ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ ઋતુમાં વાવેતર માટે મગફળી ૠઉંૠ -32 સર્ટિફાઇડ તથા સોયાબીન ૠઉંજ -3 ટ્રુથફૂલ બિયારણનું વેચાણ ચાલુ દિવસો દરમિયાન સવારના 8.30 થી 12 તથા બપોરના 3 થી 5.30 કલાક દરમિયાન સીડ હબ ગોડાઉન ગેટ નંબર-3ની પાસે કૃષિ યુનિવર્સિટી ખાતેથી તા.23-5-34થી વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. મગફળી અને સોયાબીનની જાતનું બિયારણ જે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીની 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ ડોડવા અને સોયાબીન જરૂરિયાત મુજબ મળવા પાત્ર થશે.
- Advertisement -
મગફળી GJG -32 સર્ટિફાઇડ બિયારણનો સબસીડી સહાય વિના પ્રતિ બેગનો ભાવ રૂ. 3350( 30 કિલો) અને સબસીડી સહાય બાદનો ભાવ રૂ. 2150 છે. તથા સોયાબીન GJG -3 ટ્રુથફૂલ બિયારણનો પ્રતિ બેગનો (25 કિલો) ભાવ રૂ. 1650 છે. મગફળીના સર્ટિફાઇડ બિયારણમાં સબસીડી સહાય મેળવવા માટે બિયારણ ખરીદ કરવા આવો ત્યારે સાથે પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, જમીનનો 8- અનો તાજો અસલ દાખલો ( 6 મહિનાથી જુનો દાખલો ચાલશે નહીં) બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ, (અરજદારનો ખાતા નંબર અને બેંકનો આઈએફએસસી નંબર વંચાય તેવો હોવો જોઈએ) સાથે રજૂ કરવાનો રહેશે. આ પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલયના ફોન નં. 0285-2675070 તથા 0285-2672080-90 પીબી એક્સ 450 થી સંપર્ક કરવો.