કોઈપણ પશુ કે પ્રાણીની નિ:શુલ્ક સારવાર કરાશે: 13 તારીખે ભવ્ય ઉદ્ઘાટન સમારંભનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જીવદયાપ્રેમી સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ રાજકોટ દ્વારા વધુ એક સેવાકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ સંસ્થા રાજકોટમાં છેલ્લા ઘણાં વર્ષોથી અવિરત અબોલ જીવોની સેવા કરી રહી છે ત્યારે રાજકોટ નજીક કણકોટ મુકામે પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન તા. 13-4-2025 ને રવિવારના રોજ સવારે 9થી 10-30 કલાકે સ્થળ કણકોટ ગામ, સૂર્યમુખી ચોક, ઘોડાઘટ ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ જયેશભાઈ બોઘરા, મનીષાબેન વેકરીયા, કણકોટ મામલતદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કેન્દ્રમાં સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધીમાં કોઈપણ પશુ કે પ્રાણીની નિ:શૂલ્ક સારવાર કરવામાં આવશે. આ કેન્દ્ર સંપૂર્ણપણે દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે તેમજ ઉદ્ઘાટન પ્રસંગે માનવંતા મહેમાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.