By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલોચ બળવાખોરોનો કહેર: BAAM ઓપરેશનમાં 50 પાકિસ્તાની સૈનિકો અને ઈંજઈંના એજન્ટો ઠાર
    3 hours ago
    જાપાને ઇન્ટરનેટ ઝડપમાં નવી ઊંચાઈ સર કરી 10.20 લાખ Gbpsનો રેકોર્ડ, વિશ્ર્વ ચકિત
    3 hours ago
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    7 hours ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    1 day ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પરથી 3,300થી વધુ લાઉડસ્પીકરો દૂર કરાયા: મુખ્યમંત્રી ફડણવીસ
    5 hours ago
    બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી
    6 hours ago
    “ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
    7 hours ago
    ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
    7 hours ago
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 World Cup 2026: ઇટાલી 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
    5 hours ago
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘બોર્ડર 2’ ફિલ્મમાં સની દેઓલનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
    5 hours ago
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    1 day ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    1 day ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    6 hours ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    4 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 day ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 months ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સિલ્વર જ્યુબિલી દીક્ષાગ્રહણ સમારોહ સંપન્ન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સિલ્વર જ્યુબિલી દીક્ષાગ્રહણ સમારોહ સંપન્ન
રાજકોટ

શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો સિલ્વર જ્યુબિલી દીક્ષાગ્રહણ સમારોહ સંપન્ન

Khaskhabar Editor
Last updated: 2024/09/16 at 5:18 PM
Khaskhabar Editor 10 months ago
Share
7 Min Read
SHARE

જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાંથી ઉજવળ કારકિર્દી હાંસલ કરનાર 125 પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
શિક્ષા અને દીક્ષા એક મંચ ઉપર નિહાળી શિક્ષણ પ્રધાન અને ગૌસ્વામી 108 વ્રજકુમારજી આનંદિત થઈ પ્રભાવિત થયા
રાજકીય સામાજિક આગેવાનો તથા વાલીઓ અને જુના કાર્યકર્તાઓથી ભરાઈ ગયેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

તા.14/09/2024 આજરોજ શ્રી રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સિલ્વર જ્યુબિલી દીક્ષા ગ્રહણ સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમના ઉદઘાટક તરીકે પૂ. પા. ગૌસ્વામી 108 વ્રજકુમારજી મહારાજ તથા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ-આરોગ્ય-કાયદા વિભાગના મંત્રી માન. ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકોટના મેયર માન.નયનાબેન પેઢડીયા ટ્રસ્ટના ચેરમેન માન. વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

