સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના અત્યાધુનિક બર્ન્સ યુનિટમાં મળેલી તાત્કાલિક અને સંપૂર્ણ સારવારને લીધે દર્દીઓનો આબાદ બચાવ
ખાસ-ખબર સંવાદદાતા
થોડા સમય પહેલાં મોરબીની એક જાણીતી કંપનીમાં ટેકનિકલ ક્ષતિના લીધે ગેસ લીકેજ થતાં ભયાનક આગ લાગી હતી. જેમાં આ ત્રણેય દર્દીઓ જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા અને રવિ આદ્રોજા 50થી 70 ટકા ગંભીર રીતે દાઝી ગયેલ હતા, જેથી તેમની સ્થિતિ ખૂબ જ ક્રિટીકલ બની ગઈ હતી. તેમને ઈમરજન્સીમાં સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટના સિનિયર સર્જન અને ટ્રોમા સર્જરીના સ્પેશ્યાલિસ્ટ ડૉ. મયુર વાઘેલાની સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેય દર્દીઓને મેજર બેર્ન્સ હોવાને લીધે દર્દીઓને તાત્કાલિક બર્ન્સ વોર્ડના આઈ.સી.યુ.માં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ત્રણેય દર્દીના મેજર બર્ન્સ ઉપર ડૉ. મયુર વાઘેલા દ્વારા મલ્ટીપલ સર્જરીઓ કરવામાં આવી હતી.
- Advertisement -
આ કેસ વિશે વધુ માહિતી આપતાં ડૉ. મયુર વાઘેલા જણાવે છે કે આવા મેજર બર્ન્સમાં 100માંથી માત્ર પાંચ કે સાત દર્દીઓ બચી શકે છે, અને આવા મેજર બર્ન્સના દર્દીઓને સમયસર પૂરતી સારવાર ન મળે તો તેમના હાથ અને પગમાં ખામીઓ પણ રહી શકે છે પરંતુ સમયસર અને સચોટ સારવાર મળી રહેતાં આવા દર્દીઓને કોઈપણ જાતની શારીરિક ખામી રહેતી નથી.