કોરોનાની ત્રીજી લહેર બાદ આજથી ફરી ધોરણ 1થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ
શરૂ થઈ રહ્યું છે.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાની ત્રીજી લહેરની અલવિદા એટલે કે, કેસમાં ઘટાડો થતા ફરી શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ શરુ થઇ રહ્યો છે. પરંતુ વારંવાર શાળાઓ બંધ રહેતા બાળકોમાં અભ્યાસ માટે શાળાએ જવાની રુચિ ઘટી રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે ફરી શાળા તો શરૂ થઈ રહી છે પણ 30 ટકા વિધાર્થીઓને શાળાએ જવાની ઇચ્છા નથી થતી. વારંવાર શાળાઓ બંધ રહેતા 35 ટકા બાળકોમાં લર્નિંગ લોશ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
કોરોનામાં બે વર્ષમાં અવાર નવાર શાળાઓ બંધ રહી. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી ધોરણ 1થી 9ની શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. જોકે હાલમાં જ દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ અને ફરી કોરોનાના કેસના કારણે શાળાઓ બંધ રાખવી પડી. હવે કેસ ઘટતા ફરી શરૂ તો થઈ રહી છે છતાં 30 ટકા બાળકો શાળાએ જવા રાજી નથી.
એજ્યુકેશન એક્સપર્ટ કહે છે કે, પાછલા બે વર્ષના સમયમાં શાળાઓ ચાલુ હતી ત્યારની શાળાઓમાં વિધાર્થીઓની હાજરીના આંકડાનો અભ્યાસ કરીએ તો 30 ટકા એવા વિધાર્થી એવા છે જેઓને શાળાએ જવાની ઈચ્છા ન થતી હોય. પણ શાળાએ જવાની રૂટિન લાઈફમાં આવતા 10થી 15 દિવસ થશે.
આ ઉપરાંત વિધાર્થીઓની અન્ય બાબતો પર પણ અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે, વિધાર્થીઓનું અલગ અલગ વિષયમાં લોન્ગ કવેશચન આન્સરમાં વિધાર્થીઓનું પર્ફોર્મનસ ડાઉન જોવા મળ્યું છે. વિધાર્થીની લખવાની આદત ઘટી ગઈ છે જેથી વૈકલ્પિક જેવા પ્રશ્ર્નો વિધાર્થીઓ ઝડપથી સોલ્વ કરતા હોય છે. અને આ મુશ્કેલીમાં વધારો થશે જો વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટીસ નહિ રાખે તો.