નાતાલ પર્વ નજીક આવતાં શહેરમાં ઠેકઠેકાણે તેની સાન્તાક્લોઝની સામગ્રીનું વેચાણ થઈ રહ્યું છે. બાળકોને ગિફ્ટ આપી ખુશી વહેંચતા સાન્તાક્લોઝ હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રોજગારનું મહત્વપૂર્ણ સાધન પણ બન્યા છે. મુખ્ય માર્ગો અને બજારોમાં સાન્તાક્લોઝના ડ્રેસ, ટોપી, દાઢી અને અન્ય સામગ્રીનું વેચાણ થઈ રહ્યું છે. આ તહેવારી માહોલમાં અનેક લોકો સાન્તાક્લોઝનો વેશ ધારણ કરીને બાળકોને ખુશ કરી પોતાની રોજગારી મેળવી રહ્યા છે, જ્યારે કેટલાક પરિવારો ડ્રેસ અને સામગ્રીના વેચાણથી આવક મેળવી રહ્યા છે. નાતાલની ઉજવણી માત્ર આનંદ અને ખુશી પૂરતી સીમિત ન રહી, પરંતુ રોજગારની નવી તક બની છે.
સાન્તાક્લોઝના ડ્રેસ, ટોપી, દાઢીનું વેચાણ બાળકોની ખુશી સાથે ગરીબોને મળી રોજગારી

You Might Also Like
Follow US
Find US on Social Medias


