કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાકને ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાતને વધાવતા વિજય કોરાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે વધાવ્યો છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ.69થી રૂ.596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં, વર્ષ 2025-26માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ.7263 પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ.8110 પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. 2369 પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. 3699 પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. 2775 પ્રતિ ક્વિ., રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ.2400 પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. 8000 પ્રતિ ક્વિ., મગ માટે રૂ. 8768 પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. 7800 પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. 5328 પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. 9846 પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાજરાના ટેકાના ભાવમાં 63 ટકા, તુવેરના ટેકાના ભાવમાં 59 ટકા, અડદના ટેકાના ભાવમાં 53 ટકા, મકાઈના ભાવમાં 59 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.