ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
શિવનગર યાત્રાને લઈને ગોંડલમાં શિવમય માહોલ જોવા મળ્યો હતો.
પાવન અને પવિત્ર શ્રાવણ માસ નાં પ્રારંભે ગોંડલ શહેરમાં શિવ નગરયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે. શિવ નગરયાત્રા ને લઈ ને ગોંડલમાં શિવમય માહોલ સર્જાયો હતો મુક્તેશ્વર ટ્રસ્ટ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર માં મુખ્ય માર્ગો પર થી 5 કિલોમીટર ના રૂટ પર યાત્રા નીકળી હતી અનેક સામાજિક સંસ્થાઓ, સેવાકીય ગ્રુપ દ્વારા ઠેર ઠેર, સરબત, આઈસ્ક્રીમ, ચા – પાણી, સહિત ના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
- Advertisement -
શોભાયાત્રા માં ભગવાન શિવજીની વિશાળકદ ની દૈદિપ્યમાન મુર્તિ સાથે ના મુખ્ય રથ, બે જેટલા ઉઉં, બાઇકો, કાર, સાથે અન્ય ફલોટસ, મંડળો, ધુન મંડળો જોડાયા. કાશીવિશ્ર્વનાથ મંદિર થી સંતો મહંતો ના વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય ગીતાબા જાડેજા, અને નગરપાલિકા ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યોએ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. કોલેજ ચોક, શ્યામવાડીચોક, ભુવનેશ્ર્વરી રોડ, ખટારા સ્ટેન્ડ, કડીયાલાઇન, માંડવીચોક, મોટીબજાર, પાંજરાપોળ, જેલચોક, કુંભારવાડા, ભોજરાજપરા, સાઇડીંગ રોડ થઈ મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પુર્ણ કરવામાં આવી હતી.
શોભાયાત્રામાં શહેર ના તમામ શિવ મંદિરો ના સંતો મહંતો, સાધુ સમાજ નગર યાત્રા મા જોડાયા હતા.ગોંડલ ખાતે શિવજીની નગર યાત્રાનુ સતત બીજા વર્ષે આયોજનમાં શહેરની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, મંડળો, અગ્રણીઓ, આગેવાનો સહિત ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વાર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગોંડલ શહેરમાં ભવ્ય ભગવાન શિવજી ની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર નગર યાત્રા ના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજ ના લોકો તેમજ રાજકીય આગેવાનો દ્વારા પુષ્પ અને હારતોરા કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, સરબત, આઈસ્ક્રીમ, કોલડ્રીંકસ, ફ્રુટ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આજરોજ ગોંડલ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સતત બીજા વર્ષે પણ ભગવાન શિવજી ની નગર યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યાત્રા જે જે રાજમાર્ગો પર થી પસાર થવાની છે તે સમગ્ર રૂટ ને ધજા, પતાકા થી શણગાર કરવામાં આવ્યું હતું. તેમજ યાત્રા માં અંદાજે 500 જેટલા બાઈક અને કાર સવારો ઝંડી સાથે યાત્રામાં જોડાયા હતા.
- Advertisement -
શોભાયાત્રાને સફળ બનાવવા અરવિંદભાઈ ભાલાળા, રાજુભાઇ ધાના, ગોપાલભાઈ ટોળીયા, ધર્મેન્દ્રભાઇ રાજાણી, હિરેનભાઇ ડાભી, ગોરધનભાઈ પરડવા, અશોકભાઈ પીપળીયા, પ્રવિણભાઈ રૈયાણી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર નગર યાત્રા દરમ્યાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.