દિલ્હીમાં હવે સ્કૂલો પર લાગેલા તાળાં હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડે. સીએમ મનીષ સિસોદિયાએ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં સોમવારનાં 14 ફેબ્રુઆરીથી નર્સરીથી ધોરણ 8 સુધીની શાળાઓ ખોલવામાં આવશે. એ પણ સુનિશ્ર્ચિત કરી દેવામાં આવ્યું છે કે, તમામ શિક્ષકો વેક્સિનેટેડ થઇ જાય. ધોરણ 9થી 12 માટે 07 ફેબ્રુઆરીથી શાળા ખોલવાની સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુનો સમય 10 વાગ્યાથી વધારીને 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જ્યારે રેસ્ટોરન્ટ હવે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
એ સિવાય જિમ, સ્પા અને સ્વિમિંગ પૂલ ખોલવા માટે પણ સૂચના આપવામાં આવી છે.