સુરત – રાજકોટના 300 લોકો સતત પાંચ દિવસ વીના મુલ્યે સેવા યજ્ઞ કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનાર ની એક દિવસ અગાઉ લીલી પરિક્રમા નો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે સુરત નું સિદ્ધનાથ સેવા મંડળ છેલ્લા 13 વર્ષ થી વિના મુલ્યે અન્નક્ષેત્ર ચલાવે છે.જેમાં સુરત અને રાજકોટ ના 300 જેટલા લોકો પરિક્રમા દરમિયાન પાંચ દિવસ ખાડે પગે રહીને નિસ્વાર્થ ભાવે અન્નક્ષેત્ર ચલાવી ભવેભવ નું ભાથું બાંધવા આવતા ભાવિકોને ભોજન કરાવે છે.જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યા માં સેવા આપે છે.અન્નક્ષેત્રમાં 10 લાખ જેવો ખર્ચ સિદ્ધનાથ સેવા મંડળ ના સભ્યો જાતે ઉઠાવે છે કોઈ ફંડ ફાળા વગર સેવા યજ્ઞ ચલાવેછે.જેમાં 36 ડબ્બા ઘી,51 ડબ્બા તેલ ,600 મણ રવો , 600 કિલો ખાંડ ,600 કિલો તુવેરદાળ ચોખા 1200 કિલો,121 મણ ઘવ , 1500 કિલો રીંગણાં,1300 કીલી બટેટા ,600 કિલો ટામેટા સાથે અન્ય 1000 કિલો શાકભાજી તેની સાથે મરી મસાલા સહીત ની સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે.અન્નક્ષેત્ર માં તમામ ભોજન જાતે બનાવે છે કોઈ પણ ઇલોક્ટ્રોનિક આઈટમ નો ઉપયોગ કરવામાં આવેછે તેની સાથે ભાવિકો ભોજન કરીને ડીશ પણ ધોવાની થતી નથી સિદ્ધનાથ યુવક મંડળ ના સભ્યો ડીશ ધોવેછે અને ભાવિકો ભોજન કરીને વધેલું ભોજન ના નિકાલ માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અન્નક્ષેત્ર થી દૂર પાઈપલાઈન દ્વારા દૂર ખાડા માં ઠલવાઇ છે અને ખાડા માં મીઠુ નાખી નિકાલ કરવામાં આવેછે જેનાથી જંગલ માં ગંદકી નો થાય ત્યારે પરિક્રમા સ્વચ્છતા ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવેછે તેની સાથે અન્નક્ષેત્ર બહાર ડેરવાણ જય ગિરનારી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષ થી વિના મુલ્યે પાણી વિતરણ કરવામાં આવે છે.