રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની ટુરીઝમ કોર્પોરેશનમાં બદલી થતા ડો.ઓમ પ્રકાશ સોમવારે કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે
ગુજરાતમાં ફરી એકવાર ઈંઅજ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના ખઉ તરીકે બદલી કરવામાં આવી છે. જેના સ્થાને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમ પ્રકાશ કલેક્ટર તરીકે કાર્યરત થશે. ત્યારે પ્રભવ જોશીએ મીડિયા સમક્ષ વાત કરી હતી કે, મારા સમયમાં એઈમ્સ અને હીરાસર એરપોર્ટ બન્યા જેનો મને સંતોષ છે.
- Advertisement -
હીરાસર એરપોર્ટ બન્યુ ત્યારે જમીન સંપાદનનો પ્રશ્ન ચાલી રહ્યો હતો જેમાં ટીમવર્ક દ્વારા સફળતા મેળવી. આ સિવાય કેન્દ્ર સરકારની 11 જેટલી ફ્લેગશીપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ રહેતા હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ. 20 લાખનો રોકડ પુરસ્કાર કલેક્ટર પ્રભવ જોશીને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જગ્યા પર દબાણ કરનારા સામે આકરી કાર્યવાહી કરી કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી. આ સિવાય ચેકડેમ ઊંડા કરવાની કામગીરીની પણ રાષ્ટ્રીય લેવલ પર નોંધ લેવાઈ છે. સોલાર તથા વિશ્વકર્મા યોજનામાં પણ રાજકોટ જિલ્લાનું નામ મોખરે રહ્યું છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ સંકુલ ખાતે થવાની હતી, પરંતુ વરસાદી સ્થિતિને ધ્યાને રાખીને હવે જિલ્લા કક્ષાની ઉજવણી કાલાવાડ રોડ ખાતેના મલ્ટી પર્પઝ સ્પોર્ટ્સ સંકુલ, રાજકોટ ખાતે કરવામાં આવશે.
કલેકટર પ્રભવ જોશી દ્વારા તેમના કલેકટરના કાર્યકાળ દરમ્યાન રાજકોટ શહેર-જીલ્લામાંથી રૂા.1600 કરોડથી વધુની કિંમતની જમીન પરના દબાણો, બેંક રીકવરીની કામગીરી કરવામાં આવી છે.
રાજકોટ શહેર જીલ્લાની તેઓની વિકાસ કામગીરીને પગલે રાજકોટ જીલ્લાને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેઓને દિલ્હી ખાતે પીએમ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ ઉપરાંત કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ શહેર જીલ્લામાં વિવિધ સરકારી નવ જેટલી યોજનાઓમાં 100 લક્ષ્યાંક સાથે રેકર્ડ બ્રેક કામગીરી કરી છે.બીનખેતી અપીલના કેસોમાં પણ તેઓની કામગીરી નોંધપાત્ર રહી છે. પ્રભવ જોશીએ રાજકોટ કલેકટરનો ચાર્જ સંભાળ્યા પૂર્વે અપીલના કેસોનો મોટાપાયે ભરાવો થયો હતો જેમાં તેઓએ અઠવાડીયામાં બે બે સીપમાં અપીલના બોર્ડ ચલાવી આ કેસોનો નિકાલ કરવામાં મહત્વની ફરજ બજાવી છે. કલેકટર પ્રભવ જોશી પ્રમાણિક અધિકારી તરીકેની છાપ ધરાવી રહ્યા છે.
કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ બદલ પ્રભવ જોશીએ પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો
- Advertisement -
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીનો આજે જન્મદિવસ
કર્મ એ જ ધર્મને વરેલા એવા રાજકોટ જિલ્લાના કલેકટર પ્રભવ જોશીનો આજે જન્મદિવસ છે. સાદગીને વરેલા અને અરજદારોને તેમજ નાનામાં નાના સ્ટાફ સાથે માન-સન્માનથી આત્મીયતા કેળવીને કામ કરતા પ્રભવ જોશી ઉપર આજે ઠેર- ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મુળ રાજસ્થાન વતની અને ગુજરાતની 2014ની બેચના આઈએએસ અધિકારીએ પોતાની સનદી અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆત પણ રાજકોટથી જ કરી હતી. તેઓનું પ્રથમ પોસ્ટિંગ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે થયું હતું. જ્યાં તેઓએ રાજકોટ અને લોધિકા તાલુકાના અનેક પ્રશ્ર્નોનો નિવેડો લાવી તેમજ અરજદારોને ઝડપી ન્યાય અપાવી ખૂબ લોકચાહના મેળવી હતી. તેઓની આ કર્મનિષ્ઠાથી પ્રેરણા મેળવી કલેકટર કચેરીની વિવિધ શાખાઓ પણ રજાના દિવસોમા કાર્યરત રહી પેન્ડિંગ કામોનો નિકાલ કરી રહી છે. પ્રભવ જોશી નિરામય રહી અને હજુ પણ સતત પ્રગતિના શિખરો સર કરે તેવી ખાસ ખબર પરિવાર શુભકામનાઓ પાઠવે છે