કોરોનાના કેસો વધતાં મનપાની આરોગ્ય શાખા દરેક શાળાઓમાં ગુરૂવારથી વેક્સિનેશન ઝૂંબેશ હાથ ધરશે
ખાસ-ખબર સંવાદદાતા
આજથી શૈક્ષણિક કાર્ય ફરીથી ધમધમતું થયું છે. શાળાઓ ખૂલી ગઈ છે ત્યારે દોઢ મહિનાના વેકેશન બાદ આજે ફરી સ્કૂલો શરૂ થતાં બાળકો મન હોય કે ન હોય શાળાએ પહોંચ્યા હતા. શાળાઓમાં માસ્ક નહીં પરંતુ સેનેટાઈઝ કરી બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, તો બીજીબાજુ મનપાની આરોગ્ય શાખા દ્વારા આવતા અઠવાડિયાથી ખાનગી અને પ્રાઈવેટ શાળામાં ગુરૂવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
- Advertisement -
દરેક શાળાઓમાં ગ્રુપ પ્રમાણે બાળકોને વેક્સિન આપવામાં આવશે. કોરોનાની વાત કરીએ તો ભારતમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. ચોમાસાના આગમનની સાથે કોરોના વાયરસનું પ્રમાણ પણ ચિંતાજનક વધી રહ્યું છે. ગઈકાલે વધુ શહેરમાં 3 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ કોરોનાના કેસ વધતાં હવે મનપાની આરોગ્ય ટીમ દરેક શાળાઓમાં ગુરૂવારથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરશે. વધુમાં મનપાની આરોગ્ય શાખા દરેક શાળામાં વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરશે. 12થી 14 વર્ષના 61,879 બાળકો અને 15થી 17 વર્ષના 78,367 બાળકોને વેક્સિન આપવામાં આવશે. આમ આ આંકડા મુજબ આરોગ્ય શાખાની ટીમ ટાર્ગેટ પૂરો કરવાનો લક્ષ્યાંક છે તેમજ 15થી 17 વર્ષના બાળકો છે તેમાં 85 ટકા ટાર્ગેટ પૂરો થયો છે તેમજ 12થી 14 વર્ષના 64 ટકા બાળકોને વેક્સિન અપાઈ છે. આમ હવે જે બાળકોને વેક્સિનના ડોઝ આપવાના બાકી હોય તેમને ગુરૂવારથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.