ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ ભગવાન વિષ્ણુના ભાવિ અવતારનો ઉલ્લેખ છે. બીજી બાજુ, ઇસ્લામનો ઉદય ફક્ત 1,400 વર્ષ પહેલાં થયો હતો. હું એવી વાત કરી રહ્યો છું જે ઇસ્લામ કરતાં ઓછામાં ઓછા 2,000 વર્ષ જૂની છે. આ બાબતોના પુરાવા સદીઓથી અસ્તિત્વમાં છે. સીએમ યોગીએ કહ્યું કે, 1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને બે વર્ષ પછી 1528માં અયોધ્યામાં રામ મંદિર પણ તોડી પાડવામાં આવ્યું હતું. લખનૌમાં આરએસએસ સાથે જોડાયેલ સાપ્તાહિક મેગેઝિન ’ઓર્ગેનાઇઝર’ દ્વારા આયોજિત ’મંથન: કુંભ એન્ડ બિયોન્ડ’ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, બંને કૃત્યો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા. આદિત્યનાથે કહ્યું કે, દુનિયાના દરેક ધર્મ અને પૂજા પદ્ધતિમાં કેટલાક સારા ગુણો હોય છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બળજબરીથી કોઈનો વિશ્વાસ છીનવી લેવો અને તેમની માન્યતાઓને કચડી નાખવી એ અસ્વીકાર્ય છે. ખાસ કરીને જ્યારે આપણે સંભલ વિશે સત્ય જાણીએ છીએ. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે,’ સંભલ એક ઐતિહાસિક સત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમણે હંમેશા તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હું યોગી છું.
- Advertisement -
હું દરેક સંપ્રદાય, સમુદાય અને પૂજા પદ્ધતિનો આદર કરું છું. જો તમે ગોરખનાથ પીઠ પર જશો તો તમને દેખાશે કે ત્યાં કોઈની સાથે ભેદભાવ નથી. બધી જાતિ, પ્રદેશ અને સંપ્રદાયના લોકો સાથે બેસીને એક જ થાળીમાંથી ભોજન કરે છે. આપણા પૂજ્ય સંતો, ભલે તેઓ કોઈપણ ધર્મના હોય, સાથે બેસીને ભોજન કરે છે અને સમાન સન્માન મેળવે છે.’ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘એટલે જ હું કહું છું કે ઉપનિષદોમાં વ્યક્ત થયેલી ભારતની વૈદિક પરંપરાની ભાવના આપણામાં ઊંડે સુધી વણાયેલી છે. દરેક પૂજા પદ્ધતિ, પછી ભલે તે સનાતન ધર્મ સાથે સંબંધિત હોય કે વિશ્વના અન્ય કોઈ ધર્મ સાથે, તેમાં કંઈક સહજ સદ્ગુણ હોય છે, જેના કારણે ઘણા લોકો તેનું પાલન કરે છે.’ આ સાથે વિપક્ષી પક્ષો અને ટીકાકારો તરફ ઈશારો કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ’આ લોકોએ પહેલા ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ અને પછી જ તેમણે મને તેમના પર ચર્ચા કરવાનો પડકાર આપવો જોઈએ.’
ઉત્તર પ્રદેશમાં હોળી પહેલાં મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દેવાઈ સંભલ-શાહજહાંપુરમાં હાઈ એલર્ટ
આ વખતે 64 વર્ષ પછી હોળી રમઝાનના દિવસે છે. આ પહેલાં 1961માં 4 માર્ચે હોળી અને રમઝાનનો શુક્રવાર (જુમ્મા) એકસાથે હતા. રંગમાં ભંગ ન પડે એ માટે ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર સતર્ક છે. રાજ્યના 10 જિલ્લાઓમાં જુમ્માની નમાજનો સમય બદલવામાં આવ્યો છે. રંગોથી બચાવવા માટે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી છે. શાહજહાંપુરમાં સૌથી વધુ 67 મસ્જિદોને તાડપત્રી અને ફોઇલથી ઢાંકવામાં આવી છે. અહીં પોલીસ લાટ સાહેબની શોભાયાત્રા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. અન્ય જિલ્લાઓમાંથી એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ આવ્યા છે.