ખાસ ખબર સંવાદદાતા
શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજ, રાજશ્રી શાહુ છત્રપતિના વંશજ કોલ્હાપુરના યુવરાજ અને રાજ્યસભાના સાંસદ શ્રીમંત સંભાજી રાજે છત્રપતિએ રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નિશાંતસિંહ ભાટી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમંત સંભાજી રાજે છત્રપતિએ રાજકોટની રાજકુમાર કોલેજમાં 5 વર્ષ અભ્યાસ કર્યો છે.
- Advertisement -
રાજકોટ શહેરની મુલાકાત બાદ ગોંડલ શહેરની મુલાકાત લીધી હતી. તેમજ શહેરના જિલ્લા પંચાયત ચોકમાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર ચડાવીને ફૂલ અર્પણ કર્યા હતા. આ તકે રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.