’માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવી લીધું છે. દીપિકા હવે એક નવા શો સાથે પાછી ફરી છે, જેની વાર્તા અયોધ્યા પર આધારિત છે.
- Advertisement -
આ શોમાં જોવા મળશે દીપિકા ચીખલિયા
શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે. દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ ‘ધરતીપુત્ર નંદિની’ છે. આ શોના વિડિયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે.
View this post on Instagram- Advertisement -
લોકોના મગજમાંથી સીતાનું પાત્ર ગયું નથી
દીપિકા ચીખલિયાએ તેમની આ સિરિયલ વિશે વાત કરતાં કહ્યું કે- આજે પણ લોકોના મગજમાંથી સીતાનું પાત્ર ગયું નથી. આવી સ્થિતિમાં લોકો આજે પણ મને સીતા માતાની જેમ પૂજે છે. અયોધ્યાના ગુપ્તર ઘાટના મંદિરમાં પંડિતોએ મારા પગને સ્પર્શ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના પર મેં એમને કહ્યું કે-આવું ન કરો, તમે વૃદ્ધ હોવા સાથે પંડિત પણ છો તો એમને મને કહ્યું કે, ના તમે તો માતા છો.
View this post on Instagram
33 વર્ષ પછી ટીવી પર વાપસી કરી રહી છું
દીપિકા ચીખલિયાએ કહ્યું- ‘રામાયણ’ પછી મેં ‘ટીપુ સુલતાન’માં કામ કર્યું અને હવે હું ‘ધરતીપુત્ર નંદિની’માં કામ કરવા જઈ રહી છું. હું 33 વર્ષ પછી ટીવી પર વાપસી કરી રહી છું. હું ખુશ છું કે આ મારું પોતાનું નિર્માણ છે અને આ વાર્તા અયોધ્યાની છે. તેણે આગળ કહ્યું- મારા પાત્રનું નામ સુમિત્રા છે. આ સીરિયલમાં અમન જયસ્વાલ અને શગુન સેઠ પણ જોવા મળશે. હું લાંબા સમયથી કોઈ પ્રોડક્શનનું કામ શરૂ કરવાનું વિચારી રહી હતી. સીતા માતાના રોલને કારણે મને પછીથી કોઈ સારી ઑફર્સ મળી રહી ન હતી અને જે મળ્યું તે મને પસંદ નહોતું.
દીપિકાએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, ‘મારા જીવનમાં ઘણો સંઘર્ષ ચાલી રહ્યો હતો. મને સમજાતું નહોતું કે હવે શું કરવું. લોકડાઉન દરમિયાન મને મારું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું આવ્યું. આ માટે મેં ઘણા લોકોનો સંપર્ક કર્યો. પછી ક્યાંક સારી સ્ક્રિપ્ટ મળે તે માટે દોઢ વર્ષ રાહ જોઈ. હવે આ સીરિયલ 21 ઓગસ્ટ 2023થી ટેલિકાસ્ટ થવા જઈ રહી છે.’