જૂનાગઢ, ગીર સોમનાથ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ તે અંગે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયા ઉભી થઇ છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હાલ વરસાદી અંગે કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદનો વાર્તારો દેખાઈ રહ્યો છે.
- Advertisement -
અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગરમાં વરસાદ રહેશે
રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયો વરસાદ પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આજથી સુરત, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ તાપી, ભરૂચ, દમણમાં પણ વરસાદ માહોલ જોવા મળશે અને રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગરના ખેડૂતોની પણ આતુરતાનો અંત આવી શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં રહેશે વરસાદ
- Advertisement -
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા,અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદ પડી શકે છે. જણાવાયુ છે. એક બાજુ આગાહી અને બીજી બાજુ રાજ્યના અમુક શહેરોના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ અંગે ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે.