ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ધ્રાંગધ્રાનો રસ્તો ભૂલી જતા લોકોના સ્વાસ્થ્ય રામ ભરોશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
રાજ્યમાં તહેવારોની સીઝન જામી છે ત્યારે વર્ષમાં મહત્વની તહેવાર એવો દિવાળી પર્વ હવે નજદીક આવી રહ્યો છે ત્યારે લોકો પણ ખુબજ ઉત્સાહથી ખાદ્યપદાર્થોની ચીજ વસ્તુઓ ખરીદી કરી રહ્યા છે પરંતુ આ ખાધ પદાર્થની મીઠાઈ અને નમકીનના આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી માવામાંથી બનતી મીઠાઈ અને હલકી ગુણવત્તા ધરાવતા તેલમાં બનેલ નમકીન ચીજ વસ્તુઓ પધરાવી પોતાનો ફાયદો શોધતા વેપારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બની ગયું છે. ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરમાં બિલાડીની તોપના માફક ફાટી નીકળેલાં ફરસાણ, નમકીન અને મીઠાઈની દુકાનોમાં મોટાભાગે નકલી માવામાંથી જ બનેલી મીઠાઈ લોકોને પધરાવતા હોવાથી લોકોને સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.
- Advertisement -
તહેવાર સમયે પોતાના અંગત સ્વાર્થ ખાતર લોકોના જીવન સાથે ચેડાં કરતા મીઠાઈ અને ફરસાણના વેપારી સામે વર્ષોથી જિલ્લાના ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરી હોવાના દાખલ નથી જેથી બેફામ બનેલા વેપારીઓ હવે કોઈપણ જાતની પરવાહ કર્યા વગર લોકોને અખાધ અને હલકી ગુણવત્તા ધરાવતી ખાધ સામગ્રી ભટકાડી પોતાની કમાણી કરી રહ્યા છે.
આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ધ્રાંગધ્રા તરફનો રસ્તો ભૂલી ગયા હોય તેમ ધ્રાંગધ્રા શહેરમાં ખાધ સામગ્રીના નમુના લેવા માટેની તસ્દી લેતા નથી જ્યારે શહેરમાં લગઝુરિયસ મીઠાઈની દુકાનોમાં તામજામ દર્શાવી હલકી ગુણવત્તાની મીઠાઈઓ થકી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ગ્રાહકોને છેતરી રહ્યા છે ત્યારે આ પ્રકારના મોટા વેપારીઓને ત્યાં જ મીઠાઈના અને ફરસાણના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવે તો આ પ્રકારે દુકાનોમાં તામજામ દર્શાવી લોકોને ચોખ્ખી સામગ્રીની મીઠાઈના બહાને હલકી મીઠાઈઓ પધરાવતા વેપારીઓની કાળી કરતૂત બહાર આવે તેમ છે.