By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    1 day ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    3 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    5 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    6 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    1 day ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    1 day ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    2 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    2 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    3 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    6 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ બેટ-દ્વારકા પચાવવા ષડયંત્ર રચ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ બેટ-દ્વારકા પચાવવા ષડયંત્ર રચ્યું
ગુજરાત

સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ બેટ-દ્વારકા પચાવવા ષડયંત્ર રચ્યું

Khaskhabar Editor
Last updated: 2022/05/25 at 10:43 AM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

બેટ-દ્વારકાના બ્રાહ્મણો, પુજારીઓ, વેપારીઓ, નગરજનોની હૈયાવરાળ

દુર્યોધન અને શકુનીએ હસ્તિનાપુર પચાવવા ષડ્યંત્ર રચેલું

- Advertisement -

હજારો વર્ષો પૂર્વે દુર્યોધન અને શકુનીએ હસ્તિનાપુર પચાવી પાડવા એક ભયાનક ષડ્યંત્ર રચ્યું હતું અને તેમના આ ષડ્યંત્રને પરિણામે કઈકેટલાય નિર્દોષ લોકોને ઘણુંબધું સહન કરવું પડ્યું હતું. શબ્દોના વર્ણવી ન શકાય તેવી તારાજી સર્જાય હતી. આજે દુર્યોધન અને શકુનીની જેમ સમીર પટેલ અને દિનેશ બદિયાણી બેટ-દ્વારકા પચાવી પાડવા ષડયંત્ર રચી રહ્યા છે. બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણી ધર્મના સ્થાનમાં રાજકરણ રમીને સમસ્ત બેટ-દ્વારકા પર પોતાનો કબજો જમાવવા મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. તેમના આ પ્રયાસને કારણે નિર્દોષ લોકોને ઘણુંબધું સહન કરવું પડી રહ્યું છે. સત્તા, સંપત્તિ પચાવી પાડવા દુર્યોધન અને શકુનીની જેમ લોભ, લાલચ, મોહ, માયાથી રત સમીર પટેલ અને દિનેશ બદિયાણીના બેટ-દ્વારકામાં કરેલા વધુ કેટલાંક આર્થિક-વહિવટ કૌભાંડો પરથી આજે પડદો ઉઠાવવામાં આવશે.

જગતપિતાના મંદિરનું નામ જગતભરમાં બદનામ કર્યું: સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ મંદિરને વેપારની દુકાન બનાવી દીધી

- Advertisement -

સમીર પટેલે મંદિરનું ગેસ્ટહાઉસ પચાવી પાડ્યું છે, હવે ટ્રસ્ટના ખજાના અને જમીનો પર કબજો કરવો છે!

દિનેશ બદિયાણી શકુનીની ચાલથી બધા કામકાજ પાર પાડી આર્થિક-વહિવટી કૌભાંડ કરે છે

હવે કૌભાંડી સમીર પટેલનો ડોળો મંદિરનાં કિંમતી ખજાના-જમીનો પર

ખાસ-ખબરના છેલ્લા બે અંકમાં બેટ-દ્વારકા મંદિરમાં થયેલા આર્થિક – વહિવટી કૌભાંડ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ-દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીની જોહુકમી અને વાણી-વિલાસ સામે સ્થાનિક હિંદુ પ્રજા તથા બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ મંદિરને વેપાર કરવાની દુકાન બનાવી દીધી હોવાનો આક્ષેપ બેટ-દ્વારકાના બ્રાહ્મણો, પુજારીઓ, વેપારીઓ, નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે. બેટ-દ્વારકા અને અહીંના દ્વારકાધીશ મંદિર સાથે સંકળયેલા કેટલાંક લોકોએ મીડિયા સમક્ષ આવીને દુર્યોધન જેવા ટ્રસ્ટી સમીર પટેલ અને શકુની જેવા ઈન્ચાર્જ દિનેશ બદિયાણીના પાપાચારની પોલ ખોલી છે. એટલું જ નહીં ખાસ-ખબરને સમીર પટેલ અને દિનેશ બદિયાણીના અન્ય કેટલાંક આર્થિક-વહિવટી કૌભાંડના પુરાવાઓ મળ્યા છે જે હવે પછી પ્રસ્તુત કરવામાં આવશે.

