અરજદારોના જુદાજુદા 1860 જેટલા પ્રશ્ર્નોનું હકારાત્મક નિરાકરણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં રેશમીયા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા 1860 જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં રેશમિયા, ડોસલીઘુના, લોમાકોટડી, મેવાસા (શેખલીયા), પીપળીયા(ધા), ચીરોડા(રાજ), કાબરણ, રાજપરા, પાંચવડા, મોકાસર, લાખચોકીયા, પીયાવા, પીપરાળી, હબીયાસર, હિરાસર, લાખણકા, સણોસરા, અકાળા, જશાપર, ખેરાણા, શેખલીયા, રામપરા(રાજપરા), ખાટડી, ત્રંબોડા, નાની મોરસલ, ભીમોરા સહીત કુલ 26 જેટલા ગામનાં રહીશોએ લાભ મેળવ્યો હતો.
- Advertisement -
જેમાં ડીવમીંગને લગતી 1409 અરજી, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે 230 અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા અંગે 14 અરજી, આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે 35 અરજી, રેશનકાર્ડમાં સુધારા કરવા માટે 15 અરજી, આવકના દાખલા માટે 15 અરજી સહીત નામોશ્રી યોજના, નવા વીજ જોડાણ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ 1860 અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત 11 જેટલા પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, તેમજ 55 જેટલા લોકોને ડાયાબીટીસ અને બીપીની ચકાસણી કરી હેલ્થ વેલનેસ કાર્ડ આપવામાં આવ્યા હતા.