By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    3 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    5 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!
AuthorParakh Bhatt

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 12:57 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ફક્ત 16 કિલોમીટર દૂર, સિંહાચલ પર્વત પર સ્થિત છે આ સિંહાચલમ્ મંદિર, જેની વિશેષતા એ છે, કે અહીં ભગવાન વિષ્ણુના વરાહ અને નરસિંહ અવતારનું સંયુક્ત સ્વરૂપ છે.   

મોડર્ન ધર્મ 
– પરખ ભટ્ટ 

હરિ… તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી? ભગવાન શ્રી હરિ વિષ્ણુના હજારો નામ. કોઈ એમને રામ કહે, કોઈ એમને કહે શ્યામ, કોઈ કહે સીતારામ, તો કોઈ રાધેશ્યામ. દેવાલયોમાં ભક્તો ભક્તિભાવથી એમના બધા અવતારોની પૂજા અને અર્ચના કરે છે.

Contents
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ફક્ત 16 કિલોમીટર દૂર, સિંહાચલ પર્વત પર સ્થિત છે આ સિંહાચલમ્ મંદિર, જેની વિશેષતા એ છે, કે અહીં ભગવાન વિષ્ણુના વરાહ અને નરસિંહ અવતારનું સંયુક્ત સ્વરૂપ છે.   મોડર્ન ધર્મ  – પરખ ભટ્ટ સિંહાચલમ્ મંદિર પ્રભુ નરસિંહની મૂર્તિ પર ચોવીસેય કલાક ચંદનનો લેપ લગાવી રાખવામાં આવે છે! માત્ર અક્ષયતૃતીયાએ એક દિવસ માટે આ લેપ મૂર્તિ ઉપરથી હટાવવામાં આવે છે.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ફક્ત 16 કિલોમીટર દૂર, સિંહાચલ પર્વત પર સ્થિત છે આ સિંહાચલમ્ મંદિર. જેની વિશેષતા એ છે, કે અહીં ભગવાન વિષ્ણુના વરાહ અને નરસિંહ અવતારનું સંયુક્ત સ્વરૂપ છે. જે માતા લક્ષ્મી સાથે બિરાજમાન છે. બીજી ખાસિયત એ પણ છે કે અહીંયા પ્રભુ નરસિંહની મૂર્તિ પર ચોવીસેય કલાક ચંદનનો લેપ લગાવી રાખવામાં આવે છે! માત્ર અક્ષયતૃતીયાએ એક દિવસ માટે આ લેપ મૂર્તિ ઉપરથી હટાવવામાં આવે છે અને એ જ દિવસે ભક્તોને વાસ્તવિક મૂર્તિના દર્શન પ્રાપ્ત થાય છે! આ મંદિર ભગવાન નરસિંહના ભારતમાં સ્થિત 18 નરસિંહ ક્ષેત્રોમાંનું એક છે.

- Advertisement -

હોળીના તહેવારની કથા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહ્લાદ સાથે જોડાયેલી છે. કથા એવી છે કે હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ રાજા હતો, જે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજયમાંના એકનો પુનર્જન્મ હતો. એમાંથી બીજો દ્વારપાળ એનો ભાઈ હિરણ્યકશ્યપ હતો. ચાર સનાતનકુમારો – સનાકા, સનંદન, સન્તકુમાર અને સનંતસુજાતા – એ બંને દ્વારપાળ જય અને વિજયને શાપ આપ્યો હતો! કારણકે એમણે આ ચાર ભાઈઓને વિષ્ણુ ભગવાનના દર્શન કરવાની પરવાનગી નહોતી આપી, જેના પરિણામસ્વરૂપ બંને દ્વારપાલકોએ ત્રણ વખત અસુર બનીને પુનર્જન્મ લેવો પડ્યો!
હિરણ્યકશિપુએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા હેતુ તપસ્યા કરવાનો નિર્ણય લીધો, જેથી એ સંસારમાં અમર બની શકે! એણે ઘોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું. પણ બ્રહ્માજીએ એને કહ્યું કે તું જે ઈચ્છે છે એ શક્ય નથી એટલે ભગવાને એને એવું વરદાન આપ્યું કે કોઈ પણ દેવ-દાનવ, પશુ-પ્રાણી-પક્ષી કે માનવ એની હત્યા નહીં કરી શકે; જળ, આકાશ અને ધરતી પર ક્યાંય એનું મૃત્યુ નહીં થાય; સવાર કે રાતના સમયે તેનો વધ શક્ય નહીં બને; કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર તેના મૃત્યુનું કારણ નહીં બની શકે! આ પ્રકારનું અમોઘ અને અતિવિશિષ્ટ વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુનુ મૃત્યુ સ્વયં બહુ મોટું રહસ્ય બની ગયું હતું. એ નીડરની સાથોસાથ ક્રૂર અને વધારે લાલચી થત ગયો. પ્રજાને હેરાન પરેશાન કરવામાં તેણે કંઈ બાકી નહોતું રાખ્યું.