લાયન્સ ક્લબ દ્વારા વર્ષ 2007માં 35 લાખના ખર્ચે યાત્રાળુઓના ઉતારા, રહેવા, જમવા માટે આધુનિક ગેસ્ટહાઉસ બેટ-દ્વારકા મંદિરને અર્પણ કરવામાં આવ્યું હતું એ વીઆઈપી ગેસ્ટહાઉસ સમીર પટેલે પચાવી પાડ્યું છે. બેટ-દ્વારકા મંદિરના વીઆઈપી ગેસ્ટહાઉસ પર કબજો કરી લીધા બાદ સમીર પટેલનો ડોળો હવે બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટની માલિકીના અબજો રૂપિયાના ખજાના અને કરોડો રૂપિયાની જમીન પર છે. બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના કિંમતી ખજાના અને મહામૂલી જમીન પર પોતાનો કબજો જમાવવા માટે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે અને સમીર પટેલને આ કામમાં દિનેશ બદિયાણીનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. દિનેશ બદિયાણી બેટ-દ્વારકામાં રહેતાહેતા, મંદિર ટ્રસ્ટનો વહિવટ સંભાળતાસંભાળતા શકુની ચાલથી આખું ષડ્યંત્ર પાર પાડવાની વેતરણમાં છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણી બહુ જ ચાલાકીપૂર્વક ચાલ ચાલીને સર્વેસર્વાં બની ગયા છે.

બેટ-દ્વારકા આવતાં યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલાં ગેસ્ટ હાઉસમાં આજ સુધી એક પણ યાત્રાળુને ઉતારો અપાયો નથી

સમીર પટેલ અને દિનેશ બદિયાણીએ ટઈંઙ ગેસ્ટહાઉસ પચાવી પાડ્યું
2001માં ભૂકંપ બાદ લાયન્સ ક્લબે બેટ-દ્વારકામાં એક વીઆઈપી ગેસ્ટહાઉસ અને રહેણાંક સોસાયટીના મકાનો જરૂરિયાતવાળાને આપવા માટે નિર્માણ કર્યા હતા. જે બેટ-દ્વારકા મંદિરનું વીઆઈપી ગેસ્ટહાઉસ સમીર પટેલે પચાવી પાડ્યું છે અને રહેણાંક સોસાયટીના મકાનો જરૂરિયાતમંદ લોકોને આપવાને બદલે ટ્રસ્ટીઓના લાગતાવળગતાઓને આપી દેવાયા છે. વર્ષ 2007માં 35 લાખના ખર્ચે આધુનિક ગેસ્ટહાઉસ લાયન્સ ક્લબ દ્વારા તૈયાર કરી બેટ-દ્વારકા મંદિરને અર્પણ કરવામાં આવ્યું છે. આ વીઆઈપી ગેસ્ટહાઉસ ત્યારથી લઈ આજ સુધી ફક્ત મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને તેમના મહેમાનોના રહેવા-જમવા માટે જ ખુલે છે એ સિવાય આ વીઆઈપી ગેસ્ટહાઉસને તાળા બંધ રહે છે. વીઆઈપી ગેસ્ટહાઉસની ચાવી એકમાત્ર દિનેશ બદિયાણી પાસે હોય છે. ટ્રસ્ટી સમીર પટેલની સુચના અથવા ઈન્ચાર્જ દિનેશ બદિયાણીની ઈચ્છા વિરુદ્ધ બેટ-દ્વારકા મંદિરના ગેસ્ટહાઉસમાં કોઈને પ્રવેશ મળતો નથી.

બેટ-દ્વારકાનાં ગુગળી બ્રાહ્મણ પ્રમુખ તેમજ માજી સરપંચ તરૂણ પાઢ, મંદિરનાં મુખ્યાજી અતુલ ભટ્ટ અને વેપારી એસો.નાં પ્રમુખ અજય રાઠોડે મીડિયાને હકિકત જણાવી

