નારી સંરક્ષણ કેન્દ્ર, ગોધરાની દીકરી ભારતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં શરણાઈના સૂર રેલાયા અને ઢોલ ઢબુક્યા હતા. ગૃહની દીકરીના લગ્ન અને ક્ધયાદાનનો તમામ ખર્ચ સરકાર અને દાતાઓ ઉઠાવ્યો હતો. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા નારી સંરક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો થકી તારીખ 04 ફેબ્રુઆરી,2024ના રોજ નારી ગૃહમાં ઉછરેલી દીકરી ભારતી પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. નારી સંરક્ષણ ગૃહ,ગોધરા ખાતે દીકરી ભારતીના લગ્નની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એ દિવસ હવે દૂર નથી ,જ્યારે આ નારી સંરક્ષણ ગૃહ શરણાઈના સૂરો અને ઢોલના તાલે ગૂંજી ઉઠી હતી. ગોધરા ખાતે આવેલા આ નારી સંરક્ષણ ગૃહે આ દીકરીને નાનપણથી પોતાની દીકરીની જેમ સાચવી છે અને એક પરિવાર જેવી હુંફ આપી છે. હવે તેના લગ્ન યોજાઈ રહ્યા છે, ત્યારે આ લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા અને સરકાર દ્વારા વહન કરવામાં આવશે. ઉપરાંત આ દીકરીના ક્ધયાદાન અને ચાંદલામાં આવેલી રકમને ફિક્સ ડિપોઝીટ પણ કરવામાં આવી હતી. તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ગોધરા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સવારે 9.30 કલાકે જાનનું આગમન થયું હતું,બપોરે 12.29 કલાકે હસ્ત મેળાપ કરાયો તથા સાંજે 3.30 કલાકે ક્ધયા વિદાય થઇ હતી. આ અવસરે નવદંપત્તિને આશિષ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. આ લગ્નમાં કરિયાવર તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓના સહયોગથી ભેટ રૂપે નવયુગલને આપવામાં આવશે.
- Advertisement -