એનો પુત્ર એટલે પ્રહ્લાદ, જે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો અને હંમેશા એમની ભક્તિમાં ખોવાયેલો રહેતો હતો. પ્રહ્લાદના પિતા એની પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિને સહન નહોતા કરી શકતા, જેના કારણે તેઓ ક્રોધિત થયા! હિરણ્યકશિપુએ ઘણી બધી વાર પ્રહ્લાદને મારવાનો પ્રયત્ન કર્યો. એકવાર પર્વતની ટોચ ઉપરથી એને નીચે પાડ્યો! બીજીવાર સાપ સાથેની અંધારી કોઠીમાં મૂકી દીધો! અને ત્રીજી વખત એક ભૂખ્યા સાવજની ગુફામાં ફેકી દીધો! પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ એની સહાયતા કરી, એને બચાવી લીધો. નારાયણના સ્વરૂપમાં તેઓ પ્રહ્લાદની સતત રક્ષા કરી રહ્યા હતાં.

- Advertisement -

સિંહાચલમ્ મંદિર પ્રભુ નરસિંહની મૂર્તિ પર ચોવીસેય કલાક ચંદનનો લેપ લગાવી રાખવામાં આવે છે! માત્ર અક્ષયતૃતીયાએ એક દિવસ માટે આ લેપ મૂર્તિ ઉપરથી હટાવવામાં આવે છે.

પ્રહ્લાદને મારવા હેતુ હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને કહ્યું. હોલિકા એને પોતાના ખોળામાં રાખી અગ્નિમાં બેસી ગઈ! આ રીતે, પ્રહ્લાદને સળગાવી મૂકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ પોતે જ ભસ્મ થઈ ગઈ! એ પ્રસંગ પરથી જ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. ભક્ત પ્રહ્લાદને હિરણ્યકશિપુથી બચાવવા માટે જ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો. માન્યતા છે કે હિરણ્યકશિપુનો ભગવાન નરસિંહના હાથે સંહાર થયા બાદ પ્રહ્લાદે સિંહાચલમ્ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ કાળક્રમે મંદિર ધરતીમાં સમાઈ ગયું.

ઘણા વર્ષો પછી રાજા પુરુરવા એમની પત્ની ઉર્વશી સાથે આકાશ માર્ગે ભ્રમણ કરી રહ્યા હતા, એ દરમિયાન એમનું વિમાન કોઈ કુદરતી શક્તિથી પ્રભાવિત થઈને દક્ષિણના સિંહાચલ ક્ષેત્રમાં જઈ ચઢ્યું! એમણે જોયું કે પ્રભુની પ્રતિમા ધરતીના ગર્ભમાં સમાયેલ છે. એમણે એ પ્રતિમાને બહાર કાઢીને તેના ઉપર જામેલી ધૂળ સાફ કરી. એ જ સમયે અચાનક એક આકાશવાણી થઇ, પ્રતિમાને સાફ કરવાને બદલે એને ચંદનના લેપથી ઢાંકીને રાખવામાં આવે! સાથોસાથ એવી પણ સૂચના મળી કે મૂર્તિના શરીર પરથી વર્ષમાં માત્ર એક વખત, વૈશાખ મહિનાના ત્રીજા દિવસે ચંદનનો આ લેપ કાઢવામાં આવે! અને એક જ દિવસ ભક્તોને પ્રભુની વાસ્તવિક પ્રતિમાના દર્શન પ્રાપ્ત થઇ શકશે.

આકાશવાણીમાં સૂચવ્યા પ્રમાણે જ મૂર્તિ પર ચંદનનો લેપ કરવામાં આવ્યો અને ત્યારથી વર્ષમાં ફક્ત એકવાર લેપ કાઢવામાં આવે છે. એ ઘટના પછી ભગવાનની પ્રતિમાને સ્થાપિત કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આમ તો, ભારતમાં પ્રભુ નરસિંહના ઘણા મંદિરો આવેલા છે, પણ વિશાખાપટ્ટનમનાં સિંહાચલમ્ મંદિરને એમનું ઘર માનવામાં આવે છે.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિત આ મંદિર વિશ્વના પ્રાચીનતમ મંદિરોમાંનું એક માનવામાં આવે છે! સમુદ્રતટથી 800 ફૂટ ઊંચું અને ઉત્તરીય વિશાખાપટ્ટનમથી 16 કિલોમીટરના અંતર પર આવેલા આ મંદિર સુધી પહોંચવાનો માર્ગ અનાનસ, કેરી વગેરે ફળોના વૃક્ષોથી સુશોભિત છે. રસ્તામાં વટેમાર્ગુઓના આરામ માટે હજારોની સંખ્યામાં મોટા પથ્થરો આ વૃક્ષોની છાયા નીચે સ્થાપિત છે. મંદિર સુધી ચઢવા માટે સીડીઓનો માર્ગ છે, જેમાં વચ્ચે વચ્ચે તોરણ બનેલા છે.

