ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
1 જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે સરકારની મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના (MBBS) મેડિકલ (MBBS) ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન આ યોજના હેઠળ ગુજરાતની 25,768 વિદ્યાર્થિનીને ડોક્ટર બનવા માટે રૂ.772 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2024-25માં રાજ્યની તબીબી શાખાની 5155થી વધુ વિદ્યાર્થિનીઓને હેઠળ રૂ.162.69 કરોડની શિષ્યવૃત્તિ આર્થિક સહાયરૂપે મળી છે.
- Advertisement -
મેડિકલ (MBBS) ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માગતી ગુજરાતની દીકરીઓનું તબીબી શિક્ષણ આર્થિક મુશ્કેલીઓને લીધે અટકે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે ‘મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના’ (MBBS) અમલી બનાવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખઇઇજમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યમાં અસંખ્ય મહત્ત્વાકાંક્ષી ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના સપનાંને સાકાર કરી રહી છે.
મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના હેઠળ રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ ધો-12 પછી ખઇઇજમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર આર્થિક સહાય ચૂકવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 25,768 વિદ્યાર્થિનીને ડોક્ટર બનવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.772 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
વર્ષ 2024-25 માટે આ યોજના હેઠળ 4500 વિદ્યાર્થિનીને 150 કરોડની સહાયનો લક્ષ્યાંક હતો, જેની સામે 5155 વિદ્યાર્થિનીને રૂ.162.69 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના વર્ષ 2017-18માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ, રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ માટે 50% પ્રવેશ ફી રાજ્ય દ્વારા સ્પોન્સર કરાય છે.