- Advertisement -

પૂ. પા. ગૌસ્વામી 108 વ્રજરાજકુમારજીએ આશિર્વચન પાઠવતા જણાવેલ કે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા કેળવવી અત્યંત જરૂરી છે. મન એકાગ્ર હોય તો યાદશક્તિ વધે છે તેને માટે સૂર્ય, ચંદ્ર અને દિપક સામે એકધારું જોવાનું ત્રાટક કરવું જોઈએ. ઉપરાંત મૌન ધારણ કરવાથી શક્તિનો સંચય થાય છે. સાથે સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જંકફૂડ ત્યજીને ફળોનો આહાર કરવાનો ખાસ આગ્રહ કર્યો હતો. આજે મોબાઈલની આડઅસર થી બચવા માટે આટલી વાત કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત તેમેણે જણાવેલ કે આજરોજ દાન એકાદશી છે. દાનમાં પણ વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે. પુજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ પ્રવૃત્તિ નિયમિત રીતે કરી રહી છે. કોઈપણ દેશની પ્રગતિ એ દેશ કેટલો શિક્ષિત છે તેના ઉપરથી નક્કી થઈ શકે છે. પુજીત ટ્રસ્ટ સેવાની સાથે આ દેશભક્તિનું કર્મ પણ કરી રહ્યું છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ટ્રસ્ટ શિક્ષા અને દીક્ષા બંને કરી રહ્યું છે જે સરાહનીય છે. શાસ્ત્રોક્ત વિધિથી દીક્ષા ગ્રહણ કરેલા છાત્રોને જોઈને તેમણે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ હું ચૂકી ગયો હોત તો મને ખૂબ અફસોસ થાત. આવા કાર્યક્રમ ભાગ્યે જ જોવા મળે છે. વિજયભાઈનો પુજીત એક પુણ્યશાળી આત્મા હતો જે થોડા સમય માટે આવ્યો અને રૂપાણી દંપતીને સેવાનો એક અલગ માર્ગ દેખાડતો ગયો. આજે પુજીતના માધ્યમથી સેકડો પુજીત નિર્માણ થયા છે જે ભારતનું ભાવિ ઘડનાર ઘડવૈયા છે. દીક્ષિત છાત્રોને શીખ આપતા જણાવેલ કે આજે તમોને આ ટ્રસ્ટનો સાથ મળ્યો છે તમો ભણી ગણીને ઉચ્ચ સ્થાને પહોંચો ત્યારે સમાજના જરૂરીયાતમંદ બાળકોને સાથ આપજો તો આ યજ્ઞ મહાયજ્ઞ બની રહેશે તેમ કહી ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી આશિર્વચન પાઠવતા રાજ્યના શિક્ષણ, આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાંથી મળેલી નામના અને પૈસાને પાછું સમાજને આપવાનું આવે ત્યારે સમાજના નબળા વર્ગની આશા પરિપૂર્ણ થાય છે. વિજયભાઈ એ એક રાજકારણી જીવ છે પરંતુ તેમના હૃદયમાં પડેલી સંવેદના આ ગરીબ બાળકોના ઉત્થાનમાં ઉજાગર થાય છે. તેમનામાં એક માનવતાવાદી ઇન્સાનના દર્શન થાય છે.

પ્રાસ્તાવિક ઉદબોધન કરતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સર્જન વગરનું વિજ્ઞાન વ્યર્થ છે તેમ દીક્ષા વગરનું શિક્ષણ વ્યર્થ છે. આ ટ્રસ્ટમાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. આ ટ્રસ્ટમાં કોઈ નાત જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. પુજીતના અવસાન બાદ વિચાર આવ્યો કે કંઈક એવું કાર્ય કરવું કે જેનાથી સેવા થાય અને સમાજનું પણ ભલું થાય ત્યારે છેવાડાના માનવીનો વિચાર આવ્યો એટલે કે કચરો વીણતા બાળકો. આ બાળકોને નથી પોતાનું બાળપણ મળતું કે નથી બે ટકનો રોટલો, બસ આવા બાળકોનું ઉધ્ધાર કરવાનું નક્કી કર્યું અને આ દિશામાં ટ્રસ્ટ સતત કાર્યશીલ છે.
જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના માધ્યમથી એવા બાળકો કે જેઓ ભણવામાં હોશિયાર હોય પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય, સારું પ્લેટફોર્મ ન હોય તેમને ટ્રસ્ટ દ્વારા આ બધું પૂરું પાડી આજે 300 થી વધુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની મંજીલે પહોંચાડ્યા છે. આ બાળકોનો તો ઉધ્ધાર થયો છે સાથે સાથે તેમના પરિવારનો પણ ઉધ્ધાર થયો છે. આજે કેટલાય બાળકો ડોક્ટર થયા છે, એન્જિનિયર થયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, સારી સારી કંપનીમાં જોબ કરતા થયા છે. આવા બાળકો આજે આ દીક્ષા ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા છે એમને જોઈને એમ લાગે છે કે 25 વર્ષના તપનું આ ફળ છે, પરિણામ છે. આ બાળકો આજે આત્મનિર્ભર થયા છે અને દેશને પણ આત્મનિર્ભર બનાવવા આ બાળકો અગ્રેસર બની રહેશે.

કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણીએ મહેમાનોના પરિચય સાથે સ્વાગત પ્રવચન કરેલ. જયારે ચેરમેન વિજયભાઈ સહિત તથા ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી તથા મહેશભાઈ ભટ્ટ વગેરેએ મહેમાનોનું બુકેથી સ્વાગત કર્યું હતું.

