ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષક દ્વારા હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે સબજેલ ચોક શિવાજી સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવાજી મહારાજને ફૂલોથી વધાવીને જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની જય શિવાજીના નારા સાથે આભ ગુંજી ઉઠ્યું હતું.