400 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો: વિનામૂલ્યે નિદાન સાથે દવાઓનું વિતરણ
ડોકટરની સલાહ મુજબ લોહીનું પ્રાથમિક પરીક્ષણ પણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના ભવન ‘કિલ્લોલ’ 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે 400 દર્દીઓએ વિનામૂલ્યે નિદાન સાથે દવાઓનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને ડોકટરની સલાહ મુજબ લોહીનું પ્રાથમિક પરીક્ષણ પણ કરી આપવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આઈ.એમ.એ. પ્રમુખ ડો. કાંત જોગાણી ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટ્રસ્ટની મેડીકલ સેવાની પ્રવૃત્તિઓ સાથે અન્ય પ્રવૃત્તિઓને બિરદાવી કેમ્પને સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવેલી તેમજ દર્દીઓને પોતાના આરોગ્ય બાબતે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ કેમ્પના લાભાર્થી દર્દીઓના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી શુભકામના પાઠવેલી હતી તેમજ આ કેમ્પમાં સેવા આપનાર તમામ ડોકટરો, કાર્યકર્તાઓ તથા કર્મચારી ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના પ્રમુખ દિવ્યેશભાઈ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવો અને ડોકટર્સની સમગ્ર ટીમનું ટ્રસ્ટના ટ્રસ્ટી, કાર્યકર્તાઓ તથા કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત ડોકટરોએ પોતાની સેવાઓ આપેલી હતી, જેમાં કાન, નાક, ગળા વિભાગમાં ડો. જતીન મોદી, ડો. દર્શન ભટ્ટ, ડો. જુહી મણીયાર, ડો. સેજલ ભટ્ટ, જનરલ સર્જન વિભાગમાં ડો. વિભાકર વચ્છરાજાની, ડો. પ્રતાપ ડોડીયા, ડો. જીજ્ઞેશ ભીમાણી, ગાયનેક વિભાગમાં ડો. નિરંજન પરીખ, ડો. પ્રતિમાબેન પરીખ, ડો. હેતસ્વી કાકડીયા, ડો. તારાબેન ગાંધી, એમ.ડી. વિભાગમાં ડો. અમિત હપાણી, ડો. કરણ મોઢવાડીયા, બાળરોગ વિભાગમાં ડો. ઝંખના સંઘવી, સ્કીન વિભાગમાં ડો. ભાવેશ શાહ, ડો. ઓમદેવસિંહ ગોહિલ, ઓર્થોપેડીક વિભાગમાં ડો. કેતન ઠક્કર, ડો. કલ્પેશ બજાણીયા, ડો. વિશાલ માંગરોળીયા, ડો. નિશીથ સંઘવી, દંતરોગ વિભાગમાં ડો. જીનીશાબા સોઢા. ડો. વિવેક સરવૈયા, ડો. રચના સુરાણી, ડો. બંસી કારીયા, મેડીકલ ઓફીસર ડો. સલોની ડોડીયા તથા ડો. નેન્સી ડોબરીયા, લેબોરેટરી વિભાગમાં અલ્પાબેન ભટ્ટ, રાજુભાઈ ભટ્ટએ પોતાની સેવાઓ આપેલ હતી.
- Advertisement -
આ કાર્યક્રમના સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેડીકલ કમિટીના મેમર્બ્સ મહેશભાઈ ભટ્ટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ, બિપીનભાઈ વસા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.