ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ઇન્કમ ટેકસ રિટર્નમાં વરિ નાગરિકોને રાહત આપતી જાહેરાત કરી છે. સરકારે કેન્દ્રીય બજેટ-2023 પહેલા વરિ નાગરિકોની શ્રેણી માટે આવકવેરા રિટર્ન નિયમો અપડેટ કર્યા છે. નાણા મંત્રાલયે તેના સત્તાવાર ટીટમાં જણાવ્યું છે કે 75 વર્ષથી વધુ વયના વરિ નાગરિકો જેમની પાસે માત્ર બેંક પેન્શન ખાતું અને વ્યાજ છે. તેમની આવકના એકમાત્ર ક્રોત તરીકે બેંક ખાતા પર છે, હવે તેમને ફાઇલ કરવાની જર નથી. આ માટે આવકવેરા અધિનિયમ-1961માં નવી કલમ સેકશન 194-પી સામેલ કરવામાં આવી છે. આ અપડેટ એપ્રિલ 2021 થી લાગુ થશે. આ અંગે કેટલાક નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને બેંકોને તેની જાણ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ અનુસાર આ સેકશન કાર્યરત કરવામાં આવી છે. આ માટે સંબંધિત ફોમ્ર્સ અને શરતો અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે નિયમ 31, નિયમ 31,એ ફોર્મ 16 અને 24કયુમાં જરી સુધારા પણ કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હવે આપણે આપણા દેશના સ્વતંત્રતા દિવસના 75માં વર્ષમાં છીએ ત્યારે અમે ઉત્સાહ સાથે અમારી યાત્રા ચાલુ રાખીશું. પરંતુ અમે ટેકસ કમ્પ્લાયન્સનું ભારણ ઘટાડીશું. એવા વરિષ્ઠ નાગરિકો માટે જેમની આવક પેન્શન અને વ્યાજ પર આધારિત છે અમે તેમને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુકિત આપવાનો પ્રસ્તાવ મુકયો છીએ. તેમની જે બેંકમાં ખાતું હશે, તે બેંક તેમની આવક પર કરની રકમ કાપશે. 1991ના આર્થિક સુધારા દ્વારા ભારતને જે વૃદ્ધિની રસી આપવામાં આવી હતી.
, તેને વર્તમાન મોદી સરકારના સાડા આઠ વર્ષના કાર્યકાળમાં બૂસ્ટર ડોઝ મળ્યો છે.
સિનિયર સિટિઝન્સને ઇન્કમટેકસ રિટર્નની ઝંઝટમાંથી મુક્તિ
