સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્યતા અભિયાનનો ઠેકો લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
દેશ અને રાજ્યમાં હાલ સૌથી પ્રબળ શકિતશાળી તરીકે ભાજપ પક્ષ ઉભરાયો છે ત્યારે હાલ રાજ્ય ભરમાં ભાજપના નવા સાડી બનાવવા માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જેમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા દરેક કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો સહિતનાઓ સદસ્યતા ટાર્ગેટ આપ્યો છે પરંતુ જેઓને મતદાન કરવાનો પણ અધિકાર નથી તેવા વિદ્યાર્થીઓને પણ ભાજપના કાર્યકરો અત્યારથી કમળનો સિમ્બોલ લગાવી રાખ્યું હોવાનો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની કુમારી એમ.આર ગાર્ડી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે આ વિદ્યાર્થીઓને હજુ તો મતદાન કરવાનો અધિકાર પણ નહિ હોય તેવામાં અત્યારથી ભાજપના સદસ્ય બનાવી દીધા છે. સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રકારે ભાજપના સદસ્ય બનાવવાનું બીડું અન્ય કોઈ નહિ પરંતુ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ જ ઝડપ્યું છે. જ્યારે સ્કૂલના વોટસઅપ ગ્રુપમાં શિક્ષક દ્વારા ભાજપ સદસ્યતા માટેની લીંક પણ નાખવામાં આવી છે અને દરરોજ વોટસઅપ ગ્રુપ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે માહિતી આપવાના બદલે મોબાઇલ લઈને સ્કૂલે જવા માટેનું ફરમાન કરતી મેસેજ પણ વાઇરલ કરાયો હતો જે બાદ વિદ્યાર્થીઓને ફરજિયાત ભાજપ સદસ્ય પણ બનાવ્યા હતા. ત્યારે આ મામલે શિક્ષક રાયધનભાઈને પૂછતાં તેઓએ આચાર્ય મુકેશભાઈ નીમાવતના કહેવાથી વિદ્યાર્થીઓને ભાજપ સદસ્યતા જોડ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે અકુલના આચાર્ય મુકેશ નીમાવતનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ રાજકીય પક્ષના સદસ્ય બનાવવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત કાર્યકર બનાવવા આ કેટલા હદે વ્યાજબી કહી શકાય છે ? અને એટલું જ નહિ પરંતુ વિદ્યાર્થીઓને ભાજપના કાર્યકર બનાવવા માટે સ્કૂલના શિક્ષકો અને આચાર્ય શીખે પણ મહેનત કરે ? ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ફરજિયાત સદસ્ય બનાવવા મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલના શિક્ષક અને આચાર્ય પર કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
- Advertisement -
અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડાવા બાબતે શિક્ષક રાયધનભાઈ દ્વારા આચાર્ય મુકેશ નિમાવત આદેશથી વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવાનું જણાવ્યું હતું જ્યારે આચાર્ય મુકેશ નિમાવત સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
સ્કૂલના વિદ્યાર્થીઓને અભિયાનમાં જોડવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝા દ્વારા જણાવાયું હતું કે ” સ્કૂલ ગ્રાન્ટેડ હોવાથી સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરી શકાય નહિ છતાં કોઈ વાલી લેખિત ફરિયાદ અથવા રજૂઆત કરશે તો કાર્યવાહી કરવામાં આવશે”.