- Advertisement -

આજના આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ હતું કે છેલ્લા 25 વર્ષથી ચાલતા જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાંથી આગળ આવેલા અને ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરનાર 125 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર, એન્જિનિયર, સી.એ. થયેલા અને દેશ-વિદેશની સારી કંપનીમાં જોબ મેળવી પગભર થયેલા વિદ્યાર્થીઓએ ગૌરવ અને હર્ષ વ્યક્ત કર્યો હતો કે તેઓ ક્યાં હતા અને આજે ક્યાં છે. એક રિક્ષાવાળાની દીકરી ડોક્ટર બને, એક કારખાના વાળાનો દીકરો એન્જિનિયર બને, એક સામાન્ય પરિવારનો દીકરો સી.એ. બને આ વિદ્યાર્થીઓ આજે એક સાથે ભેગા થયા હતા અને પોતાની સિદ્ધિઓ વિજયભાઈ તથા અંજલિબેન સમક્ષ ગૌરવથી રજૂ કરી હતી. આજના કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટી મતિ અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત કમિટી મેમ્બર્સ હિંમતભાઈ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, સી. કે. બારોટ, ભારતીબેન બારોટ તથા ઉલ્કાબેન બક્ષી, વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ ઉપરાંત કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા, કિશોરભાઈ ગમારા, ઉમેશભાઈ કુંડલીયા, દિલીપભાઈ મીરાણી, કિરીટભાઈ પરમાર, કેતનભાઇ મેસવાણી કે.બી.ગજેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આજના આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણી ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રવીણભાઈ માંકડિયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભુપતભાઈ બોદર, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણે, એડીશનલ કલેકટર ચેતનભાઈ ગાંધી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ મોલિયા, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર, રામજીભાઈ માવાણી (પૂર્વ સાંસદ), રમાબેન માવાણી નેહલભાઈ શુક્લ, જાનવીબેન લાખાણી, નિલેશભાઈ શાહ, હરીશભાઈ શાહ, શૈલેષભાઈ લોટીયા, મયુરભાઈ શાહ, કમલેશભાઈ પારેખ, દિવ્યેશભાઈ અઘેરા, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, બીપીનભાઈ વસા, ગીતાબેન વસા, મીત્સુબેન વ્યાસ, મુકેશભાઈ મહેતા, શૈલેશભાઈ માંડલિયા, નીરદભાઈ પાઠક, રવજીભાઈ દવેરા, પ્રવિણભાઈ ખોખર, જયદીપભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ રત્નોતર એન.જી.પરમાર, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્પાબેન કુમારખાણીયા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, અનિલભાઈ ચાવડા, કાંતિભાઈ નિરંજની, દીપ્તિ ગરાચ, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

જનરલ બોર્ડમાં મંજૂરીની મહોર બાદ રાજકોટના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક થશે

રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા

વીરપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, નાગરિકો રોષે ભરાયા

કેન્દ્રીય ખાદ્ય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા સાથે સાંસદ રામભાઈ મોકરીયાએ મુલાકાત કરી

રાજકોટમાં ‘ન્યૂ મીડિયા એઝ ન્યૂઝ મીડિયા’ અને ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

TAGGED: Rajkot, Sri Pujit Rupani Memorial Trust
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે બ્લડ ડૉનેશન કેમ્પ યોજાયો
Next Article સોનમ નવનાત ગરબા મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનો ધમાકેદાર પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જનરલ બોર્ડમાં મંજૂરીની મહોર બાદ રાજકોટના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા
વીરપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, નાગરિકો રોષે ભરાયા
એસ.ટી.નિગમમાં 2320 કંડક્ટર, પાણી પુરવઠા વિભાગના 144 ઇજનેરને નિમણૂક પત્ર એનાયત
રાજ્યના 1200 ન્યાયાધીશને એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે
રાજકોટમાં મેગા લોક-અદાલત: પેન્ડિંગ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનરલ બોર્ડમાં મંજૂરીની મહોર બાદ રાજકોટના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

વીરપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, નાગરિકો રોષે ભરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?