સમીર પટેલ બ્રાહ્મણોને હેરાન પરેશાન કરે છે
બેટ-દ્વારકા મંદિરમાં વર્ષોથી પૂજાપાઠની સેવા કરતા તેમજ અહીના ગૂગળી જ્ઞાતિના પ્રમુખ અને માજી સરપંચ પુજારી તરૂણ પાઢે મીડિયાને જણાવ્યું હતું કે, બંધારણ પ્રમાણે મંદિરમાં કોઈ જાતની પ્રણાલી કે નિયમ ચાલતા નથી. આગળના ટ્રસ્ટીઓ અમને બોલવતા, માન-સન્માન આપતા, વાતચીન કરી સલાહસૂચન લેતા હતા જ્યારે છેલ્લા દસ વર્ષથી નવા ટ્રસ્ટીઓ અમને બોલાવતા નથી, અમારું અપમાન કરે છે અને ખાસ તો બ્રાહ્મણોને હેરાન પરેશાન કરે છે. ત્રણસોથી વધુ બ્રાહ્મણો અહીં વસવાટ કરે છે પરંતુ તેમની જ અવગણના અહીં થઈ રહી છે. અમારી ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને ચેરીટી કમિશનરને અરજ છે કે, નવા ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવે. આ ટ્રસ્ટ રદ્દ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અહીં પીવાના પાણીની કે બેસવા-રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી, ટ્રસ્ટને આવક ઘણી છે પરંતુ સુવિધાના નામે મીંડુ છે. ઘણા વર્ષોથી કડીયા કામ ચાલે છે પરંતુ અહીં કોઈ કામનો અંત આવતો જ નથી. ટ્રસ્ટ પાસે અબજો રૂપિયા છે અને બીજા કેટલાય રૂપિયા આવતા રહે છે પણ એ રૂપિયાનો ઉપયોગ થતો નથી. -તરૂણ પાઢ

સમીર પટેલ એક હથ્થુ શાસન ચલાવે છે
બેટ-દ્વારકા મંદિરના મુખ્યાજી અતુલ ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, મંદિરના પરિસરમાં આવેલી મહાપ્રભુજીની બેઠકમાં કોઈ પૃષ્ટિ સંપ્રદાય પ્રમાણે સેવા થતી નથી. અહીં કોઈપણ પ્રકારનો સેવાક્રમ ચાલતો નથી. મહારાજશ્રી જ્યારે પધારે ત્યારે દેખાડતા પૂરતું તમામ કામ સારૂ ચાલે છે. તેમના ગયા બાદ સેવા, ભજન, કિર્તન થતા નથી અને સેવાક્રમ જાળવવામાં આવતો નથી. મંદિરની વ્યવસ્થામાં ઘણી બધી ખામીઓ જોવા મળે છે. દેશ-દુનિયાભરથી આવતા યાત્રાળુ હેરાન થાય છે. આરામ કે બેઠક કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. હાલના ટ્રસ્ટી સમીર પટેલ એક હથ્થુ શાસન ચલાવી રહ્યા છે. સમીર પટેલની જોહુકમીને કારણે જૂના ટ્રસ્ટીઓ કંટાળીને ટ્રસ્ટ છોડી જતા રહ્યાં છે. આ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બૂટ-ચપ્પલ અને મોબાઈલ સાચવવાના ગમે તેમ પૈસા લેવામાં આવે છે અને ગમે તેમ પૈસાનો વહિવટ થાય છે. કોઈ પાવતી આપવામાં આવતી નથી. અહીં ટ્રસ્ટીઓનું એકચક્રીય શાસન ચાલે છે તે એકચક્રીય શાસન ન ચાલવું જોઈએ. સૌના સારા અને સૌની સુવિધા માટે આ બધું બંધ થવું જોઈએ. -અતુલ ભટ્ટ

