10,000 લોકોની બેઠક વ્યવસ્થા ખુરશી પર રાખવામાં આવી છે
રાત્રે વરસાદ હશે તો કાર્યક્રમ હેમુગઢવી હોલમાં રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ અને કલાસીક એચ.પી. રાજયગુરૂ કુંઈં. અને કેર ફોર હોમ ના સંયુક્ત ઉપક્રમે તા. 15/10/24 ને મંગળવાર રાત્રે 8/00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે હસાયરો યોજાશે. 10,000 (દસ હજાર) લોકોની બેઠક વ્યવસ્થા ખુરશી પર રાખેલ છે. આ સરગમી હસાયરો માં સરગમ સહ પરિવાર અને જાહેર જનતા વિના મૂલ્યે આમંત્રણ પાઠવીએ છીએ. આ હસાયરામાં કલાકાર સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, મનસુખભાઈ વસોયા વગેરે હાસ્યરસ પીરસશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાન વજુભાઈ વાળા (પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્ય) અને ઉદઘાટક ભાનુબેન બાબરીયા (મંત્રી શ્રી ગુજરાત રાજય) મુખ્ય અતિથી વિશેષ નયનાબેન પેઢડીયા (મેયર રાજકોટ મહાનગરપાલિકા) અને ડી.પી. દેસાઈ (કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા) મુખ્ય મહેમાન માં રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય, રાજકોટ), હરેશભાઈ લાખાણી (ઉખક ગ્રુપ, ચેરમેન), પરસોતમભાઇ કમાણી (ડોક્ટર પમ્પ અગ્રણી ઉદ્યોગપતિ), નીરજભાઈ આર્ય (ઉત્કર્ષ ટી.એમ.ટી. બાર), અતુલભાઈ રાજાણી (પ્રમુખ – રાજકોટ શહેર ક્રોગ્રેસ), નિખીલભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલપર્સ), રાહિલભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), મનીષભાઈ માડેકા (રોલેકસ રિંગ્સ પ્રા.લી.), ખોડીદાસભાઈ પટેલ (આર.કે. યુનિવર્સીટી ગ્રુપ, ચેરમેન), સુરેશભાઈ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ), પરાક્રમસિંહ જાડેજા (જ્યોતી ઈગઈ), શેલેષભાઈ માંકડિયા (રાધે ગ્રુપ), કેતનભાઈ મારવાડી (ચેરમેન મારવાડી એજ્યુકેશન ટ્રસ્ટ), રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) છગનભાઈ ગઢિયા (કઈંઈ એજન્ટ, અગ્રણી ઉદ્યોગપતિ) આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માં એચ.પી. રાજયગુરૂ કુંઈં. ચેરમેન હેતલભાઈ રાજયગુરૂ તેમજ કેર ફોર હોમ ચેરમેન એમ.જે. સોલંકીનો સહયોગ મળેલ છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, હેતલભાઈ રાજયગુરૂ, એમ. જે. સોલંકી ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.