શનિવાર અને રવિવારના દિવસે દેવાલયમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પ્રભુના દર્શન કરવા હેતુ આવે છે. અહીંયા દર્શન કરવા માટેનો યોગ્ય સમય અપ્રિલથી જૂન સુધીનો હોય છે. મંદિરના પરિસરમાં મનાવવામાં આવતું મુખ્ય પર્વ છે, ‘વાર્ષિક કલ્યાણમ’ (ચૈત્ર સુદ એકાદશી) તથા ચંદન યાત્રા (વૈશાખ માસનો ત્રીજો દિવસ)!

ઇસવીસન 1098માં ચોલા રાજ્યના રાજા કુલોથથુંગા દ્વારા શિલાલેખ કોતરાવવામાં આવેલા, જે આ દેવાલયની પ્રાચીનતા દર્શાવે છે. મંદિરમાં એવો શિલાલેખ મળી આવ્યો છે, જેમાં કલિંગ (પ્રાચીન ઓરિસ્સા)ની પૂર્વીય ગંગાની રાણી (વર્ષ 1137 – 1156)ની વ્યાખ્યા આપવામાં આવી છે, જ્યારે અન્ય એક શિલાલેખ ઓરિસ્સાનાં પૂર્વીય ગંગા રાજા, નરસિંહદેવ (વર્ષ 1279 – 1306)ના વિષયમાં જણાવે છે. ઈતિહાસ પ્રમાણે, આ દેવાલયના મધ્ય ભાગનું નિર્માણ ઇ.સ. 1267માં કરવામાં આવેલું. મંદિરની દીવાલો પર તેલગુ અને ઉડિયા ભાષાનાં 252 શિલાલેખો છે, જે મંદિરના પૂર્વવર્તી વર્ણવે છે. વર્ષ 1516 થી 1519ની વચ્ચેના સમયગાળામાં રાજા કૃષ્ણદેવરાય મંદિરની મુલાકાતે આવ્યા હતા. એમણે આ દેવસ્થાનમાં કેટલા ય મૂલ્યવાન અલંકારો અર્પણ કર્યા, જેમાં નીલમથી સજ્જ એક બહુમૂલ્ય હાર આજે પણ મંદિરમાં જોઈ શકાય છે! બીજા અનેક રાજાઓને સંબંધિત શિલાલેખ મંદિરમાં પ્રાપ્ય છે. તેનું શિલ્પકામ કોર્ણાકના મંદિર જેવું જ છે. પરિસરમાં પથ્થરનો રથ છે, જેમાં અશ્વો પણ જોડવામાં આવ્યા છે! તદુપરાંત, 16 સ્તંભોથી બનેલો ઓરડો, જેમાં ઉપરોક્ત શિલ્પો અને પાષાણ-પ્રતિમાઓ બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. પાછલી ત્રણ સદીઓથી વિજયનગરના રજવાડી કુટુંબ પુસાપતિ ગજપતિ આ દેવાલયના ટ્રસ્ટી છે. વિજયનગરના છેલ્લા રાજા ડો. પીવીજી રાજૂગારૂએ સિંહાચલમ્ દેવસ્થાન માટે લાખો એકર જમીન દાનમાં આપી દીધી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરમાં મંગલ આરતી થાય છે અને એની સાથે જ ભગવાનના દર્શન શરૂ થાય છે. સવારે 11:30 થી 12:00 અને બપોરે 2:30 થી 3:00 વાગ્યા સુધી બે વાર અડધા કલાક માટે દર્શન બંધ થઇ જાય છે. રાતે 9 વાગ્યે ભગવાનના શયનનો સમય થઈ જતાં મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.

You Might Also Like

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

એઇમ્સ અને હિરાસર એરપોર્ટે રાજકોટને નવી ઓળખ આપી

AI : અલાદ્દીનનો જીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અભિનેત્રી લારા દત્તા થઈ કોરોના સંક્રમિત, BMCએ ઘરને સીલ કરી તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું
Next Article અભ્યાસ દ્વારા મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharyaખાસ-ખબર

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનીષ આચાર્ય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?