સમીર પટેલ નાના વેપારીઓને દબાવે છે
બેટ-દ્વારકા વેપારી મંડળના પ્રમુખ અજયભાઈ રાઠોડે મીડિયાને જણાવ્યું કહ્યું હતું કે, દૂરદૂરથી જગત જમાદારનાં દર્શનાર્થે આવતા યાત્રાળુ માટે ટ્રસ્ટીઓએ કોઈપણ પ્રકારની વ્યવસ્થા પણ કરી નથી. બેટ-જેટીથી મંદિર સુધી વોશરૂમની કોઈ વ્યવસ્થા ન હોવાથી મહિલા વર્ગને પણ જાહેરમાં શૌચ કરવા પડે તેથી શરમજનક સ્થિતિ સર્જાય છે. અહીનું તંત્ર એકદમ ખાડે ગયું છે. યાત્રીકોની સુવિધા માટે ટ્રસ્ટીઓ ક્યારે કોઈ બેઠક કરી જ નથી. 2001ના ભૂકંપથી આ જ પરિસ્થિતિ છે. બપોરે 1થી 5 મંદિર બંધ કરીને બધા જતા રહે છે અને યાત્રિકો હેરાન થઈ રહ્યા છે. આટઆટલા વર્ષો થવા છતાં ટ્રસ્ટીઓએ મંદિરમાં કોઈ જ સુવિધા વધારી નથી. ટ્રસ્ટીઓ હાજર રહેતા નથી અને ક્યારે કોણ ટ્રસ્ટી અહીં આવી જતા રહે છે કોને કશી ખબર જ નથી હોતી. ટ્રસ્ટ કોમર્સિયલ ધંધો કરે છે. સમીર પટેલ નાના વેપારીઓને દબાવે છે અને હું જ કઈક છું એવી છાપ ઉભી કરવા માંગે છે. તેમની સામે જે ઉભા થાય તેમને બેસાડી દેવામાં આવે છે. બેટ-દ્વારકામાં સમીર પટેલની દાદાગીરી દિન-પ્રતિદિન વધી રહી છે. સરકારે આ મામલે રસ લે તે જરૂરી છે. -અજય રાઠોડ

મંદિરમાં લાગતા-વળગતાને ઘૂસાડી દેવાયાં

ખાસ-ખબર સંવાદદાતા
બેટ-દ્વારકા મંદિરના જૂના એકપણ કર્મચારીને લઘુતમ વેતન આપવામાં આવતું નથી. પ0 વર્ષથી કામ કરતા કર્મચારીના પગારમાં કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણીએ પોતાના લાગતાવળગતાને નવા કર્મચારી તરીકે ઘૂસાડી દીધા છે. સમીર પટેલ અને દિનેશ બદિયાણી દ્વારા વર્ષો જૂના કર્મચારીઓને નજીવો પગાર આપવાની અને તેમની સરખામણીમાં નવા કર્મચારીને બમણો પગાર આપવાની નીતિ-રીતિ ચાલી રહી છે. મંદિરના કોઈપણ કામમાં, જ્યાં આર્થિક વ્યવહારની વાત આવે ત્યાં પોતાના લાગતાવળગતાઓને લાભ ખટાવવા ટ્રસ્ટી સમીર પટેલ અને ઈન્ચાર્જ દિનેશ બદિયાણી તક સાધીને જ બેઠા હોય છે.

 

 

 

You Might Also Like

હારીજ: દાંતરવાડામાં 42 ગોળ ઠાકોર સમાજની બેઠક; કુરિવાજો ત્યાગવા અને દારૂબંધી માટે હુંકાર

નિવૃત્ત પોલીસના પુત્ર અને પુત્રવધૂ અજઈંની પત્નીના 9.80 લાખના દાગીના ઓળવી ગયા

જિયો અને રિટેલ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ, 5ૠ સબ્સ્ક્રાઇબર્સ 25 કરોડને પાર

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ દ્વારા 350 લોકોએ 45 દિવસમાં 950 આમંત્રણ કીટ તૈયાર કરી

આવતીકાલથી રાજકોટ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ

TAGGED: betdwarka, DINESHBADIYANI, samirpatel, દિનેશબદિયાણી, બેટદ્વારકા, સમીરપટેલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિ.નટવરલાલ: રાજકોટના અગ્રણી બિઝનેસમેન અનિલ ગાંધીએ એક જ બંગલાનો સોદો બબ્બે વ્યક્તિ સાથે કર્યો
Next Article ઉત્તર પ્રદેશમાં ધોધમાર વરસાદ અને વીજળી પડવાના કારણે એક દિવસમાં 39 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

હારીજ: દાંતરવાડામાં 42 ગોળ ઠાકોર સમાજની બેઠક; કુરિવાજો ત્યાગવા અને દારૂબંધી માટે હુંકાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નિવૃત્ત પોલીસના પુત્ર અને પુત્રવધૂ અજઈંની પત્નીના 9.80 લાખના દાગીના ઓળવી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જિયો અને રિટેલ ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ, 5ૠ સબ્સ્ક્રાઇબર્સ 25 કરોડને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?